ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ એકાએક જાગ્યુંં, હારના કારણો શોધવા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-04 16:31:56

ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતું અને આઠમ ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ત્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં 182માંથી 17 સીટ મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીએ ત્રણ લોકોની કમિટીની રચના કરી છે જે હારના કારણો શોધશે અને રિપોર્ટ પાર્ટીને સોંપશે.

  

કોંગ્રેસે કરી ત્રણ સભ્યોના કમિટીની રચના 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. 182 બેઠકોમાંથી ભાજપને 156 સીટ મળી હતી. આપને 5 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ મનોમંથન કરી રહી છે. કયા કારણોસર ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો તે અંગે તપાસ કરવા કોંગ્રેસે ત્રણ લોકોની કમિટીની રચના કરી છે. જે હાર અંગેના રિપોર્ટ પાર્ટીને આપશે. આ સભ્યોમાં નીતિન રાઉત, સપ્તગીરી શંકર અને શકિલ અહમદ ખાનનો સમાવેશ થાય છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.