ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ એકાએક જાગ્યુંં, હારના કારણો શોધવા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-04 16:31:56

ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતું અને આઠમ ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ત્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં 182માંથી 17 સીટ મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીએ ત્રણ લોકોની કમિટીની રચના કરી છે જે હારના કારણો શોધશે અને રિપોર્ટ પાર્ટીને સોંપશે.

  

કોંગ્રેસે કરી ત્રણ સભ્યોના કમિટીની રચના 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. 182 બેઠકોમાંથી ભાજપને 156 સીટ મળી હતી. આપને 5 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ મનોમંથન કરી રહી છે. કયા કારણોસર ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો તે અંગે તપાસ કરવા કોંગ્રેસે ત્રણ લોકોની કમિટીની રચના કરી છે. જે હાર અંગેના રિપોર્ટ પાર્ટીને આપશે. આ સભ્યોમાં નીતિન રાઉત, સપ્તગીરી શંકર અને શકિલ અહમદ ખાનનો સમાવેશ થાય છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.