તથ્યકાંડ બાદ Police દ્વારા એક મહિના માટે કરવામાં આવેલી ડ્રાઈવમાં આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી અને વસૂલાયો કરોડોનો દંડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 15:48:34

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઓવરસ્પીડિંગને કારણે અથવા તો નશાની હાલતમાં વાહનચાલકો જોવા મળતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્ટંટ કરતા લોકોને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા એક મહિના માટે અમદાવાદમાં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં કાયદાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ડ્રિન્ક અને ડ્રાઈવ સહિત 17 હજાર કેસ કરવામાં આવ્યા છે. 1.20 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. 


કાયદો ભંગ કરનાર લોકો પાસેથી વસૂલાયો કરોડોનો દંડ  

અમદાવાદમાં એક મહિના પહેલા ઈસ્કોન પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડિંગને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તો પહેલા પણ થતાં હતા પરંતુ આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી પર પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આ અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. એક મહિના માટે અમદાવાદમાં પોલીસે કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ત્યારે મેગા ડ્રાઈવને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. એક મહિનો પૂર્ણ થતા જે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારા છે. એક મહિના દરમિયાન અનેક લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને કરોડો રૂપિયાનો દંડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.


આટલા નબીરાઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પોલીસની કામગારી પર અનેક વખત સવાલ ઉભા થતા હોય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે. તથ્યકાંડ બાદ પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કાયદોભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મહિનો પૂર્ણ થઈ ગયો છે ત્યારે એક રિપોર્ટ આવ્યો છે જેમાં આપેલા આંકડા ચોંકાવાનારા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે એક મહિના દરમિયાન કરેલી ડ્રાઈવમાં પોલીસે રેસ લગાવતા, સ્ટંટ કરતાં, ઓવરસ્પીડ અને દારૂ પીને વાહન ચલાવતા 6,700 નબીરાને પકડી પાડ્યા હતા. 


આ સ્પોટ પર બનતા હોઈ છે ગંભીર અકસ્માત 

આ ડ્રાઈવ કુલ 17,219 કેસ કરી 1.20 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઓવર સ્પીડના 4374 કેસ કરી રૂ.83.64 લાખ, રેસિંગ-સ્ટંટ તથા ભયજનક ડ્રાઈવિંગ કરનારા 1671 નબીરાને પકડીને તેમની પાસેથી 27.15 લાખનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 646 કેસ કરી 629 વાહનો જપ્ત કર્યા હતા. રિપોર્ટ અનુસાર એસજી હાઈવે પર સરેરાશ 60થી વધારે અકસ્માત સર્જાયા હતા જેમાં 11થી વધુ લોકોના મોત થયા હતા.  એસપી રિંગ રોડ પર 80 અકસ્માત અને 12 મોત, નરોડા-નારોલ રોડ 70 અકસ્માતમાં 5 મોત, યુનિવર્સિટી રોડ પર 40 અકસ્માતમાં 5 મોત, સિંધુ ભવન રોડ પર 50 અકસ્માતમાં 4 મોત અને શાંતિપુરાથી બોપલ રોડ પર 35 અકસ્માતમાં 3 મોત ઓવરસ્પીડના કારણે જ થયા હતા.


રાત્રીના સમયે પણ પોલીસ રહેશે તૈનાત

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. અનેક નિર્દોષ પરિવારો વેર વિખેર થઈ જતા હોય છે. કોઈની મજા બીજા માટે સજા બની જતી હોય છે. મળતી માહિતી અનુસાર અકસ્માતના તેમજ ઓવર સ્પીડિંગના હોટસ્પોટ ગણાતા સ્પોટ પર રાત્રીના સમયે પોલીસને તૈનાત કરવામાં આવશે.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી