કાપોદ્રા અકસ્માત બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, પોલીસને આપી આ સલાહ! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-31 17:15:52

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, નશાની હાલતમાં ચકચૂર થઈ અનેક નબીરાઓ ફૂલસ્પીડમાં ગાડી ચલાવે છે અને પરિણામે અકસ્માત સર્જાય છે અને લોકો પોતાના જીવનને ગુમાવે છે. અમદાવાદથી થોડા દિવસ પહેલા તથ્ય પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે સુરતથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિફટ કારનો ચાલક એવી ફૂલ સ્પીડમાં ચલાવે છે કે તે પોતાની અડફેટે અનેક વાહનચાલકોને અને રાહદારીઓને લેતો જાય. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાયદાનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ પોલીસે કરી છે કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે અનેક લોકો સ્ટંટ કરતા જોવા મળે છે. રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ તો જોખમમાં નાખે છે પરંતુ બીજા અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે સુરતથી અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ઘણા સમયથી સુરતથી આ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. ન માત્ર સુરતથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાંથી રિલ્સને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


રાત્રીના સમયે પોલીસે કરવી જોઈએ કાર્યવાહી - કુમાર કાનાણી 

સામાન્ય લોકો તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હોય છે પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે દિવસ દરમિયાન પોલીસ ડ્રાઈવનું આયોજન કરે છે, સામાન્ય માણસો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનના કાગળો વગેરે માગે છે પરંતુ નબીરાઓ રાત્રીના સમયે અકસ્માતો કરે છે. પોલીસે નશાખોરોને રોકવા માટે રાત્રિના  સમયે પોલીસે ડ્રાઈવ કરવી જોઈએ. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

પોલીસે કારચાલકની નિકાળી પરેડ

સુરતમાં જે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નશાની હાલતમાં વાહનને ચલાવનાર યુવકની પરેડ કરાવી હતી. 6 લોકોને નશાની હાલતમાં તેણે અડફેટે લીધા હતા. ત્યારે પોલીસે પણ તેની જાહેરમાં પરેડ કાઢી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.