કાપોદ્રા અકસ્માત બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, પોલીસને આપી આ સલાહ! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-31 17:15:52

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, નશાની હાલતમાં ચકચૂર થઈ અનેક નબીરાઓ ફૂલસ્પીડમાં ગાડી ચલાવે છે અને પરિણામે અકસ્માત સર્જાય છે અને લોકો પોતાના જીવનને ગુમાવે છે. અમદાવાદથી થોડા દિવસ પહેલા તથ્ય પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે સુરતથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિફટ કારનો ચાલક એવી ફૂલ સ્પીડમાં ચલાવે છે કે તે પોતાની અડફેટે અનેક વાહનચાલકોને અને રાહદારીઓને લેતો જાય. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાયદાનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ પોલીસે કરી છે કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે અનેક લોકો સ્ટંટ કરતા જોવા મળે છે. રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ તો જોખમમાં નાખે છે પરંતુ બીજા અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે સુરતથી અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ઘણા સમયથી સુરતથી આ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. ન માત્ર સુરતથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાંથી રિલ્સને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


રાત્રીના સમયે પોલીસે કરવી જોઈએ કાર્યવાહી - કુમાર કાનાણી 

સામાન્ય લોકો તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હોય છે પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે દિવસ દરમિયાન પોલીસ ડ્રાઈવનું આયોજન કરે છે, સામાન્ય માણસો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનના કાગળો વગેરે માગે છે પરંતુ નબીરાઓ રાત્રીના સમયે અકસ્માતો કરે છે. પોલીસે નશાખોરોને રોકવા માટે રાત્રિના  સમયે પોલીસે ડ્રાઈવ કરવી જોઈએ. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

પોલીસે કારચાલકની નિકાળી પરેડ

સુરતમાં જે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નશાની હાલતમાં વાહનને ચલાવનાર યુવકની પરેડ કરાવી હતી. 6 લોકોને નશાની હાલતમાં તેણે અડફેટે લીધા હતા. ત્યારે પોલીસે પણ તેની જાહેરમાં પરેડ કાઢી હતી.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી