કાપોદ્રા અકસ્માત બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, પોલીસને આપી આ સલાહ! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-31 17:15:52

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, નશાની હાલતમાં ચકચૂર થઈ અનેક નબીરાઓ ફૂલસ્પીડમાં ગાડી ચલાવે છે અને પરિણામે અકસ્માત સર્જાય છે અને લોકો પોતાના જીવનને ગુમાવે છે. અમદાવાદથી થોડા દિવસ પહેલા તથ્ય પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે સુરતથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિફટ કારનો ચાલક એવી ફૂલ સ્પીડમાં ચલાવે છે કે તે પોતાની અડફેટે અનેક વાહનચાલકોને અને રાહદારીઓને લેતો જાય. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાયદાનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ પોલીસે કરી છે કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે અનેક લોકો સ્ટંટ કરતા જોવા મળે છે. રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ તો જોખમમાં નાખે છે પરંતુ બીજા અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે સુરતથી અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ઘણા સમયથી સુરતથી આ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. ન માત્ર સુરતથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાંથી રિલ્સને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


રાત્રીના સમયે પોલીસે કરવી જોઈએ કાર્યવાહી - કુમાર કાનાણી 

સામાન્ય લોકો તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હોય છે પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે દિવસ દરમિયાન પોલીસ ડ્રાઈવનું આયોજન કરે છે, સામાન્ય માણસો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનના કાગળો વગેરે માગે છે પરંતુ નબીરાઓ રાત્રીના સમયે અકસ્માતો કરે છે. પોલીસે નશાખોરોને રોકવા માટે રાત્રિના  સમયે પોલીસે ડ્રાઈવ કરવી જોઈએ. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

પોલીસે કારચાલકની નિકાળી પરેડ

સુરતમાં જે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નશાની હાલતમાં વાહનને ચલાવનાર યુવકની પરેડ કરાવી હતી. 6 લોકોને નશાની હાલતમાં તેણે અડફેટે લીધા હતા. ત્યારે પોલીસે પણ તેની જાહેરમાં પરેડ કાઢી હતી.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.