મોરબી પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના સભ્યો આ લોકો પર ઢોળ્યો દોષનો ટોપલો, જાણો કોને ગણાવ્યા જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-02-16 12:15:49

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશ આપ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી નગરપાલિકાના હોદ્દેદારોએ દોષનો ટોપલો ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો પર ઢોળી દીધો હતો. સરકારને જવાબ રજૂ કરતા જણાવ્યું કે મોરબીના ઝૂલતો પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. 


દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો 

એક તરફ જ્યાં લોકો દિવાળીના સમય દરમિયાન આનંદ કરી રહ્યા ત્યાં બીજી તરફ અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો હતો. મોરબીમાં બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી સરકારને ટકોર કરવામાં આવી હતી. જે બાદ શહેરી વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે જવાબ આપવા પાલિકાને બે નોટીસ ફટકારવામાં આવી હતી. 


આ જવાબ કરાયા હતા રજૂ 

પ્રથમ નોટીસના જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ બીજી નોટીસ આપવામાં આવી અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબ રજૂ કરવા પાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા છે. 

પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ સભ્યો વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવા થયેલા એગ્રીમેન્ટ રક ઓરેવા ગ્રુપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે. તો બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે જવાબ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે તેઓ એગ્રીમેન્ટ તેમજ ઓરેવા ગ્રુપ વિશે તેઓ જાણતા નથી.             




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.