મોરબી પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના સભ્યો આ લોકો પર ઢોળ્યો દોષનો ટોપલો, જાણો કોને ગણાવ્યા જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-02-16 12:15:49

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશ આપ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી નગરપાલિકાના હોદ્દેદારોએ દોષનો ટોપલો ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો પર ઢોળી દીધો હતો. સરકારને જવાબ રજૂ કરતા જણાવ્યું કે મોરબીના ઝૂલતો પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. 


દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો 

એક તરફ જ્યાં લોકો દિવાળીના સમય દરમિયાન આનંદ કરી રહ્યા ત્યાં બીજી તરફ અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો હતો. મોરબીમાં બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી સરકારને ટકોર કરવામાં આવી હતી. જે બાદ શહેરી વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે જવાબ આપવા પાલિકાને બે નોટીસ ફટકારવામાં આવી હતી. 


આ જવાબ કરાયા હતા રજૂ 

પ્રથમ નોટીસના જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ બીજી નોટીસ આપવામાં આવી અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબ રજૂ કરવા પાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા છે. 

પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ સભ્યો વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવા થયેલા એગ્રીમેન્ટ રક ઓરેવા ગ્રુપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે. તો બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે જવાબ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે તેઓ એગ્રીમેન્ટ તેમજ ઓરેવા ગ્રુપ વિશે તેઓ જાણતા નથી.             




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.