મોરબી પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના સભ્યો આ લોકો પર ઢોળ્યો દોષનો ટોપલો, જાણો કોને ગણાવ્યા જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-02-16 12:15:49

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશ આપ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી નગરપાલિકાના હોદ્દેદારોએ દોષનો ટોપલો ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો પર ઢોળી દીધો હતો. સરકારને જવાબ રજૂ કરતા જણાવ્યું કે મોરબીના ઝૂલતો પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. 


દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો 

એક તરફ જ્યાં લોકો દિવાળીના સમય દરમિયાન આનંદ કરી રહ્યા ત્યાં બીજી તરફ અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો હતો. મોરબીમાં બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી સરકારને ટકોર કરવામાં આવી હતી. જે બાદ શહેરી વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે જવાબ આપવા પાલિકાને બે નોટીસ ફટકારવામાં આવી હતી. 


આ જવાબ કરાયા હતા રજૂ 

પ્રથમ નોટીસના જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ બીજી નોટીસ આપવામાં આવી અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબ રજૂ કરવા પાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા છે. 

પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ સભ્યો વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવા થયેલા એગ્રીમેન્ટ રક ઓરેવા ગ્રુપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે. તો બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે જવાબ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે તેઓ એગ્રીમેન્ટ તેમજ ઓરેવા ગ્રુપ વિશે તેઓ જાણતા નથી.             




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.