મોરબી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનને આવ્યું ભાન, સ્કાયવૉક કર્યો બંધ


  • Published By :
  • Published Date : 2022-11-02 16:57:30

વડોદરા મહાનગરપાલિકાએ મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગી સ્કાયવૉક બ્રિજને બંધ કરી દીધો છે. વડોદરા સ્માર્ટ સિટીના લોકો માટે રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ સુધી જવા માટે કરોડોના ખર્ચે સ્કાયવૉક બનાવ્યો હતો. વડોદરા સિટી બસસ્ટેન્ડ પર જનમહેલ બનાવી દેવામાં આવ્યું છે આથી સ્કાયવૉકનો ઉપયોગ ઓછા લોકો કરે છે. આ બ્રિજનો નહિંવત લોકો ઉપયોગ કરતા હોવાથી તેના પર અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. 


શું છે આ સ્કાયવૉક બ્રિજ 

વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2008-2009ના સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરા સ્માર્ટ સિટીએ ખબર નહીં લાંબા ગાળા માટે બ્રિજ બાબતે વિચાર કર્યો હશે કે નહીં પણ કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો ઉપયોગ જ ઘટી જાય તેવો નિર્ણય લઈ લીધો હતો. રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો તેનો ઉપયોગ ઓછો થઈ જાય તેવો નિર્ણય લેવાયો અને સિટી બસસ્ટેશનની જગ્યાએ જનમહેલ ઉભું કરી દેવામાં આવ્યું અને બ્રિજનો ઉપયોગ થઈ ગયો બંધ. 1.89 કરોડના ખર્ચે બનેલો આ સ્કાયવૉક જે 148 મીટર લાંબો છે સાથોસાથ તેનાથી ત્રણ જગ્યાએ જઈ શકાય છે તેવો સમસ મજાનો બ્રિજ પાલિકાના નિર્ણયથી બંધ કરવાનો વારો આવ્યો છે. આ નિર્ણય મોરબી દુર્ઘટના બાદ લેવાયો છે જેથી સારું છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય પરંતુ કરોડોનો ખર્ચો કરીને બનાવેલો સ્કાયવૉક વડોદરા કોર્પોરેશનના નિર્ણયોના કારણે બંધ કરાયો તેવું પણ કહી શકાય.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"