મોરબી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનને આવ્યું ભાન, સ્કાયવૉક કર્યો બંધ


  • Published By :
  • Published Date : 2022-11-02 16:57:30

વડોદરા મહાનગરપાલિકાએ મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગી સ્કાયવૉક બ્રિજને બંધ કરી દીધો છે. વડોદરા સ્માર્ટ સિટીના લોકો માટે રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ સુધી જવા માટે કરોડોના ખર્ચે સ્કાયવૉક બનાવ્યો હતો. વડોદરા સિટી બસસ્ટેન્ડ પર જનમહેલ બનાવી દેવામાં આવ્યું છે આથી સ્કાયવૉકનો ઉપયોગ ઓછા લોકો કરે છે. આ બ્રિજનો નહિંવત લોકો ઉપયોગ કરતા હોવાથી તેના પર અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. 


શું છે આ સ્કાયવૉક બ્રિજ 

વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2008-2009ના સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરા સ્માર્ટ સિટીએ ખબર નહીં લાંબા ગાળા માટે બ્રિજ બાબતે વિચાર કર્યો હશે કે નહીં પણ કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો ઉપયોગ જ ઘટી જાય તેવો નિર્ણય લઈ લીધો હતો. રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો તેનો ઉપયોગ ઓછો થઈ જાય તેવો નિર્ણય લેવાયો અને સિટી બસસ્ટેશનની જગ્યાએ જનમહેલ ઉભું કરી દેવામાં આવ્યું અને બ્રિજનો ઉપયોગ થઈ ગયો બંધ. 1.89 કરોડના ખર્ચે બનેલો આ સ્કાયવૉક જે 148 મીટર લાંબો છે સાથોસાથ તેનાથી ત્રણ જગ્યાએ જઈ શકાય છે તેવો સમસ મજાનો બ્રિજ પાલિકાના નિર્ણયથી બંધ કરવાનો વારો આવ્યો છે. આ નિર્ણય મોરબી દુર્ઘટના બાદ લેવાયો છે જેથી સારું છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય પરંતુ કરોડોનો ખર્ચો કરીને બનાવેલો સ્કાયવૉક વડોદરા કોર્પોરેશનના નિર્ણયોના કારણે બંધ કરાયો તેવું પણ કહી શકાય.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.