મોરબી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનને આવ્યું ભાન, સ્કાયવૉક કર્યો બંધ


  • Published By :
  • Published Date : 2022-11-02 16:57:30

વડોદરા મહાનગરપાલિકાએ મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગી સ્કાયવૉક બ્રિજને બંધ કરી દીધો છે. વડોદરા સ્માર્ટ સિટીના લોકો માટે રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ સુધી જવા માટે કરોડોના ખર્ચે સ્કાયવૉક બનાવ્યો હતો. વડોદરા સિટી બસસ્ટેન્ડ પર જનમહેલ બનાવી દેવામાં આવ્યું છે આથી સ્કાયવૉકનો ઉપયોગ ઓછા લોકો કરે છે. આ બ્રિજનો નહિંવત લોકો ઉપયોગ કરતા હોવાથી તેના પર અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. 


શું છે આ સ્કાયવૉક બ્રિજ 

વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2008-2009ના સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરા સ્માર્ટ સિટીએ ખબર નહીં લાંબા ગાળા માટે બ્રિજ બાબતે વિચાર કર્યો હશે કે નહીં પણ કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો ઉપયોગ જ ઘટી જાય તેવો નિર્ણય લઈ લીધો હતો. રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો તેનો ઉપયોગ ઓછો થઈ જાય તેવો નિર્ણય લેવાયો અને સિટી બસસ્ટેશનની જગ્યાએ જનમહેલ ઉભું કરી દેવામાં આવ્યું અને બ્રિજનો ઉપયોગ થઈ ગયો બંધ. 1.89 કરોડના ખર્ચે બનેલો આ સ્કાયવૉક જે 148 મીટર લાંબો છે સાથોસાથ તેનાથી ત્રણ જગ્યાએ જઈ શકાય છે તેવો સમસ મજાનો બ્રિજ પાલિકાના નિર્ણયથી બંધ કરવાનો વારો આવ્યો છે. આ નિર્ણય મોરબી દુર્ઘટના બાદ લેવાયો છે જેથી સારું છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય પરંતુ કરોડોનો ખર્ચો કરીને બનાવેલો સ્કાયવૉક વડોદરા કોર્પોરેશનના નિર્ણયોના કારણે બંધ કરાયો તેવું પણ કહી શકાય.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.