બિપોરજોય વાવઝોડું તો પસાર થઈ ગયું, પરંતુ બનાસકાંઠાની આવી હાલત કરતું ગયું, જુઓ તારાજીની તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:46:43

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાંથી તો વાવાઝોડું તો ગયું પરંતુ લોકોને રડાવતું ગયું. વાવાઝોડું પરંતુ પોતાની પાછળ નુકસાની સર્જીને ગયું છે. અનેક જિલ્લાઓમાં ચક્રવાતને લઈ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાવાઝોડા બાદ બનાસકાંઠાની હાલત અતિશય ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈએ કુદરતે સર્જેલી આફતની તસવીરોને... 

   




બિપોરજોય વાવાઝોડાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાએ જાણે બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.  અનેક ઘરોની છતો ઉડી ગઈ હતી. બિપોરજોયનું રિપોર્ટિંગ જ્યારે જમાવટની ટીમે કર્યું ત્યારે જમાવટના કેમેરામાં નુકસાનીની તસવીરો કેદ થઈ હતી. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક લોકોએ પશુધન પણ ગુમાવ્યું છે. 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.