સેશન્સ કોર્ટ બાદ હવે HCએ પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી, જાણો શું કહ્યું હાઈકોર્ટે


  • Published By :
  • Published Date : 2023-12-04 19:37:21

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસવાની મુશ્કેલી વધી છે. ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે  ચૈતર વસાવાને મોટો ઝટકો આપતા તેમની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે  વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોતાની ધરપકડથી બચવા ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. 


ગુજરાત સરકારે જામીનનો કર્યો વિરોધ 


ગુજરાત હાઇકોર્ટે વનકર્મીઓને માર મારવાનાં કેસમાં હાઇકોર્ટે ચૈતર વાસવાને રાહત આપવા ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, કયા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા?, આ કેસને લઇને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તો વળી, જામીન અરજી નામંજૂર થતા જ ચૈતર વસાવાએ વકિલ દ્વારા રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. જો કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને સરકારી કર્મચારીઓના માર મારવાનો ગંભીર કેસ છે તેથી વસાવાની અરજી નામંજૂર કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વનક્રમીઓને આ રીતે બોલાવી અને ધમકી આપવી તે શું આવું કામ તેમને શોભે છે? 


અગાઉ સેશન્સ કોર્ટે જામીન કર્યા હતા નામંજુર

 

ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી