Keshaji Chauhanના નિવેદન બાદ લાફાકાંડ પર આપ્યું Shankarsinh Chaudharyએ નિવેદન, સાંભળો ધારાસભ્યના રાજીનામા પર શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-08-15 12:48:51

લાફાકાંડ બાદ ગાંધીનગર માટે બનાસકાંઠાથી આગેકૂચ કરી રહ્યા છે. લાફાકાંડનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી તેમની માગ છે. લાફાકાંડ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે પહેલી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. 

કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે આપી પ્રતિક્રિયા 

થોડા દિવસોથી જેની પર ચર્ચા થઈ રહી છે જે લાફાકાંડનો મુદ્દો છે. ધારાસભ્ય કેશાજી પટેલ રાજીનામું આપે તે માટે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આ મામલે અલગ અલગ નેતાઓનું રિએક્શન સામે આવી રહ્યું છે. કેશાજી પટેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. મહત્વનું છે કે સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો છે. 

18 ઓગસ્ટના રોજ ખેડૂતો પહોંચશે ગાંધીનગર 

ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. મહેસાણા સુધી આ યાત્રા પહોંચી છે અને 18 ઓગસ્ટની આસપાસ ગાંધીનગર ખાતે તે પહોંચી જશે.            




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.