Keshaji Chauhanના નિવેદન બાદ લાફાકાંડ પર આપ્યું Shankarsinh Chaudharyએ નિવેદન, સાંભળો ધારાસભ્યના રાજીનામા પર શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-08-15 12:48:51

લાફાકાંડ બાદ ગાંધીનગર માટે બનાસકાંઠાથી આગેકૂચ કરી રહ્યા છે. લાફાકાંડનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી તેમની માગ છે. લાફાકાંડ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે પહેલી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. 

કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે આપી પ્રતિક્રિયા 

થોડા દિવસોથી જેની પર ચર્ચા થઈ રહી છે જે લાફાકાંડનો મુદ્દો છે. ધારાસભ્ય કેશાજી પટેલ રાજીનામું આપે તે માટે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આ મામલે અલગ અલગ નેતાઓનું રિએક્શન સામે આવી રહ્યું છે. કેશાજી પટેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. મહત્વનું છે કે સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો છે. 

18 ઓગસ્ટના રોજ ખેડૂતો પહોંચશે ગાંધીનગર 

ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. મહેસાણા સુધી આ યાત્રા પહોંચી છે અને 18 ઓગસ્ટની આસપાસ ગાંધીનગર ખાતે તે પહોંચી જશે.            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.