Keshaji Chauhanના નિવેદન બાદ લાફાકાંડ પર આપ્યું Shankarsinh Chaudharyએ નિવેદન, સાંભળો ધારાસભ્યના રાજીનામા પર શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-08-15 12:48:51

લાફાકાંડ બાદ ગાંધીનગર માટે બનાસકાંઠાથી આગેકૂચ કરી રહ્યા છે. લાફાકાંડનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી તેમની માગ છે. લાફાકાંડ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે પહેલી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. 

કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે આપી પ્રતિક્રિયા 

થોડા દિવસોથી જેની પર ચર્ચા થઈ રહી છે જે લાફાકાંડનો મુદ્દો છે. ધારાસભ્ય કેશાજી પટેલ રાજીનામું આપે તે માટે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આ મામલે અલગ અલગ નેતાઓનું રિએક્શન સામે આવી રહ્યું છે. કેશાજી પટેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. મહત્વનું છે કે સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો છે. 

18 ઓગસ્ટના રોજ ખેડૂતો પહોંચશે ગાંધીનગર 

ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. મહેસાણા સુધી આ યાત્રા પહોંચી છે અને 18 ઓગસ્ટની આસપાસ ગાંધીનગર ખાતે તે પહોંચી જશે.            




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.