Keshaji Chauhanના નિવેદન બાદ લાફાકાંડ પર આપ્યું Shankarsinh Chaudharyએ નિવેદન, સાંભળો ધારાસભ્યના રાજીનામા પર શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-08-15 12:48:51

લાફાકાંડ બાદ ગાંધીનગર માટે બનાસકાંઠાથી આગેકૂચ કરી રહ્યા છે. લાફાકાંડનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી તેમની માગ છે. લાફાકાંડ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે પહેલી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. 

કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે આપી પ્રતિક્રિયા 

થોડા દિવસોથી જેની પર ચર્ચા થઈ રહી છે જે લાફાકાંડનો મુદ્દો છે. ધારાસભ્ય કેશાજી પટેલ રાજીનામું આપે તે માટે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આ મામલે અલગ અલગ નેતાઓનું રિએક્શન સામે આવી રહ્યું છે. કેશાજી પટેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. મહત્વનું છે કે સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો છે. 

18 ઓગસ્ટના રોજ ખેડૂતો પહોંચશે ગાંધીનગર 

ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. મહેસાણા સુધી આ યાત્રા પહોંચી છે અને 18 ઓગસ્ટની આસપાસ ગાંધીનગર ખાતે તે પહોંચી જશે.            




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.