કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી વેઠવા રહેવું પડશે તૈયાર! આવનાર દિવસોમાં વધશે તાપમાનનો પારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-05-09 09:28:57

ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા થોડા દિવસથી માવઠાએ વિરામ લીધો છે. કમોસમી વરસાદ બાદ ભેજ વાળું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આવનાર દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનના પારામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. અને આવનાર દિવસોમાં ગરમીનો માર વધારે સહન કરવો પડશે.   


અમદાવાદ માટે જાહેર કરાયું યેલો એલર્ટ! 

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી માવઠાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને તાપમાનનો પારો વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તથા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન!   

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્ય પર કમોસમી વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ પણ તોળાતું હતું પરંતુ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય તેવી જાણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં  આવી છે. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. વાતાવરણ સૂકું રહેશે જેને કારણે વધારે ગરમીનો અનુભવ થશે.ગરમીથી રક્ષણ મેળવવા બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ. તેમજ ઓઆરએસ તેમજ વધારે પાણી પીવાની સલાહ આપી છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.