કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી વેઠવા રહેવું પડશે તૈયાર! આવનાર દિવસોમાં વધશે તાપમાનનો પારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-05-09 09:28:57

ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા થોડા દિવસથી માવઠાએ વિરામ લીધો છે. કમોસમી વરસાદ બાદ ભેજ વાળું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આવનાર દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનના પારામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. અને આવનાર દિવસોમાં ગરમીનો માર વધારે સહન કરવો પડશે.   


અમદાવાદ માટે જાહેર કરાયું યેલો એલર્ટ! 

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી માવઠાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને તાપમાનનો પારો વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તથા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન!   

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્ય પર કમોસમી વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ પણ તોળાતું હતું પરંતુ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય તેવી જાણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં  આવી છે. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. વાતાવરણ સૂકું રહેશે જેને કારણે વધારે ગરમીનો અનુભવ થશે.ગરમીથી રક્ષણ મેળવવા બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ. તેમજ ઓઆરએસ તેમજ વધારે પાણી પીવાની સલાહ આપી છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે