કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી વેઠવા રહેવું પડશે તૈયાર! આવનાર દિવસોમાં વધશે તાપમાનનો પારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-05-09 09:28:57

ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા થોડા દિવસથી માવઠાએ વિરામ લીધો છે. કમોસમી વરસાદ બાદ ભેજ વાળું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આવનાર દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનના પારામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. અને આવનાર દિવસોમાં ગરમીનો માર વધારે સહન કરવો પડશે.   


અમદાવાદ માટે જાહેર કરાયું યેલો એલર્ટ! 

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી માવઠાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને તાપમાનનો પારો વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તથા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન!   

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્ય પર કમોસમી વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ પણ તોળાતું હતું પરંતુ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય તેવી જાણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં  આવી છે. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. વાતાવરણ સૂકું રહેશે જેને કારણે વધારે ગરમીનો અનુભવ થશે.ગરમીથી રક્ષણ મેળવવા બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ. તેમજ ઓઆરએસ તેમજ વધારે પાણી પીવાની સલાહ આપી છે.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.