કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી વેઠવા રહેવું પડશે તૈયાર! આવનાર દિવસોમાં વધશે તાપમાનનો પારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-05-09 09:28:57

ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા થોડા દિવસથી માવઠાએ વિરામ લીધો છે. કમોસમી વરસાદ બાદ ભેજ વાળું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આવનાર દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનના પારામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. અને આવનાર દિવસોમાં ગરમીનો માર વધારે સહન કરવો પડશે.   


અમદાવાદ માટે જાહેર કરાયું યેલો એલર્ટ! 

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી માવઠાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને તાપમાનનો પારો વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તથા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન!   

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્ય પર કમોસમી વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ પણ તોળાતું હતું પરંતુ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય તેવી જાણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં  આવી છે. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. વાતાવરણ સૂકું રહેશે જેને કારણે વધારે ગરમીનો અનુભવ થશે.ગરમીથી રક્ષણ મેળવવા બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ. તેમજ ઓઆરએસ તેમજ વધારે પાણી પીવાની સલાહ આપી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.