ઉત્તરાયણ બાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું, અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-11 09:39:01

ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ઉથલ પાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ શકે છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, રાજીનામું આપનાર ધારાસભ્ય હતા કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી. બંને ધારાસભ્યોએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. એ સમયગાળા દરમિયાન લાગતું હતું કે વધુ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ ઘણા સમયથી રાજીનામાના દોર પર વિરામ હતો પરંતુ ફરી એક વખત ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવું લાગતું હતું કે આપના કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ વખતે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી શકે છે ઉત્તરાયણ પછી અને કેસરિયો ધારણ કરી શકે છે.

Aam Aadmi Party MLA Bhupat Bhayani Resigns, Joins BJP | આમ આદમી પાર્ટીનાં  ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું Gujarat - Trishul News  Gujarati - Trishul News Gujarati

ઉત્તરાયણ બાદ રાજીનામું આપી કેસરિયો કરી શકે છે ધારણ 

મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ પદ ઉપરથી રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉત્તરાયણ બાદ તે રાજીનામું આપી શકે છે ઉપરાંત ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવું અનુમાન છે. ત્યારે ધારાસભ્ય પોતાનું રાજીનામું આપે છે કે નહીં તે તો સમય બતાવશે. મહત્વનું છે કે હજી સુધી જે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા વખતે એટલે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપવા વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં ગયા હતા ત્યારે ભરત બોઘરા હાજર હોય છે, ત્યારે આ વખતે તે હાજર હશે કે નહીં તે જોવું રહ્યું..     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.