ઉત્તરાયણ બાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું, અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 09:39:01

ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ઉથલ પાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ શકે છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, રાજીનામું આપનાર ધારાસભ્ય હતા કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી. બંને ધારાસભ્યોએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. એ સમયગાળા દરમિયાન લાગતું હતું કે વધુ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ ઘણા સમયથી રાજીનામાના દોર પર વિરામ હતો પરંતુ ફરી એક વખત ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવું લાગતું હતું કે આપના કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ વખતે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી શકે છે ઉત્તરાયણ પછી અને કેસરિયો ધારણ કરી શકે છે.

Aam Aadmi Party MLA Bhupat Bhayani Resigns, Joins BJP | આમ આદમી પાર્ટીનાં  ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું Gujarat - Trishul News  Gujarati - Trishul News Gujarati

ઉત્તરાયણ બાદ રાજીનામું આપી કેસરિયો કરી શકે છે ધારણ 

મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ પદ ઉપરથી રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉત્તરાયણ બાદ તે રાજીનામું આપી શકે છે ઉપરાંત ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવું અનુમાન છે. ત્યારે ધારાસભ્ય પોતાનું રાજીનામું આપે છે કે નહીં તે તો સમય બતાવશે. મહત્વનું છે કે હજી સુધી જે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા વખતે એટલે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપવા વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં ગયા હતા ત્યારે ભરત બોઘરા હાજર હોય છે, ત્યારે આ વખતે તે હાજર હશે કે નહીં તે જોવું રહ્યું..     




ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.