શાકભાજી બાદ હવે ફ્રૂટનો વારો! પેટ્રોલ તેમજ ડિઝલ કરતાંય મોંઘા થયા ફ્રૂટ! ઉપવાસ સમયે ભાવ વધતા ખોરવાયું બજેટ


  • Published By :
  • Published Date : 2023-07-19 13:08:59

વરસાદને કારણે અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  ટામેટાના ભાવમાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે પરંતુ હવે તો દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થતો હોય છે કોઈ વખત દૂધના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. આદુ 350 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, તો ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે હવે ફૂટ પણ આ કેટેગરીમાં આવી ગયા છે. ફળફળાદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. શાકભાજીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ કરતા પણ મોંઘું શાકભાજી મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે પાક પર ગંભીર અસર પડી છે. ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. માર્કેટમાં મળતા શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 100 રુપિયે કિલો, ભીંડા  120  રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. રવૈયા 120 રુપિયે કિલો, ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ફ્લાવરનો ભાવ 160 રુપિયે કિલો મળી રહ્યા છે. ત્યારે હવે શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો જોવા મળે છે. 


ફળફળાદીના ભાવ પણ પહોંચ્યા આસમાને 

ગઈકાલથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અધિક માસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે ઉપવાસના સમય દરમિયાન ફળફળાદીના ભાવમાં વધારો નોંધાતા અધિક ખર્ચો કરવો પડશે. કારણ કે ફળોના ભાવમાં વધારો નોંધાયો છે.  સફરજનના ભાવની વાત કરીએ તો 320 રૂપિયે કિલો મળી રહ્યા છે, મોસંબીના ભાવ 499 (10 કિલો) પર પહોંચ્યા છે. ગ્રીન દ્રાક્ષના ભાવ 210 રુપિયે મળી રહ્યા છે.તડબૂચ 40 રુપિયે મળી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા લોકો હોલસેલમાં શાકભાજી ખરીદતા હતા ત્યારે હવે લોકો છૂટક શાકભાજી ખરીદી રહ્યા છે. શાકભાજી તેમજ ફળોનું ઉત્પાદન ઘટવાને કારણે ભાવમાં ભડકો નોંધાયો છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દાડમ 300 રુપિયે મળી રહ્યું છે. મહત્વનું છે કે ફળોમાં ભાવ વધારાથી ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.