શાકભાજી બાદ હવે ફ્રૂટનો વારો! પેટ્રોલ તેમજ ડિઝલ કરતાંય મોંઘા થયા ફ્રૂટ! ઉપવાસ સમયે ભાવ વધતા ખોરવાયું બજેટ


  • Published By :
  • Published Date : 2023-07-19 13:08:59

વરસાદને કારણે અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  ટામેટાના ભાવમાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે પરંતુ હવે તો દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થતો હોય છે કોઈ વખત દૂધના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. આદુ 350 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, તો ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે હવે ફૂટ પણ આ કેટેગરીમાં આવી ગયા છે. ફળફળાદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. શાકભાજીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ કરતા પણ મોંઘું શાકભાજી મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે પાક પર ગંભીર અસર પડી છે. ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. માર્કેટમાં મળતા શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 100 રુપિયે કિલો, ભીંડા  120  રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. રવૈયા 120 રુપિયે કિલો, ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ફ્લાવરનો ભાવ 160 રુપિયે કિલો મળી રહ્યા છે. ત્યારે હવે શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો જોવા મળે છે. 


ફળફળાદીના ભાવ પણ પહોંચ્યા આસમાને 

ગઈકાલથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અધિક માસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે ઉપવાસના સમય દરમિયાન ફળફળાદીના ભાવમાં વધારો નોંધાતા અધિક ખર્ચો કરવો પડશે. કારણ કે ફળોના ભાવમાં વધારો નોંધાયો છે.  સફરજનના ભાવની વાત કરીએ તો 320 રૂપિયે કિલો મળી રહ્યા છે, મોસંબીના ભાવ 499 (10 કિલો) પર પહોંચ્યા છે. ગ્રીન દ્રાક્ષના ભાવ 210 રુપિયે મળી રહ્યા છે.તડબૂચ 40 રુપિયે મળી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા લોકો હોલસેલમાં શાકભાજી ખરીદતા હતા ત્યારે હવે લોકો છૂટક શાકભાજી ખરીદી રહ્યા છે. શાકભાજી તેમજ ફળોનું ઉત્પાદન ઘટવાને કારણે ભાવમાં ભડકો નોંધાયો છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દાડમ 300 રુપિયે મળી રહ્યું છે. મહત્વનું છે કે ફળોમાં ભાવ વધારાથી ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.