શાકભાજી બાદ હવે ફ્રૂટનો વારો! પેટ્રોલ તેમજ ડિઝલ કરતાંય મોંઘા થયા ફ્રૂટ! ઉપવાસ સમયે ભાવ વધતા ખોરવાયું બજેટ


  • Published By :
  • Published Date : 2023-07-19 13:08:59

વરસાદને કારણે અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  ટામેટાના ભાવમાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે પરંતુ હવે તો દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થતો હોય છે કોઈ વખત દૂધના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. આદુ 350 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, તો ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે હવે ફૂટ પણ આ કેટેગરીમાં આવી ગયા છે. ફળફળાદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. શાકભાજીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ કરતા પણ મોંઘું શાકભાજી મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે પાક પર ગંભીર અસર પડી છે. ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. માર્કેટમાં મળતા શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 100 રુપિયે કિલો, ભીંડા  120  રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. રવૈયા 120 રુપિયે કિલો, ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ફ્લાવરનો ભાવ 160 રુપિયે કિલો મળી રહ્યા છે. ત્યારે હવે શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો જોવા મળે છે. 


ફળફળાદીના ભાવ પણ પહોંચ્યા આસમાને 

ગઈકાલથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અધિક માસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે ઉપવાસના સમય દરમિયાન ફળફળાદીના ભાવમાં વધારો નોંધાતા અધિક ખર્ચો કરવો પડશે. કારણ કે ફળોના ભાવમાં વધારો નોંધાયો છે.  સફરજનના ભાવની વાત કરીએ તો 320 રૂપિયે કિલો મળી રહ્યા છે, મોસંબીના ભાવ 499 (10 કિલો) પર પહોંચ્યા છે. ગ્રીન દ્રાક્ષના ભાવ 210 રુપિયે મળી રહ્યા છે.તડબૂચ 40 રુપિયે મળી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા લોકો હોલસેલમાં શાકભાજી ખરીદતા હતા ત્યારે હવે લોકો છૂટક શાકભાજી ખરીદી રહ્યા છે. શાકભાજી તેમજ ફળોનું ઉત્પાદન ઘટવાને કારણે ભાવમાં ભડકો નોંધાયો છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દાડમ 300 રુપિયે મળી રહ્યું છે. મહત્વનું છે કે ફળોમાં ભાવ વધારાથી ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.