માવઠાને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિમંત્રીની જાહેરાત, સર્વે કરાયા બાદ આપવામાં આવશે સહાય


  • Published By :
  • Published Date : 2023-03-29 16:03:55

વિધાનસભામાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ખેડૂતોને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


સાચી વિગતો આવ્યા બાદ સહાય અપાશે - કૃષિમંત્રી 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થયા છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે કૃષિમંત્રી રાઘવ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


કેરી પકવતા ખેડૂતો માટે પણ કરી જાહેરાત!

મહત્વનું છે કે માવઠાને કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના મોર ખરી પડ્યા હતા. મોટા ભાગની કાચી કેરી બગડી ગઈ છે. ત્યારે આ વખતે કાંતો કેરીની આવકમાં ઘટાડો થશે અથવા તો મોંઘા ભાવે કેરી ખાવી પડશે. 


ક્યારે સર્વે કરાશે અને ક્યારે સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન  

પરંતુ અહીંયા પ્રશ્નએ થાય છે કે આ સર્વે ક્યારે કરવામાં આવશે. નુકસાન થયાના અનેક દિવસો બાદ સર્વે કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કારણ કે જ્યાં સુધી સર્વે નથી કરવામાં આવતો ત્યાં સુધી સર્વેની રાહમાં મુખ્યત્વે ખેડૂતો બેસી રહેતા હોય છે. સર્વે થઈ પણ જાય પરંતુ સહાય આપવામાં ઘણી વખત બહું સમય લાગી જતો હોય છે. ત્યારે વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે આ સહાય સાચે ખેડૂતો પાસે પહોંચે તેવી લોકોને આશા રાખી રહ્યા છે.          




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.