માવઠાને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિમંત્રીની જાહેરાત, સર્વે કરાયા બાદ આપવામાં આવશે સહાય


  • Published By :
  • Published Date : 2023-03-29 16:03:55

વિધાનસભામાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ખેડૂતોને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


સાચી વિગતો આવ્યા બાદ સહાય અપાશે - કૃષિમંત્રી 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થયા છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે કૃષિમંત્રી રાઘવ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


કેરી પકવતા ખેડૂતો માટે પણ કરી જાહેરાત!

મહત્વનું છે કે માવઠાને કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના મોર ખરી પડ્યા હતા. મોટા ભાગની કાચી કેરી બગડી ગઈ છે. ત્યારે આ વખતે કાંતો કેરીની આવકમાં ઘટાડો થશે અથવા તો મોંઘા ભાવે કેરી ખાવી પડશે. 


ક્યારે સર્વે કરાશે અને ક્યારે સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન  

પરંતુ અહીંયા પ્રશ્નએ થાય છે કે આ સર્વે ક્યારે કરવામાં આવશે. નુકસાન થયાના અનેક દિવસો બાદ સર્વે કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કારણ કે જ્યાં સુધી સર્વે નથી કરવામાં આવતો ત્યાં સુધી સર્વેની રાહમાં મુખ્યત્વે ખેડૂતો બેસી રહેતા હોય છે. સર્વે થઈ પણ જાય પરંતુ સહાય આપવામાં ઘણી વખત બહું સમય લાગી જતો હોય છે. ત્યારે વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે આ સહાય સાચે ખેડૂતો પાસે પહોંચે તેવી લોકોને આશા રાખી રહ્યા છે.          




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે