માવઠાને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિમંત્રીની જાહેરાત, સર્વે કરાયા બાદ આપવામાં આવશે સહાય


  • Published By :
  • Published Date : 2023-03-29 16:03:55

વિધાનસભામાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ખેડૂતોને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


સાચી વિગતો આવ્યા બાદ સહાય અપાશે - કૃષિમંત્રી 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થયા છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે કૃષિમંત્રી રાઘવ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


કેરી પકવતા ખેડૂતો માટે પણ કરી જાહેરાત!

મહત્વનું છે કે માવઠાને કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના મોર ખરી પડ્યા હતા. મોટા ભાગની કાચી કેરી બગડી ગઈ છે. ત્યારે આ વખતે કાંતો કેરીની આવકમાં ઘટાડો થશે અથવા તો મોંઘા ભાવે કેરી ખાવી પડશે. 


ક્યારે સર્વે કરાશે અને ક્યારે સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન  

પરંતુ અહીંયા પ્રશ્નએ થાય છે કે આ સર્વે ક્યારે કરવામાં આવશે. નુકસાન થયાના અનેક દિવસો બાદ સર્વે કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કારણ કે જ્યાં સુધી સર્વે નથી કરવામાં આવતો ત્યાં સુધી સર્વેની રાહમાં મુખ્યત્વે ખેડૂતો બેસી રહેતા હોય છે. સર્વે થઈ પણ જાય પરંતુ સહાય આપવામાં ઘણી વખત બહું સમય લાગી જતો હોય છે. ત્યારે વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે આ સહાય સાચે ખેડૂતો પાસે પહોંચે તેવી લોકોને આશા રાખી રહ્યા છે.          




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.