દિલ્હી MCD ચૂંટણી પહેલા ભાજપે લગાવ્યો આમ આદમી પાર્ટી પર પૈસા લઈ ટિકિટ આપવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-21 14:50:16

દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ટિકિટ માટે પૈસા માગી રહી છે. ભાજપના આરોપ પ્રમાણે આપના નેતા ટિકિટ માટે 80 લાખ રૂપિયા માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

ભાજપ અને આપ વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપ

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતી હોય છે. પછી એ ચૂંટણી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે નગર નિગમની હોય. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ત્યારે હિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

સ્ટિંગ ઓપરેશન કરી ભાજપે લગાવ્યા આરોપ

ભાજપે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે આપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વીડિયો જાહેર કરી આપ પર આરોપ લગાવ્યા છે કે ટિકિટ માટે પાર્ટી પૈસા લે છે. પાર્ટી ટિકિટ આપવા માટે 80 લાખ રૂપિયાની માગ કરી રહી છે. આ રૂપિયા ત્રણ ટૂકડામાં આપવાની વાત કરવામાં આવી છે. પ્રથમ હપ્તામાં 20 લાખ રૂપિયાનો હતો તેવી વાત કરવામાં આવી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે રોહિણી ડી વોર્ડ 54માટે ટિકિટ આપવા માટે AAPના નેતા બિંદુથી પૈસા માગ્યા હતા. 

  Don't


અરવિંદ કેજરીવાલે આરોપોને ખોટા ગણાવ્યા

ભાજપ દ્વારા લગાવવામાં આરોપ પરને આમ આદમી પાર્ટીએ નકારી દીધા છે. અરવિંદ કેજરીવાલે આ આરોપને ખોટો ગણાવી દીધો છે.  આરોપનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે તપાસ કરાવી લો કશું જ નહીં મળે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.