દિલ્હી MCD ચૂંટણી પહેલા ભાજપે લગાવ્યો આમ આદમી પાર્ટી પર પૈસા લઈ ટિકિટ આપવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-21 14:50:16

દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ટિકિટ માટે પૈસા માગી રહી છે. ભાજપના આરોપ પ્રમાણે આપના નેતા ટિકિટ માટે 80 લાખ રૂપિયા માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

ભાજપ અને આપ વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપ

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતી હોય છે. પછી એ ચૂંટણી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે નગર નિગમની હોય. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ત્યારે હિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

સ્ટિંગ ઓપરેશન કરી ભાજપે લગાવ્યા આરોપ

ભાજપે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે આપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વીડિયો જાહેર કરી આપ પર આરોપ લગાવ્યા છે કે ટિકિટ માટે પાર્ટી પૈસા લે છે. પાર્ટી ટિકિટ આપવા માટે 80 લાખ રૂપિયાની માગ કરી રહી છે. આ રૂપિયા ત્રણ ટૂકડામાં આપવાની વાત કરવામાં આવી છે. પ્રથમ હપ્તામાં 20 લાખ રૂપિયાનો હતો તેવી વાત કરવામાં આવી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે રોહિણી ડી વોર્ડ 54માટે ટિકિટ આપવા માટે AAPના નેતા બિંદુથી પૈસા માગ્યા હતા. 

  Don't


અરવિંદ કેજરીવાલે આરોપોને ખોટા ગણાવ્યા

ભાજપ દ્વારા લગાવવામાં આરોપ પરને આમ આદમી પાર્ટીએ નકારી દીધા છે. અરવિંદ કેજરીવાલે આ આરોપને ખોટો ગણાવી દીધો છે.  આરોપનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે તપાસ કરાવી લો કશું જ નહીં મળે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.