દિલ્હી MCD ચૂંટણી પહેલા ભાજપે લગાવ્યો આમ આદમી પાર્ટી પર પૈસા લઈ ટિકિટ આપવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-21 14:50:16

દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ટિકિટ માટે પૈસા માગી રહી છે. ભાજપના આરોપ પ્રમાણે આપના નેતા ટિકિટ માટે 80 લાખ રૂપિયા માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

ભાજપ અને આપ વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપ

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતી હોય છે. પછી એ ચૂંટણી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે નગર નિગમની હોય. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ત્યારે હિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

સ્ટિંગ ઓપરેશન કરી ભાજપે લગાવ્યા આરોપ

ભાજપે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે આપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વીડિયો જાહેર કરી આપ પર આરોપ લગાવ્યા છે કે ટિકિટ માટે પાર્ટી પૈસા લે છે. પાર્ટી ટિકિટ આપવા માટે 80 લાખ રૂપિયાની માગ કરી રહી છે. આ રૂપિયા ત્રણ ટૂકડામાં આપવાની વાત કરવામાં આવી છે. પ્રથમ હપ્તામાં 20 લાખ રૂપિયાનો હતો તેવી વાત કરવામાં આવી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે રોહિણી ડી વોર્ડ 54માટે ટિકિટ આપવા માટે AAPના નેતા બિંદુથી પૈસા માગ્યા હતા. 

  Don't


અરવિંદ કેજરીવાલે આરોપોને ખોટા ગણાવ્યા

ભાજપ દ્વારા લગાવવામાં આરોપ પરને આમ આદમી પાર્ટીએ નકારી દીધા છે. અરવિંદ કેજરીવાલે આ આરોપને ખોટો ગણાવી દીધો છે.  આરોપનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે તપાસ કરાવી લો કશું જ નહીં મળે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.