દિલ્હી MCD ચૂંટણી પહેલા ભાજપે લગાવ્યો આમ આદમી પાર્ટી પર પૈસા લઈ ટિકિટ આપવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-21 14:50:16

દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ટિકિટ માટે પૈસા માગી રહી છે. ભાજપના આરોપ પ્રમાણે આપના નેતા ટિકિટ માટે 80 લાખ રૂપિયા માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

ભાજપ અને આપ વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપ

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતી હોય છે. પછી એ ચૂંટણી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે નગર નિગમની હોય. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ત્યારે હિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

સ્ટિંગ ઓપરેશન કરી ભાજપે લગાવ્યા આરોપ

ભાજપે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે આપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વીડિયો જાહેર કરી આપ પર આરોપ લગાવ્યા છે કે ટિકિટ માટે પાર્ટી પૈસા લે છે. પાર્ટી ટિકિટ આપવા માટે 80 લાખ રૂપિયાની માગ કરી રહી છે. આ રૂપિયા ત્રણ ટૂકડામાં આપવાની વાત કરવામાં આવી છે. પ્રથમ હપ્તામાં 20 લાખ રૂપિયાનો હતો તેવી વાત કરવામાં આવી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે રોહિણી ડી વોર્ડ 54માટે ટિકિટ આપવા માટે AAPના નેતા બિંદુથી પૈસા માગ્યા હતા. 

  Don't


અરવિંદ કેજરીવાલે આરોપોને ખોટા ગણાવ્યા

ભાજપ દ્વારા લગાવવામાં આરોપ પરને આમ આદમી પાર્ટીએ નકારી દીધા છે. અરવિંદ કેજરીવાલે આ આરોપને ખોટો ગણાવી દીધો છે.  આરોપનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે તપાસ કરાવી લો કશું જ નહીં મળે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે