હનુમાન જયંતી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી, રાજ્ય સરકારને સતર્ક રહેવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-05 15:24:13

હનુમાન જયંતીની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ પર શોભાયાત્રા સહિત મોટા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હનુમાન જયંતીને લઈ ગૃહમંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવું નિશ્ચિત કરવા સરકારને કહેવામાં આવ્યું છે.


રામ નવમી જેવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલય એક્શન મોડમાં 

6 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પાવન પર્વ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓ પર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય ઉપરાંત શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખે તેવી વાત કરવામાં આવી છે.


અનેક રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા 

મહત્વનું છે કે રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર સહિત મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા અમુક દિવસો સુધી ચાલી હતી. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હનુમાન જયંતીના દિવસે ફરી આવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ મામલો શાંત કરવા પોલીસ પહોંચી ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત અનેક વાહનોને આગ પણ લગાડી દેવામાં આવી હતી.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.