હનુમાન જયંતી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી, રાજ્ય સરકારને સતર્ક રહેવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-05 15:24:13

હનુમાન જયંતીની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ પર શોભાયાત્રા સહિત મોટા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હનુમાન જયંતીને લઈ ગૃહમંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવું નિશ્ચિત કરવા સરકારને કહેવામાં આવ્યું છે.


રામ નવમી જેવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલય એક્શન મોડમાં 

6 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પાવન પર્વ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓ પર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય ઉપરાંત શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખે તેવી વાત કરવામાં આવી છે.


અનેક રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા 

મહત્વનું છે કે રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર સહિત મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા અમુક દિવસો સુધી ચાલી હતી. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હનુમાન જયંતીના દિવસે ફરી આવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ મામલો શાંત કરવા પોલીસ પહોંચી ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત અનેક વાહનોને આગ પણ લગાડી દેવામાં આવી હતી.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.