હનુમાન જયંતી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી, રાજ્ય સરકારને સતર્ક રહેવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-05 15:24:13

હનુમાન જયંતીની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ પર શોભાયાત્રા સહિત મોટા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હનુમાન જયંતીને લઈ ગૃહમંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવું નિશ્ચિત કરવા સરકારને કહેવામાં આવ્યું છે.


રામ નવમી જેવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલય એક્શન મોડમાં 

6 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પાવન પર્વ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓ પર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય ઉપરાંત શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખે તેવી વાત કરવામાં આવી છે.


અનેક રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા 

મહત્વનું છે કે રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર સહિત મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા અમુક દિવસો સુધી ચાલી હતી. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હનુમાન જયંતીના દિવસે ફરી આવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ મામલો શાંત કરવા પોલીસ પહોંચી ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત અનેક વાહનોને આગ પણ લગાડી દેવામાં આવી હતી.         




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.