હનુમાન જયંતી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી, રાજ્ય સરકારને સતર્ક રહેવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-05 15:24:13

હનુમાન જયંતીની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ પર શોભાયાત્રા સહિત મોટા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હનુમાન જયંતીને લઈ ગૃહમંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવું નિશ્ચિત કરવા સરકારને કહેવામાં આવ્યું છે.


રામ નવમી જેવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલય એક્શન મોડમાં 

6 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પાવન પર્વ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓ પર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય ઉપરાંત શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખે તેવી વાત કરવામાં આવી છે.


અનેક રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા 

મહત્વનું છે કે રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર સહિત મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા અમુક દિવસો સુધી ચાલી હતી. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હનુમાન જયંતીના દિવસે ફરી આવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ મામલો શાંત કરવા પોલીસ પહોંચી ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત અનેક વાહનોને આગ પણ લગાડી દેવામાં આવી હતી.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.