ચૂંટણી પહેલા BJP-AAP આમને-સામને, બંને પાર્ટીએ એક બીજા પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:52:10

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને અને એક બીજા પર પ્રહાર કરતી દેખાય છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના ઘરમાં આત્યમહત્યા કરી લીધી છે. ક્યા કારણોસર તેમણે આત્મહત્યા કરી હજી જાણી શકાયું નથી. ત્યારે તેમના મોતને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ આત્મહત્યાને ટિકિટ સાથે જોડી દીધી.

સંદીપ ભારદ્વાજની મોતને મનીષ તિવારીએ હત્યા ગણાવી  

આ આત્મહત્યાને લઈ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ટિકિટને લઈ સંદીપને વિશ્વાસ હતો કે તેને ટિકિટ આપવામાં આવશે પરંતુ પૈસા લઈ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી ગઈ. વધુમાં તેમણે કહ્યું કે મોત પર દુખ વ્યક્ત કરવાની બદલીમાં નેતાઓ પોતાના જૂના ભાષણો આપી રહ્યા છે. ભાજપ આ ઘટના બાદ ચૂપ નહીં બેસે કારણ કે ભાજપ માટે દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે.


મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

મનોજ તિવારીના આવા આક્ષેપ બાદ મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત ભાજર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માગે છે. ગુજરાત અને એમસીડી ચૂંટણીને લઈ ભાજપ ડરી ગઈ છે જેને કારણે કેજરીવાલને મારવાનું ષડયંત્ર ભાજપ કરી રહી છે. સંદીપ ભારદ્વાજની મોત પર મનીષે કહ્યું કે ટિકિટને અને તેમના મોતને જોડવા નહીં. ઉપરાંત આમ આદમી પાર્ટી મનોજ તિવારી પર FIR દર્જ કરાવશે. 

    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.