ચૂંટણી પહેલા BJP-AAP આમને-સામને, બંને પાર્ટીએ એક બીજા પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:52:10

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને અને એક બીજા પર પ્રહાર કરતી દેખાય છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના ઘરમાં આત્યમહત્યા કરી લીધી છે. ક્યા કારણોસર તેમણે આત્મહત્યા કરી હજી જાણી શકાયું નથી. ત્યારે તેમના મોતને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ આત્મહત્યાને ટિકિટ સાથે જોડી દીધી.

સંદીપ ભારદ્વાજની મોતને મનીષ તિવારીએ હત્યા ગણાવી  

આ આત્મહત્યાને લઈ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ટિકિટને લઈ સંદીપને વિશ્વાસ હતો કે તેને ટિકિટ આપવામાં આવશે પરંતુ પૈસા લઈ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી ગઈ. વધુમાં તેમણે કહ્યું કે મોત પર દુખ વ્યક્ત કરવાની બદલીમાં નેતાઓ પોતાના જૂના ભાષણો આપી રહ્યા છે. ભાજપ આ ઘટના બાદ ચૂપ નહીં બેસે કારણ કે ભાજપ માટે દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે.


મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

મનોજ તિવારીના આવા આક્ષેપ બાદ મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત ભાજર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માગે છે. ગુજરાત અને એમસીડી ચૂંટણીને લઈ ભાજપ ડરી ગઈ છે જેને કારણે કેજરીવાલને મારવાનું ષડયંત્ર ભાજપ કરી રહી છે. સંદીપ ભારદ્વાજની મોત પર મનીષે કહ્યું કે ટિકિટને અને તેમના મોતને જોડવા નહીં. ઉપરાંત આમ આદમી પાર્ટી મનોજ તિવારી પર FIR દર્જ કરાવશે. 

    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે