ચૂંટણી પહેલા BJP-AAP આમને-સામને, બંને પાર્ટીએ એક બીજા પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:52:10

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને અને એક બીજા પર પ્રહાર કરતી દેખાય છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના ઘરમાં આત્યમહત્યા કરી લીધી છે. ક્યા કારણોસર તેમણે આત્મહત્યા કરી હજી જાણી શકાયું નથી. ત્યારે તેમના મોતને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ આત્મહત્યાને ટિકિટ સાથે જોડી દીધી.

સંદીપ ભારદ્વાજની મોતને મનીષ તિવારીએ હત્યા ગણાવી  

આ આત્મહત્યાને લઈ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ટિકિટને લઈ સંદીપને વિશ્વાસ હતો કે તેને ટિકિટ આપવામાં આવશે પરંતુ પૈસા લઈ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી ગઈ. વધુમાં તેમણે કહ્યું કે મોત પર દુખ વ્યક્ત કરવાની બદલીમાં નેતાઓ પોતાના જૂના ભાષણો આપી રહ્યા છે. ભાજપ આ ઘટના બાદ ચૂપ નહીં બેસે કારણ કે ભાજપ માટે દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે.


મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

મનોજ તિવારીના આવા આક્ષેપ બાદ મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત ભાજર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માગે છે. ગુજરાત અને એમસીડી ચૂંટણીને લઈ ભાજપ ડરી ગઈ છે જેને કારણે કેજરીવાલને મારવાનું ષડયંત્ર ભાજપ કરી રહી છે. સંદીપ ભારદ્વાજની મોત પર મનીષે કહ્યું કે ટિકિટને અને તેમના મોતને જોડવા નહીં. ઉપરાંત આમ આદમી પાર્ટી મનોજ તિવારી પર FIR દર્જ કરાવશે. 

    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.