ચૂંટણી પહેલા BJP-AAP આમને-સામને, બંને પાર્ટીએ એક બીજા પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:52:10

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને અને એક બીજા પર પ્રહાર કરતી દેખાય છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના ઘરમાં આત્યમહત્યા કરી લીધી છે. ક્યા કારણોસર તેમણે આત્મહત્યા કરી હજી જાણી શકાયું નથી. ત્યારે તેમના મોતને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ આત્મહત્યાને ટિકિટ સાથે જોડી દીધી.

સંદીપ ભારદ્વાજની મોતને મનીષ તિવારીએ હત્યા ગણાવી  

આ આત્મહત્યાને લઈ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ટિકિટને લઈ સંદીપને વિશ્વાસ હતો કે તેને ટિકિટ આપવામાં આવશે પરંતુ પૈસા લઈ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી ગઈ. વધુમાં તેમણે કહ્યું કે મોત પર દુખ વ્યક્ત કરવાની બદલીમાં નેતાઓ પોતાના જૂના ભાષણો આપી રહ્યા છે. ભાજપ આ ઘટના બાદ ચૂપ નહીં બેસે કારણ કે ભાજપ માટે દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે.


મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

મનોજ તિવારીના આવા આક્ષેપ બાદ મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત ભાજર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માગે છે. ગુજરાત અને એમસીડી ચૂંટણીને લઈ ભાજપ ડરી ગઈ છે જેને કારણે કેજરીવાલને મારવાનું ષડયંત્ર ભાજપ કરી રહી છે. સંદીપ ભારદ્વાજની મોત પર મનીષે કહ્યું કે ટિકિટને અને તેમના મોતને જોડવા નહીં. ઉપરાંત આમ આદમી પાર્ટી મનોજ તિવારી પર FIR દર્જ કરાવશે. 

    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.