અમદાવાદઃ વાડજના ભરવાડવાસમાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:27:35

માલધારી સમાજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરી છે તેની વચ્ચે અમદાવાદના વાડજ ગામના ભરવાડ વાસમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજે પોસ્ટર લગાવી ભાજપના કોઈ પણ વ્યક્તિને ગામમાં નહીં પ્રવેશવા માટે લખાણ લખ્યું છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પણ પરત લીધો છે તેની વચ્ચે માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. 


ગુજરાતભરમાં માલધારી સમાજનો વિરોધ 

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ વિધેયક લાગ્યા હતા તે સામે ગુજરાતમાં માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. સરકારે કાયદો તો પરત લઈ લીધો પરંતુ માલધારી સમાજનું માનવું છે કે હજુ અમારી એક જ માગણી સ્વીકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી અમારી તમામ માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .