અમદાવાદઃ વાડજના ભરવાડવાસમાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:27:35

માલધારી સમાજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરી છે તેની વચ્ચે અમદાવાદના વાડજ ગામના ભરવાડ વાસમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજે પોસ્ટર લગાવી ભાજપના કોઈ પણ વ્યક્તિને ગામમાં નહીં પ્રવેશવા માટે લખાણ લખ્યું છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પણ પરત લીધો છે તેની વચ્ચે માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. 


ગુજરાતભરમાં માલધારી સમાજનો વિરોધ 

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ વિધેયક લાગ્યા હતા તે સામે ગુજરાતમાં માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. સરકારે કાયદો તો પરત લઈ લીધો પરંતુ માલધારી સમાજનું માનવું છે કે હજુ અમારી એક જ માગણી સ્વીકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી અમારી તમામ માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે