અમદાવાદઃ વાડજના ભરવાડવાસમાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:27:35

માલધારી સમાજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરી છે તેની વચ્ચે અમદાવાદના વાડજ ગામના ભરવાડ વાસમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજે પોસ્ટર લગાવી ભાજપના કોઈ પણ વ્યક્તિને ગામમાં નહીં પ્રવેશવા માટે લખાણ લખ્યું છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પણ પરત લીધો છે તેની વચ્ચે માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. 


ગુજરાતભરમાં માલધારી સમાજનો વિરોધ 

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ વિધેયક લાગ્યા હતા તે સામે ગુજરાતમાં માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. સરકારે કાયદો તો પરત લઈ લીધો પરંતુ માલધારી સમાજનું માનવું છે કે હજુ અમારી એક જ માગણી સ્વીકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી અમારી તમામ માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..