અમદાવાદઃ નિકોલ વિધાનસભામાં BJPના કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:57:46

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારના ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. નિકોલ વિધાનસભા ક્ષેત્રમાં જગદીશ પંચાલના વિરોધના પોસ્ટરો લગાવાયા છે. 


"પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે"

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપ્યા છે અને અનેક નેતાઓને ચાન્સ આપ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલથી ઉપરના નેતાઓ તો ખુશ છે પણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં વિરોધની જ્વાળા સળગી રહી છે તેવું લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે મળવું હોય તો મળી લો બાકી પાંચ વર્ષ બાદ આગામી ચૂંટણીમાં મળીશું. પોસ્ટમાં એવું લખાયું છે કે જેના પર અમિત શાહનો હાથ હોય તેની ટિકિટ કોણ રોકી શકે? પોસ્ટરમાં લખાયું છે કે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે. 


ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવશે. ત્રણેય પક્ષની અંદર ઉપરના નેતા સામે રોષ વ્યક્ત કરતી ઘટનાઓ નજરે આવી શકે છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"