અમદાવાદઃ નિકોલ વિધાનસભામાં BJPના કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:57:46

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારના ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. નિકોલ વિધાનસભા ક્ષેત્રમાં જગદીશ પંચાલના વિરોધના પોસ્ટરો લગાવાયા છે. 


"પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે"

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપ્યા છે અને અનેક નેતાઓને ચાન્સ આપ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલથી ઉપરના નેતાઓ તો ખુશ છે પણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં વિરોધની જ્વાળા સળગી રહી છે તેવું લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે મળવું હોય તો મળી લો બાકી પાંચ વર્ષ બાદ આગામી ચૂંટણીમાં મળીશું. પોસ્ટમાં એવું લખાયું છે કે જેના પર અમિત શાહનો હાથ હોય તેની ટિકિટ કોણ રોકી શકે? પોસ્ટરમાં લખાયું છે કે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે. 


ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવશે. ત્રણેય પક્ષની અંદર ઉપરના નેતા સામે રોષ વ્યક્ત કરતી ઘટનાઓ નજરે આવી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.