અમદાવાદઃ નિકોલ વિધાનસભામાં BJPના કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:57:46

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારના ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. નિકોલ વિધાનસભા ક્ષેત્રમાં જગદીશ પંચાલના વિરોધના પોસ્ટરો લગાવાયા છે. 


"પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે"

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપ્યા છે અને અનેક નેતાઓને ચાન્સ આપ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલથી ઉપરના નેતાઓ તો ખુશ છે પણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં વિરોધની જ્વાળા સળગી રહી છે તેવું લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે મળવું હોય તો મળી લો બાકી પાંચ વર્ષ બાદ આગામી ચૂંટણીમાં મળીશું. પોસ્ટમાં એવું લખાયું છે કે જેના પર અમિત શાહનો હાથ હોય તેની ટિકિટ કોણ રોકી શકે? પોસ્ટરમાં લખાયું છે કે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે. 


ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવશે. ત્રણેય પક્ષની અંદર ઉપરના નેતા સામે રોષ વ્યક્ત કરતી ઘટનાઓ નજરે આવી શકે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.