અમદાવાદઃ નિકોલ વિધાનસભામાં BJPના કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:57:46

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારના ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. નિકોલ વિધાનસભા ક્ષેત્રમાં જગદીશ પંચાલના વિરોધના પોસ્ટરો લગાવાયા છે. 


"પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે"

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપ્યા છે અને અનેક નેતાઓને ચાન્સ આપ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલથી ઉપરના નેતાઓ તો ખુશ છે પણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં વિરોધની જ્વાળા સળગી રહી છે તેવું લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે મળવું હોય તો મળી લો બાકી પાંચ વર્ષ બાદ આગામી ચૂંટણીમાં મળીશું. પોસ્ટમાં એવું લખાયું છે કે જેના પર અમિત શાહનો હાથ હોય તેની ટિકિટ કોણ રોકી શકે? પોસ્ટરમાં લખાયું છે કે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે. 


ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવશે. ત્રણેય પક્ષની અંદર ઉપરના નેતા સામે રોષ વ્યક્ત કરતી ઘટનાઓ નજરે આવી શકે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.