જિજ્ઞેશ મેવાણીને કોર્ટે ફટકારી 6 મહિનાની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:52:44

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 6 મહિનાની સજા ફટકારી છે. 2016માં બનેલી ઘટનાનો ચૂકાદો આપતા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 લોકોને 6 મહિનાની સજા કરી છે. 

કેમ કરવામાં આવી સજા?

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માગ સાથે જિજ્ઞેશ મેવાણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વિજય ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડને લાંબા સમય સુધી બંધ રખાતા પોલીસે જિજ્ઞેશ મેવાણી સહીત 19 લોકોની અટકાયત કરી હતી અને કેસ ચલાયો હતો. ત્યારે કોર્ટનો ચુકાદો આવતા જિજ્ઞેશ મેવાણીએ લખ્યું કે आंदोलनकारियों को सज़ा और बलात्कारियों को रिहाई.   



લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.