અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ-DRIની મોટી સફળતા, ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્ર્ગ્સનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-22 17:43:13

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ઔરંગાબાદમાં આવેલી ફેક્ટરીમાંથી 500 કરોડ રૂપિયાના કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ  જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું તેવી ત્રણ કંપનીઓ પર રેડ પાડી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ડ્રગ્સ કેસમાં હાથ ધરાયેલું મેગા ઓપરેશન સફળ રહ્યું છે.

 

ત્રણ લોકોની ધરપકડ કરાઈ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાં કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે DRIની મદદ લીધી હતી. એક્શન પ્લાન મુજબ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તપાસ શરૂ કરી. ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ ત્રણ અલગ-અલગ કંપનીઓને પકડી પાડી જેમાં દવાઓનું ઉત્પાદન થતું હતું. તપાસ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.


સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ રૂ. 200 કરોડનું ડ્રગ્સ અને રૂ. 300 કરોડનો કાચો માલ સાથે કુલ રૂ. 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ફેક્ટરીમાં બનતી દવાઓ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલમાં જ્યાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તેની તપાસમાં વ્યસ્ત છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાયા બાદ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી