અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ-DRIની મોટી સફળતા, ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્ર્ગ્સનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-22 17:43:13

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ઔરંગાબાદમાં આવેલી ફેક્ટરીમાંથી 500 કરોડ રૂપિયાના કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ  જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું તેવી ત્રણ કંપનીઓ પર રેડ પાડી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ડ્રગ્સ કેસમાં હાથ ધરાયેલું મેગા ઓપરેશન સફળ રહ્યું છે.

 

ત્રણ લોકોની ધરપકડ કરાઈ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાં કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે DRIની મદદ લીધી હતી. એક્શન પ્લાન મુજબ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તપાસ શરૂ કરી. ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ ત્રણ અલગ-અલગ કંપનીઓને પકડી પાડી જેમાં દવાઓનું ઉત્પાદન થતું હતું. તપાસ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.


સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ રૂ. 200 કરોડનું ડ્રગ્સ અને રૂ. 300 કરોડનો કાચો માલ સાથે કુલ રૂ. 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ફેક્ટરીમાં બનતી દવાઓ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલમાં જ્યાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તેની તપાસમાં વ્યસ્ત છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાયા બાદ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.