અમદાવાદના ચાંદલોડિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, હત્યારો મિત્રના મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનમાં થયો હાજર


  • Published By :
  • Published Date : 2023-10-15 15:07:43

રાજ્યમાં પ્રેમ પ્રકરણો અને આડા સંબંધોને હત્યાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં એક યુવકે તેના મિત્રની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે આજે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ નામના એક યુવકની તેના મિત્ર વેદાંતે કારમાં છરા વડે હત્યા કરી હતી. રવિવારે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ છરી વડે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.


શા માટે કરી હત્યા?


આરોપી વેદાંત જ્યારે તેના મિત્રના મૃતદેહ સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા. જે બાદ સોલા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે હત્યારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી તે બાબત તો વેદાંતની પૂછપરછ બાદ જ સામે આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી