અમદાવાદના ચાંદલોડિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, હત્યારો મિત્રના મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનમાં થયો હાજર


  • Published By :
  • Published Date : 2023-10-15 15:07:43

રાજ્યમાં પ્રેમ પ્રકરણો અને આડા સંબંધોને હત્યાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં એક યુવકે તેના મિત્રની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે આજે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ નામના એક યુવકની તેના મિત્ર વેદાંતે કારમાં છરા વડે હત્યા કરી હતી. રવિવારે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ છરી વડે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.


શા માટે કરી હત્યા?


આરોપી વેદાંત જ્યારે તેના મિત્રના મૃતદેહ સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા. જે બાદ સોલા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે હત્યારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી તે બાબત તો વેદાંતની પૂછપરછ બાદ જ સામે આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.