Ahmedabad DEOએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આવતાની સાથે જ શિક્ષકોને જમા કરાવી પડશે આ વસ્તુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 14:51:01

શિક્ષણ વિભાગ ઘણા સમયથી એવા નિર્ણયો લઈ રહ્યું છે તે બિરદાવવા જેવું છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો અનેક વખત ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોન વાપરતા દેખાય છે. છોકરાનોને જે કરવું હોય તે કરે, પરંતુ તે તો પોતાની મસ્તીમાં એટલે કે મોબાઈલમાં જ ઘૂસેલા દેખાતા હોય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રિસેસ સિવાય મોબાઈલ ફોન ન વાપરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.   

શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો નહીં કરી શકે મોબાઈલનો ઉપયોગ 

મોબાઈલના ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો તો ઠીક પરંતુ નાના બાળકો પણ મોબાઈલના આધીન જોવા મળી રહ્યા છે. જો જમતી વખતે તેમને મોબાઈલ ન મળે તો તે જમતા નથી. જોબ કરતા અનેક લોકો એવા હોય છે જે વર્કિંગ અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા દેખાય છે. મોબાઈલનો ઉપયોગ કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. કામના કલાકો દરમિયાન શિક્ષકો પણ મોબાઈલ વાપરતા દેખાય છે. એવા અનેક વીડિયો સામે આવતા હોય છે આ વાતને સાચી સાબિત કરે છે. પરંતુ જો તમે અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તમે ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન મોબાઈલ ફોન નહીં વાપરી શકો. 



શાળામાં પ્રવેશતાની સાથે પ્રિન્સિપલને જમા કરાવવો પડશે ફોન 

અમદાવાદના ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષક શાળામાં પ્રવેશ કરશે, ત્યારે તેમને પોતાનો ફોન જમા કરાવવો પડશે. સ્કૂલના પ્રિન્સિપલને ફોન આપવાનો રહેશે.જ્યારે રિસેસ ટાઈમ હશે ત્યારે જ તેઓ ફોન વાપરી શકશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.