Ahmedabad DEOએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આવતાની સાથે જ શિક્ષકોને જમા કરાવી પડશે આ વસ્તુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 14:51:01

શિક્ષણ વિભાગ ઘણા સમયથી એવા નિર્ણયો લઈ રહ્યું છે તે બિરદાવવા જેવું છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો અનેક વખત ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોન વાપરતા દેખાય છે. છોકરાનોને જે કરવું હોય તે કરે, પરંતુ તે તો પોતાની મસ્તીમાં એટલે કે મોબાઈલમાં જ ઘૂસેલા દેખાતા હોય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રિસેસ સિવાય મોબાઈલ ફોન ન વાપરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.   

શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો નહીં કરી શકે મોબાઈલનો ઉપયોગ 

મોબાઈલના ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો તો ઠીક પરંતુ નાના બાળકો પણ મોબાઈલના આધીન જોવા મળી રહ્યા છે. જો જમતી વખતે તેમને મોબાઈલ ન મળે તો તે જમતા નથી. જોબ કરતા અનેક લોકો એવા હોય છે જે વર્કિંગ અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા દેખાય છે. મોબાઈલનો ઉપયોગ કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. કામના કલાકો દરમિયાન શિક્ષકો પણ મોબાઈલ વાપરતા દેખાય છે. એવા અનેક વીડિયો સામે આવતા હોય છે આ વાતને સાચી સાબિત કરે છે. પરંતુ જો તમે અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તમે ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન મોબાઈલ ફોન નહીં વાપરી શકો. 



શાળામાં પ્રવેશતાની સાથે પ્રિન્સિપલને જમા કરાવવો પડશે ફોન 

અમદાવાદના ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષક શાળામાં પ્રવેશ કરશે, ત્યારે તેમને પોતાનો ફોન જમા કરાવવો પડશે. સ્કૂલના પ્રિન્સિપલને ફોન આપવાનો રહેશે.જ્યારે રિસેસ ટાઈમ હશે ત્યારે જ તેઓ ફોન વાપરી શકશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી