Ahmedabad : Divorce બાદ પણ પૂર્વ પતિ પત્નીની જીંદગીમાં કરે છે દખલઅંદાજી, કરે છે મારપીટ! પોલીસને કરી જાણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 18:32:58

પાગલ પ્રેમીઓ તો હાનીકારક છે સમાજ માટે પરંતુ હવે તો પૂર્વ પતિ પણ સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. અનેક વખત સાંભળ્યું હશે કે પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કર્યો પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે પણ આવો જ છે. માત્ર ફરખ એટલો છે કે આ વખતે કોઈ પ્રેમી નહીં પરંતુ મહિલાનો તેનો પૂર્વ પતિ હતો. અમદાવાદમાં રહેતા ટ્વિંકલ આશીષ વસાણી પર તેના પૂર્વ પતિએ હુમલો કર્યો છે. 2014માં ટ્વિંકલે પ્રેમ લગ્ન કરણ કોટવાર સાથે કર્યા. થોડા વર્ષો બાદ ટ્વિંકલે તેના પતિ કરણ સાથે છુટાછેડા કરી લીધા.   

આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી  પડશે રાહ | India News in Gujarati

2014માં થયા લગ્ન અને પછી થઈ ગયા છૂટાછેડા

પત્ની પર હુમલા થતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. સમાજમાંથી એવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હોય છે. વર્ષો સુધી લગ્ન સારા હોય પરંતુ કોઈને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં 28 વર્ષ  ટ્વિંકલના લગ્ન કરણ કોટવાર સાથે 2014માં થયા હતા. સંતાનમાં તેમને 8 વર્ષની દીકરી છે. ઝઘડા થવાને કારણે બંને પતિ પત્ની અલગ થઈ ગયા. તેમના છૂટાછેડા પણ થઈ ગયા. છૂટાછેડા થતા પત્ની પોતાની લાઈફને જિવવા લાગી હતી. ટ્વિંકલનો એક મિત્ર છે જેનું નામ ઋષિકેશ છે. ટ્વિંકલની દીકરીને લાવવા મૂકવા માટે અનેક વખત તે તેના ઘરે આવતો.

પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યો

ટ્વિંકલ પર કરાયો હુમલો! 

આ વાતની જાણ ટ્વિંકલના પૂર્વ પતિને થઈ અને તે ત્યાં આવી પહોંચ્યો જ્યાં ટ્વિંકલ રહેતી હતી. 26-12-23ના રોજ ટ્વિંકલનો પૂર્વ પતિ ટ્વિંકલના ઘરે આવ્યો અને તેને ધમકાઈ, તેની પર હુમલો કર્યો, તેને માનસિક ત્રાસ આપ્યો. પેલો વ્યક્તિ શું કામ આવે છે, લેવા મૂકવા શું કામ આવે છે તેવા પ્રશ્નો ટ્વિંકલના પતિએ પૂછ્યા.  આ બધા વચ્ચે કરણના ભાઈએ તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને જેને કારણે તેની આંગળી પર ઈજા પહોંચી. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે ગુન્હો પણ નોંધ્યો છે. મહત્વનું છે કે છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ પૂર્વ પત્નીના લાઈફમાં ઈન્ટરફિયર ના કરી શકે. તેવી જ રીતે પત્ની પણ પૂર્વ પતિના પર્સનલ લાઈફમાં ઈન્ટરફિયર ન કરી શકે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે