Ahmedabad : Divorce બાદ પણ પૂર્વ પતિ પત્નીની જીંદગીમાં કરે છે દખલઅંદાજી, કરે છે મારપીટ! પોલીસને કરી જાણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 18:32:58

પાગલ પ્રેમીઓ તો હાનીકારક છે સમાજ માટે પરંતુ હવે તો પૂર્વ પતિ પણ સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. અનેક વખત સાંભળ્યું હશે કે પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કર્યો પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે પણ આવો જ છે. માત્ર ફરખ એટલો છે કે આ વખતે કોઈ પ્રેમી નહીં પરંતુ મહિલાનો તેનો પૂર્વ પતિ હતો. અમદાવાદમાં રહેતા ટ્વિંકલ આશીષ વસાણી પર તેના પૂર્વ પતિએ હુમલો કર્યો છે. 2014માં ટ્વિંકલે પ્રેમ લગ્ન કરણ કોટવાર સાથે કર્યા. થોડા વર્ષો બાદ ટ્વિંકલે તેના પતિ કરણ સાથે છુટાછેડા કરી લીધા.   

આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી  પડશે રાહ | India News in Gujarati

2014માં થયા લગ્ન અને પછી થઈ ગયા છૂટાછેડા

પત્ની પર હુમલા થતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. સમાજમાંથી એવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હોય છે. વર્ષો સુધી લગ્ન સારા હોય પરંતુ કોઈને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં 28 વર્ષ  ટ્વિંકલના લગ્ન કરણ કોટવાર સાથે 2014માં થયા હતા. સંતાનમાં તેમને 8 વર્ષની દીકરી છે. ઝઘડા થવાને કારણે બંને પતિ પત્ની અલગ થઈ ગયા. તેમના છૂટાછેડા પણ થઈ ગયા. છૂટાછેડા થતા પત્ની પોતાની લાઈફને જિવવા લાગી હતી. ટ્વિંકલનો એક મિત્ર છે જેનું નામ ઋષિકેશ છે. ટ્વિંકલની દીકરીને લાવવા મૂકવા માટે અનેક વખત તે તેના ઘરે આવતો.

પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યો

ટ્વિંકલ પર કરાયો હુમલો! 

આ વાતની જાણ ટ્વિંકલના પૂર્વ પતિને થઈ અને તે ત્યાં આવી પહોંચ્યો જ્યાં ટ્વિંકલ રહેતી હતી. 26-12-23ના રોજ ટ્વિંકલનો પૂર્વ પતિ ટ્વિંકલના ઘરે આવ્યો અને તેને ધમકાઈ, તેની પર હુમલો કર્યો, તેને માનસિક ત્રાસ આપ્યો. પેલો વ્યક્તિ શું કામ આવે છે, લેવા મૂકવા શું કામ આવે છે તેવા પ્રશ્નો ટ્વિંકલના પતિએ પૂછ્યા.  આ બધા વચ્ચે કરણના ભાઈએ તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને જેને કારણે તેની આંગળી પર ઈજા પહોંચી. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે ગુન્હો પણ નોંધ્યો છે. મહત્વનું છે કે છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ પૂર્વ પત્નીના લાઈફમાં ઈન્ટરફિયર ના કરી શકે. તેવી જ રીતે પત્ની પણ પૂર્વ પતિના પર્સનલ લાઈફમાં ઈન્ટરફિયર ન કરી શકે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.