Ahmedabad : Divorce બાદ પણ પૂર્વ પતિ પત્નીની જીંદગીમાં કરે છે દખલઅંદાજી, કરે છે મારપીટ! પોલીસને કરી જાણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 18:32:58

પાગલ પ્રેમીઓ તો હાનીકારક છે સમાજ માટે પરંતુ હવે તો પૂર્વ પતિ પણ સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. અનેક વખત સાંભળ્યું હશે કે પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કર્યો પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે પણ આવો જ છે. માત્ર ફરખ એટલો છે કે આ વખતે કોઈ પ્રેમી નહીં પરંતુ મહિલાનો તેનો પૂર્વ પતિ હતો. અમદાવાદમાં રહેતા ટ્વિંકલ આશીષ વસાણી પર તેના પૂર્વ પતિએ હુમલો કર્યો છે. 2014માં ટ્વિંકલે પ્રેમ લગ્ન કરણ કોટવાર સાથે કર્યા. થોડા વર્ષો બાદ ટ્વિંકલે તેના પતિ કરણ સાથે છુટાછેડા કરી લીધા.   

આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી  પડશે રાહ | India News in Gujarati

2014માં થયા લગ્ન અને પછી થઈ ગયા છૂટાછેડા

પત્ની પર હુમલા થતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. સમાજમાંથી એવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હોય છે. વર્ષો સુધી લગ્ન સારા હોય પરંતુ કોઈને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં 28 વર્ષ  ટ્વિંકલના લગ્ન કરણ કોટવાર સાથે 2014માં થયા હતા. સંતાનમાં તેમને 8 વર્ષની દીકરી છે. ઝઘડા થવાને કારણે બંને પતિ પત્ની અલગ થઈ ગયા. તેમના છૂટાછેડા પણ થઈ ગયા. છૂટાછેડા થતા પત્ની પોતાની લાઈફને જિવવા લાગી હતી. ટ્વિંકલનો એક મિત્ર છે જેનું નામ ઋષિકેશ છે. ટ્વિંકલની દીકરીને લાવવા મૂકવા માટે અનેક વખત તે તેના ઘરે આવતો.

પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યો

ટ્વિંકલ પર કરાયો હુમલો! 

આ વાતની જાણ ટ્વિંકલના પૂર્વ પતિને થઈ અને તે ત્યાં આવી પહોંચ્યો જ્યાં ટ્વિંકલ રહેતી હતી. 26-12-23ના રોજ ટ્વિંકલનો પૂર્વ પતિ ટ્વિંકલના ઘરે આવ્યો અને તેને ધમકાઈ, તેની પર હુમલો કર્યો, તેને માનસિક ત્રાસ આપ્યો. પેલો વ્યક્તિ શું કામ આવે છે, લેવા મૂકવા શું કામ આવે છે તેવા પ્રશ્નો ટ્વિંકલના પતિએ પૂછ્યા.  આ બધા વચ્ચે કરણના ભાઈએ તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને જેને કારણે તેની આંગળી પર ઈજા પહોંચી. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે ગુન્હો પણ નોંધ્યો છે. મહત્વનું છે કે છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ પૂર્વ પત્નીના લાઈફમાં ઈન્ટરફિયર ના કરી શકે. તેવી જ રીતે પત્ની પણ પૂર્વ પતિના પર્સનલ લાઈફમાં ઈન્ટરફિયર ન કરી શકે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.