અમદાવાદ: 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો, જાણો કેટલો છે ટિકિટનો ભાવ


  • Published By :
  • Published Date : 2023-12-21 17:40:41

અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોનું લોકોને ખૂબ આકર્ષણ રહે છે. આ ફ્લાવર શોને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આગામી તારીખ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે યોજાનારા ફ્લાવર શોનું સૌથી મોટું આકર્ષણ સરદાર પટેલનું સુંદર પુતળું છે. તે ઉપરાંત 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે. જો કે સૌથી મોટી ચર્ચાનો વિષય ફ્લાવર શોની ટિકિટના ઊંચા ભાવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 ડિસેમ્બરે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરીને મુલાકાતઓ માટે ખુલ્લો મુકશે અને તેની ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટરમાંથી મળી રહેશે. 


કેટલો છે ફ્લાવર શોની ટિકિટનો દર?


અમદાવાદ ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ કરતાં ટિકિટનો ભાવ લગભગ ડબલ રાખવામાં આવ્યો છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે. આ વખતે ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે. 


ફ્લાવર શોનું શું છે મુખ્ય આકર્ષણ?


આ વર્ષે ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલનું સ્ટેચ્યુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં  કાર્ટુન કેરેક્ટર, નવું સંસદ ભવન, સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK 3 રોકેટનું સ્કલ્પચર મુખ્ય છે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડ તથા લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી