અમદાવાદ:રિવર ફ્રન્ટની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો આટલું ખાસ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:35:49

  1. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે
  1. તા.15થી 22 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવરને લઈ રિવરફ્રન્ટ પર પ્રતિબંધ
  1. 3થી સાંજના 7 વાગ્યા સુધી એરપોર્ટ ઓથોરિટીએ પ્રતિબંધ ફરમાયો
  1. 15 ઓક્ટોબરથી એર શો સહિતના રિહર્સલ શરૂ કરવામાં આવશે

IN PICS: Iconic Atal Bridge in Ahmedabad

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદના જાણિતા એવા રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે સાંજના સમય દરમિયાન રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


લાંબા સમયબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ ઓથોરેટી દ્વારા મહત્વની નોટિસ જાહેર કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.

Three more Rafale jets land in Gujarat; total count reaches 14; see pics -  BusinessToday

મળતી માહિતી અનુસાર, આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આગામી તા.18થી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર યોજાવવાનો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરેટી દ્વારા તા.13થી 22 ઓક્ટોબર સુધી નોટીસ ટુ એરમિશન જાહેર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી એર શો સહિતના પ્રદર્શનનું જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવવાનું છે. જેને ધ્યાને રાખી તા.15થી 22 ઓક્ટોબરના રોજ બપોરના 3થી સાંજના 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પર ડીફેન્સ દ્વારા વિવિધ શસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજાશે.


મહત્વનું છે કે,રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી. આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલો રિવરફ્રન્ટ અમદાવાદવાસીઓ તેમજ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ સરકાર દ્વારા લોકો માટે રિવરફ્રન્ટ પર જુદી-જુદી એક્ટીવીટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ અમદાવાદ વાસીઓ દરરોજ સવારે અને સાંજના સમયે રિવરફ્રન્ટ પર એક્સસાઈઝ તેમજ વોકીંગ માટે જતા હોય છે. જોકે, એર શોને લઈને રિવરફ્રન્ટ જતા અને આવતા રસ્તાઓ બંધ રાખવાનો ફરમાન કરાતા રિવરફ્રન્ટની મુલાકાત લેનારા લોકોને 22 ઓક્ટોબર સુધી મુલાકતા ટાળવી પડશે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.