અમદાવાદ:રિવર ફ્રન્ટની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો આટલું ખાસ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:35:49

  1. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે
  1. તા.15થી 22 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવરને લઈ રિવરફ્રન્ટ પર પ્રતિબંધ
  1. 3થી સાંજના 7 વાગ્યા સુધી એરપોર્ટ ઓથોરિટીએ પ્રતિબંધ ફરમાયો
  1. 15 ઓક્ટોબરથી એર શો સહિતના રિહર્સલ શરૂ કરવામાં આવશે

IN PICS: Iconic Atal Bridge in Ahmedabad

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદના જાણિતા એવા રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે સાંજના સમય દરમિયાન રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


લાંબા સમયબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ ઓથોરેટી દ્વારા મહત્વની નોટિસ જાહેર કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.

Three more Rafale jets land in Gujarat; total count reaches 14; see pics -  BusinessToday

મળતી માહિતી અનુસાર, આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આગામી તા.18થી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર યોજાવવાનો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરેટી દ્વારા તા.13થી 22 ઓક્ટોબર સુધી નોટીસ ટુ એરમિશન જાહેર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી એર શો સહિતના પ્રદર્શનનું જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવવાનું છે. જેને ધ્યાને રાખી તા.15થી 22 ઓક્ટોબરના રોજ બપોરના 3થી સાંજના 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પર ડીફેન્સ દ્વારા વિવિધ શસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજાશે.


મહત્વનું છે કે,રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી. આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલો રિવરફ્રન્ટ અમદાવાદવાસીઓ તેમજ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ સરકાર દ્વારા લોકો માટે રિવરફ્રન્ટ પર જુદી-જુદી એક્ટીવીટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ અમદાવાદ વાસીઓ દરરોજ સવારે અને સાંજના સમયે રિવરફ્રન્ટ પર એક્સસાઈઝ તેમજ વોકીંગ માટે જતા હોય છે. જોકે, એર શોને લઈને રિવરફ્રન્ટ જતા અને આવતા રસ્તાઓ બંધ રાખવાનો ફરમાન કરાતા રિવરફ્રન્ટની મુલાકાત લેનારા લોકોને 22 ઓક્ટોબર સુધી મુલાકતા ટાળવી પડશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.