અમદાવાદ:રિવર ફ્રન્ટની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો આટલું ખાસ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:35:49

  1. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે
  1. તા.15થી 22 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવરને લઈ રિવરફ્રન્ટ પર પ્રતિબંધ
  1. 3થી સાંજના 7 વાગ્યા સુધી એરપોર્ટ ઓથોરિટીએ પ્રતિબંધ ફરમાયો
  1. 15 ઓક્ટોબરથી એર શો સહિતના રિહર્સલ શરૂ કરવામાં આવશે

IN PICS: Iconic Atal Bridge in Ahmedabad

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદના જાણિતા એવા રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે સાંજના સમય દરમિયાન રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


લાંબા સમયબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ ઓથોરેટી દ્વારા મહત્વની નોટિસ જાહેર કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.

Three more Rafale jets land in Gujarat; total count reaches 14; see pics -  BusinessToday

મળતી માહિતી અનુસાર, આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આગામી તા.18થી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર યોજાવવાનો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરેટી દ્વારા તા.13થી 22 ઓક્ટોબર સુધી નોટીસ ટુ એરમિશન જાહેર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી એર શો સહિતના પ્રદર્શનનું જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવવાનું છે. જેને ધ્યાને રાખી તા.15થી 22 ઓક્ટોબરના રોજ બપોરના 3થી સાંજના 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પર ડીફેન્સ દ્વારા વિવિધ શસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજાશે.


મહત્વનું છે કે,રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી. આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલો રિવરફ્રન્ટ અમદાવાદવાસીઓ તેમજ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ સરકાર દ્વારા લોકો માટે રિવરફ્રન્ટ પર જુદી-જુદી એક્ટીવીટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ અમદાવાદ વાસીઓ દરરોજ સવારે અને સાંજના સમયે રિવરફ્રન્ટ પર એક્સસાઈઝ તેમજ વોકીંગ માટે જતા હોય છે. જોકે, એર શોને લઈને રિવરફ્રન્ટ જતા અને આવતા રસ્તાઓ બંધ રાખવાનો ફરમાન કરાતા રિવરફ્રન્ટની મુલાકાત લેનારા લોકોને 22 ઓક્ટોબર સુધી મુલાકતા ટાળવી પડશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.