અમદાવાદ:નવરાત્રિના પ્રથમ 4 દિવસમાં અકસ્માતના કેસોમાં લગભગ 50%નો વધારો જોવા મળ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 14:34:30

મા દુર્ગાની ઉપાસનાનો નવરાત્રિનો પર્વ ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ તૈયાર થઈને ગરબા રમવા નિકળતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ પર માનવ કીડીયારું ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ જાય છે. એવામાં નવરાત્રિના પ્રથમ ચાર દિવસોમાં ઇમરજન્સી 108 સેવાના અકસ્માતના આંકડાઓ પર નજર કરવામાં આવે તો નવરાત્રિના પ્રથમ ચાર દિવસમાં વધતા જતા અકસ્માતોમાં વધારો જોવા મળ્યો સાથે સાથે રાત્રિના સમયે થતા અકસ્માતોમાં લગભગ 50%નો વધારો થયો છે.

Alert Mumbaikars! Western Express Highway near Magathane Metro station to  remain shut for 7 hours on April 3 midnight   નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા 

EMRI 108ના ડેટા મુજબ 26 થી 29 સપ્ટેમ્બર સુધી અકસ્માતોની સંખ્યા દરરોજ 6 હતી, જે અગાઉના સપ્તાહની દૈનિક સરેરાશ 3.86 કેસની સરખામણીમાં 55% નો વધારો છે.

26 થી 29 સપ્ટેમ્બર સુધીમાં 245 અકસ્માતના કેસ નોંધાયા હતા જે 108 થયા હતા જ્યારે 19 થી 25 સપ્ટેમ્બર સુધીમાં 469 અકસ્માતના કેસ નોંધાયા હતા.

Ahmedabad: Hit & Run Case Near Karnavati Club Leaves 2 Bikers Dead

મધરાતથી સવારના 4 વાગ્યા સુધીના અકસ્માતોમાં પણ વધારો થયો છે. શહેરના પશ્ચિમ ભાગમાં સૌથી વધુ અકસ્માતો નોંધાય જેમ કે સોલા, થલતેજ, વૈષ્ણોદેવી સર્કલ, સરખેજ, બોપલ અને દક્ષિણ બોપલ, શ્યામલ ચોકડી, વેજલપુર, ઇસ્કોન સર્કલ, વાયએમસીએ સર્કલ, કર્ણાવતી ક્લબ ચોકડી, પ્રહલાદનગર, મકરબા, નવરંગપુરા, પાલડી વિસ્તારમાં નોંધાયા હતા. 

Car Accident In Shahibaug At Ahmedabad | અમદાવાદ: રાત્રે ડ્રાઈવરને કાર  પાર્ક કરીને મોબાઈલ પર વાત કરવી મોંઘી પડી, જાણો પછી શું થયું?

શહેરના ઉત્તરીય અને પૂર્વીય ભાગો જેવા કે ઓગનાજ, ચાંદખેડા, સાબરમતી, કાંકરિયા, નિકોલ, નવા નરોડા, નારોલ, વસ્ત્રાલ અને બાપુનગર વગેરેમાંથી પણ અકસ્માતો નોંધાયા હતા.


EMRI 108ના અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે લોકોની અવરજવરમાં વધારો થવાથી અકસ્માતોમાં વધારો થયો છે. "અકસ્માતમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે. 

Queue of ambulances seen at Ahmedabad Civil Hospital after Covid beds run  out - Coronavirus Outbreak News

રોડ સેફ્ટીના મુદ્દાઓ પર કામ કરતી એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ ​​કમિટી (ATCC) ટ્રસ્ટના પ્રમુખ ડૉ. પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે બેફામ ડ્રાઇવિંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઉતાવળ કરવી, હેલ્મેટ ન પહેરવું અને ટુ-વ્હીલર પર ફરજિયાત કરતાં વધુ લોકો અકસ્માતના ભોગ બન્યા છે. 


નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે અને આ તહેવાર દેશ દુનિયામાં પણ ઉજવાય છે. પણ એમાં ખાસ નવરાત્રિના અવસર પર ગુજરાત જાણે ભક્તિના રંગે રંગાયું હોય એવું લાગે છે કે જ્યાં ભાવ,ભક્તિ, હરખ સાથે ગુજરાતીઓ માતાજીની આરાધના કરે છે અને ગરબા રમે છે. કોરોના સમયના 2 વર્ષ ગુજરાતીઓએ શેરીઓ-ગલીઓમાં માતાજીની આરાધના કરી અને ગરબાની રમઝટ બોલાવી હતી.પણ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું છે તો રાજ્ય સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી આપી છે. એટલે ખેલૈયા અવનવા પોષક પહેરી મોટા પાર્ટી પ્લોટમાં ઉત્સાહ સાથે ગરબા રમવા નીકળી પડ્યા છે ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય છે. એમાં પણ જે જલ્દી જલ્દીમાં જવા વાળા કે જેઓ આડેધડ ગાડીઓ ચલાવી પોતાને તો નુકશાન પહોંચાડે છે સાથે બીજા વાહનોને પણ નુકશાન પહોંચાડે છે.અને અકસ્માતને સામેથી આમંત્રણ આપે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"