દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી એટલે અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:20:38

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાના ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચિમાં અનેક શહેરોના નામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ સતત ચોથા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ તો થઈ મેગાસિટીની વાત હવે સિટી તરફ પણ વાત કરીએ તો ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ભારતના સ્વચ્છ શહેરની યાદીમાં ટોપ પર આવ્યું છે. સુરત શહેર દેશના સ્વચ્છ સિટીમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 


સ્વચ્છતા વિશે તમને આટલી તો ખબર હોવી જ જોઈએ

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતના સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા સૌથી સ્વચ્છ રાજ્યના સ્થાને પ્રથમ આવ્યું હતું. ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરમાં હરિદ્વારે પોતાનું પહેલું સ્થાન નોંધાવ્યું હતું. જ્યારે વારાણસી અને ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને પોતાનું સ્થાન નોંધાવ્યું હતું. 


હરદીપસિંહ પુરીએ કરી શહેરોના નામની જાહેરાત 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ સિટી, મેગાસિટી અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.