દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી એટલે અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:20:38

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાના ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચિમાં અનેક શહેરોના નામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ સતત ચોથા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ તો થઈ મેગાસિટીની વાત હવે સિટી તરફ પણ વાત કરીએ તો ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ભારતના સ્વચ્છ શહેરની યાદીમાં ટોપ પર આવ્યું છે. સુરત શહેર દેશના સ્વચ્છ સિટીમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 


સ્વચ્છતા વિશે તમને આટલી તો ખબર હોવી જ જોઈએ

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતના સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા સૌથી સ્વચ્છ રાજ્યના સ્થાને પ્રથમ આવ્યું હતું. ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરમાં હરિદ્વારે પોતાનું પહેલું સ્થાન નોંધાવ્યું હતું. જ્યારે વારાણસી અને ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને પોતાનું સ્થાન નોંધાવ્યું હતું. 


હરદીપસિંહ પુરીએ કરી શહેરોના નામની જાહેરાત 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ સિટી, મેગાસિટી અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.