દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી એટલે અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:20:38

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાના ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચિમાં અનેક શહેરોના નામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ સતત ચોથા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ તો થઈ મેગાસિટીની વાત હવે સિટી તરફ પણ વાત કરીએ તો ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ભારતના સ્વચ્છ શહેરની યાદીમાં ટોપ પર આવ્યું છે. સુરત શહેર દેશના સ્વચ્છ સિટીમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 


સ્વચ્છતા વિશે તમને આટલી તો ખબર હોવી જ જોઈએ

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતના સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા સૌથી સ્વચ્છ રાજ્યના સ્થાને પ્રથમ આવ્યું હતું. ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરમાં હરિદ્વારે પોતાનું પહેલું સ્થાન નોંધાવ્યું હતું. જ્યારે વારાણસી અને ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને પોતાનું સ્થાન નોંધાવ્યું હતું. 


હરદીપસિંહ પુરીએ કરી શહેરોના નામની જાહેરાત 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ સિટી, મેગાસિટી અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .