દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી એટલે અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:20:38

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાના ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચિમાં અનેક શહેરોના નામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ સતત ચોથા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ તો થઈ મેગાસિટીની વાત હવે સિટી તરફ પણ વાત કરીએ તો ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ભારતના સ્વચ્છ શહેરની યાદીમાં ટોપ પર આવ્યું છે. સુરત શહેર દેશના સ્વચ્છ સિટીમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 


સ્વચ્છતા વિશે તમને આટલી તો ખબર હોવી જ જોઈએ

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતના સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા સૌથી સ્વચ્છ રાજ્યના સ્થાને પ્રથમ આવ્યું હતું. ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરમાં હરિદ્વારે પોતાનું પહેલું સ્થાન નોંધાવ્યું હતું. જ્યારે વારાણસી અને ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને પોતાનું સ્થાન નોંધાવ્યું હતું. 


હરદીપસિંહ પુરીએ કરી શહેરોના નામની જાહેરાત 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ સિટી, મેગાસિટી અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે