Ahmedabad Kalorex school : શિક્ષકને મારવા વાળા લોકો વિરૂદ્ધ થશે પોલીસ ફરિયાદ! જાણો સૂત્રો પાસેથી શું મળી છે માહિતી?


  • Published By :
  • Published Date : 2023-10-05 14:34:09

સોશિયલ મીડિયા પર અમદાવાદની શાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ એબીવીપી તેમજ વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષકને માર માર્યો હતો. ત્યારે સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી છે કે જે લોકોએ શિક્ષકોને માર માર્યો હતો તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે અમદાવાદ પોલીસ પોતે આમાં ફરિયાદી બનશે. સ્કૂલ ઓથોરિટી આગળ આવીને આ મામલે કેસ કરાવે તે માટે પોલીસે પ્રયાસ કર્યા છે તેવી પણ વાત સામે આવી છે. 


શિક્ષકને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ માર્યો હતો માર 


શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાજ પઢાવવ્યાનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયો તે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. હિંદુ સંગઠનોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. શાળાએ પહોંચીને શિક્ષકોને પણ હિંદુ સંગઠનોએ માર્યા હતા. વાલીઓ તેમજ હિંદુ સંગઠનના કાર્યકરોએ શાળામાં વિરોધ કર્યો હતો. શિક્ષકને માર પણ મારવામાં આવ્યો. મામલો વધારે વધતા શાળાના પ્રિન્સિપલે માફી માગી હતી. તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં પણ સામે આવ્યું હતું કે ઈદ સેલિબ્રેશન કરાવવા પાછળ શાળા સંચાલકનો ખરાબ ઉદ્દેશ્ય ન હતો.



આ મામલે જો સ્કૂલ ફરિયાદ નહીં કરે તો પોલીસ બનશે ફરિયાદી!

આ મામલે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી છે કે આ મામલે પોલીસ પોતે ફરિયાદી બનશે. પોલીસે સ્કૂલની ઓથોરિટીને જે લોકોએ મારપીટ કરી હતી તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી વાત પોલીસે કહી હતી. જો કાલ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં કરે તો પોલીસ પોતે ફરિયાદી બનશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.  



શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.