Ahmedabad Kalorex school : શિક્ષકને મારવા વાળા લોકો વિરૂદ્ધ થશે પોલીસ ફરિયાદ! જાણો સૂત્રો પાસેથી શું મળી છે માહિતી?


  • Published By :
  • Published Date : 2023-10-05 14:34:09

સોશિયલ મીડિયા પર અમદાવાદની શાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ એબીવીપી તેમજ વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષકને માર માર્યો હતો. ત્યારે સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી છે કે જે લોકોએ શિક્ષકોને માર માર્યો હતો તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે અમદાવાદ પોલીસ પોતે આમાં ફરિયાદી બનશે. સ્કૂલ ઓથોરિટી આગળ આવીને આ મામલે કેસ કરાવે તે માટે પોલીસે પ્રયાસ કર્યા છે તેવી પણ વાત સામે આવી છે. 


શિક્ષકને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ માર્યો હતો માર 


શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાજ પઢાવવ્યાનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયો તે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. હિંદુ સંગઠનોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. શાળાએ પહોંચીને શિક્ષકોને પણ હિંદુ સંગઠનોએ માર્યા હતા. વાલીઓ તેમજ હિંદુ સંગઠનના કાર્યકરોએ શાળામાં વિરોધ કર્યો હતો. શિક્ષકને માર પણ મારવામાં આવ્યો. મામલો વધારે વધતા શાળાના પ્રિન્સિપલે માફી માગી હતી. તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં પણ સામે આવ્યું હતું કે ઈદ સેલિબ્રેશન કરાવવા પાછળ શાળા સંચાલકનો ખરાબ ઉદ્દેશ્ય ન હતો.



આ મામલે જો સ્કૂલ ફરિયાદ નહીં કરે તો પોલીસ બનશે ફરિયાદી!

આ મામલે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી છે કે આ મામલે પોલીસ પોતે ફરિયાદી બનશે. પોલીસે સ્કૂલની ઓથોરિટીને જે લોકોએ મારપીટ કરી હતી તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી વાત પોલીસે કહી હતી. જો કાલ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં કરે તો પોલીસ પોતે ફરિયાદી બનશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.  



શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.