અમદાવાદ મેટ્રો ટ્રેનના ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, મુસાફરોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 13:04:15

અમદાવાદીઓ હવે મોટી સંખ્યામાં મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન આ રીતે શહેરની લાઈફલાઈન બની છે. અમદાવાદ મેટ્રોમાં અપડાઉન કરતા નોકરિયાતો તથા અન્ય મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયના ફેરફારને કારણે મુસાફરોને વધુ લાભ થશે.


સમયપત્રકમાં ફેરફાર થયો


અમદાવાદ મેટ્રો ઓથોરિટીએ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હાલમાં મેટ્રો સવારે 9 વાગ્યે શરૂ થતી હતી, તો હવે મેટ્રો ટ્રેન સવારે 7 કલાકથી રાત્રીના 10 ક્લાક સુધી ચાલશે. આ નવા સમયપત્રકનો અમલ 30 જાન્યુઆરીથી થશે. આ મહત્વના નિર્ણયથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારી વર્ગને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.


PM મોદીએ કર્યું હતું ઉદઘાટન


PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના રોજ  ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે, તો બીજી તરફ આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને ટ્રેનનો સમયગાળો ઘટાડવાનો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.