અમદાવાદ મેટ્રો ટ્રેનના ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, મુસાફરોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 13:04:15

અમદાવાદીઓ હવે મોટી સંખ્યામાં મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન આ રીતે શહેરની લાઈફલાઈન બની છે. અમદાવાદ મેટ્રોમાં અપડાઉન કરતા નોકરિયાતો તથા અન્ય મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયના ફેરફારને કારણે મુસાફરોને વધુ લાભ થશે.


સમયપત્રકમાં ફેરફાર થયો


અમદાવાદ મેટ્રો ઓથોરિટીએ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હાલમાં મેટ્રો સવારે 9 વાગ્યે શરૂ થતી હતી, તો હવે મેટ્રો ટ્રેન સવારે 7 કલાકથી રાત્રીના 10 ક્લાક સુધી ચાલશે. આ નવા સમયપત્રકનો અમલ 30 જાન્યુઆરીથી થશે. આ મહત્વના નિર્ણયથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારી વર્ગને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.


PM મોદીએ કર્યું હતું ઉદઘાટન


PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના રોજ  ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે, તો બીજી તરફ આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને ટ્રેનનો સમયગાળો ઘટાડવાનો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.