AMCના મોટા ભાગનો સ્ટાફ રખડતા ઢોરને પકડવામાં વ્યસ્ત, ખોરંભે ચઢી કામગીરી! ધક્કા ખાવા લોકો મજબૂર બન્યા!


  • Published By :
  • Published Date : 2023-11-06 11:47:21

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થાય છે.ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપી દીધા છે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા. હાઈકોર્ટની ટકોર બાદ એએમસી દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી એકદમ કડક રીતના કરાઈ રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અનેક અધિકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને કારણે અનેક વખત એએમસીની ઓફિસ ખાલી દેખાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગ અને સ્ટાફને સવારથી જ વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુને પકડવાની ફરજ સોંપવામાં આવી છે. કર્મચારીને જવાબદારી સોંપવાઈ તેની સીધી અસર મ્યુનિ.તંત્રના કામકાજ પર પડે છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.  યોગ્ય સમય પર અરજીઓનો નિકાલ થઈ શક્તો નથી જેને કારણે લોકોને ધક્કા ખાઈ ફરત ફરવું પડે છે!

Gujarat HC Asks State Government To Inform The Time Required For  Appointment Of Chairman and Technical

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દોડતું થયું!

એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે તો બીજી તરફ રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર અચાનક જાગ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી એએમસીના અનેક અધિકારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં લાગી ગયા છે. ઝોન વાઈઝ ટીમ બનાવીને ઢોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો છે. ડેડલાઈન નજીક આવતા કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

AMC floats professional tax scheme

કર્મચારીઓ ન હોવાને કારણે ખોરવાય છે લોકોની કામગીરી! 

રખડતા ઢોરને પકડવામાં મોટા ભાગના અધિકારીઓ રસ્તા પર નિકળી આવ્યા છે. અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે એએમસીની ઓફિસમાં લોકોને ધક્કા ખાવા પડે છે. લોકોની અરજીઓનો નિકાલ નથી આવતો. એમ પણ સરકારી કામોને કરાવવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે!  ૧૦ નવેમ્બર-૨૦૨૩ બાદ દિવાળી પર્વ શરુ થવાનો છે. મ્યુનિ.તંત્રમાં દિવાળી વેકેશન જેવો માહોલ આવનાર દિવસોમાં છવાઈ જશે! લોકોના પ્રશ્નો તેમજ ફરિયાદોનો નિકાલ લાવવાના બદલે મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.


ઝોન વાઈઝ ઢોર પકડવા બનાઈ ટીમ 

છેલ્લા અનેક દિવસોથી રખડતા ઢોરને પકડવા માટે એએમસીની ટીમ મહેનત કરી રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઝોન વાઈઝ ઢોરને પકડવામાં આવી રહ્યા છે. પ્રતિદિન અનેક ગાયોને પકડવામાં આવે છે અને ઝોરવાસમાં મૂકવામાં આવે છે, શહેરના અનેક ઢોરવાસ ફૂલ થઈ ગયા છે. ત્યારે હજી પણ આ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. રખડતા ઢોરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે એએમસીમાં કામ ન થવાને કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. ફરજ પરના અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે પ્રજાના પ્રશ્નોનો નિકાલ નથી આવતો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.