AMCના મોટા ભાગનો સ્ટાફ રખડતા ઢોરને પકડવામાં વ્યસ્ત, ખોરંભે ચઢી કામગીરી! ધક્કા ખાવા લોકો મજબૂર બન્યા!


  • Published By :
  • Published Date : 2023-11-06 11:47:21

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થાય છે.ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપી દીધા છે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા. હાઈકોર્ટની ટકોર બાદ એએમસી દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી એકદમ કડક રીતના કરાઈ રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અનેક અધિકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને કારણે અનેક વખત એએમસીની ઓફિસ ખાલી દેખાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગ અને સ્ટાફને સવારથી જ વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુને પકડવાની ફરજ સોંપવામાં આવી છે. કર્મચારીને જવાબદારી સોંપવાઈ તેની સીધી અસર મ્યુનિ.તંત્રના કામકાજ પર પડે છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.  યોગ્ય સમય પર અરજીઓનો નિકાલ થઈ શક્તો નથી જેને કારણે લોકોને ધક્કા ખાઈ ફરત ફરવું પડે છે!

Gujarat HC Asks State Government To Inform The Time Required For  Appointment Of Chairman and Technical

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દોડતું થયું!

એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે તો બીજી તરફ રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર અચાનક જાગ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી એએમસીના અનેક અધિકારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં લાગી ગયા છે. ઝોન વાઈઝ ટીમ બનાવીને ઢોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો છે. ડેડલાઈન નજીક આવતા કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

AMC floats professional tax scheme

કર્મચારીઓ ન હોવાને કારણે ખોરવાય છે લોકોની કામગીરી! 

રખડતા ઢોરને પકડવામાં મોટા ભાગના અધિકારીઓ રસ્તા પર નિકળી આવ્યા છે. અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે એએમસીની ઓફિસમાં લોકોને ધક્કા ખાવા પડે છે. લોકોની અરજીઓનો નિકાલ નથી આવતો. એમ પણ સરકારી કામોને કરાવવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે!  ૧૦ નવેમ્બર-૨૦૨૩ બાદ દિવાળી પર્વ શરુ થવાનો છે. મ્યુનિ.તંત્રમાં દિવાળી વેકેશન જેવો માહોલ આવનાર દિવસોમાં છવાઈ જશે! લોકોના પ્રશ્નો તેમજ ફરિયાદોનો નિકાલ લાવવાના બદલે મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.


ઝોન વાઈઝ ઢોર પકડવા બનાઈ ટીમ 

છેલ્લા અનેક દિવસોથી રખડતા ઢોરને પકડવા માટે એએમસીની ટીમ મહેનત કરી રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઝોન વાઈઝ ઢોરને પકડવામાં આવી રહ્યા છે. પ્રતિદિન અનેક ગાયોને પકડવામાં આવે છે અને ઝોરવાસમાં મૂકવામાં આવે છે, શહેરના અનેક ઢોરવાસ ફૂલ થઈ ગયા છે. ત્યારે હજી પણ આ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. રખડતા ઢોરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે એએમસીમાં કામ ન થવાને કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. ફરજ પરના અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે પ્રજાના પ્રશ્નોનો નિકાલ નથી આવતો.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.