AMC તંત્રએ અમદાવાદની 223 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:58:50

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરની 387 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 280 કિલો વિવિધ ખાદ્ય ચીજો અને 479 લીટર પ્રવાહી  ખાદ્ય ચીજોને નષ્ટ કરી દીધી હતી. મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે.


ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેવાયા


AMCના આરોગ્ય વિભાગની ટીમોએ 223 જેટલી રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનોને નોટિસ ફટકારી છે. આ રેસ્ટોરન્ટ્સ અને કરિયાણા દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિતકારક હોવાનું જણાયું છે. AMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે લીધા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.