AMC તંત્રએ અમદાવાદની 223 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:58:50

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરની 387 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 280 કિલો વિવિધ ખાદ્ય ચીજો અને 479 લીટર પ્રવાહી  ખાદ્ય ચીજોને નષ્ટ કરી દીધી હતી. મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે.


ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેવાયા


AMCના આરોગ્ય વિભાગની ટીમોએ 223 જેટલી રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનોને નોટિસ ફટકારી છે. આ રેસ્ટોરન્ટ્સ અને કરિયાણા દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિતકારક હોવાનું જણાયું છે. AMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે લીધા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.