અમદાવાદના નારણપુરામાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટરો, લોકોમાં અસંતોષનું આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:58:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો જીત્યા પછી પાર્ટી જાણે પ્રજાને ભૂલી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે. લોકોને સતત એવું લાગ્યા કરે છે. ચૂંટણી જીત્યા પછી ભાજપના નેતાઓને જાણે લોકોની સમસ્યાઓ સાંભળવામાં અને લોક કલ્યાણના કામો કરવા માટે કોઈ રસ દાખવતા નથી. આ જ કારણે અમદાવાદના નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગ્યા છે.


નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો


અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થાનિકોએ ભાજપનો વિરોધ કરતા પોસ્ટરો લગાવ્યા છે. રોડ કપાતને લઈ સ્થાનિકોએ સોસાયટી બહાર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં ઈલેક્શન વખતે આપેલા વચનો નેતાઓ ભૂલી ગયા છે તેમ લખવામાં આવ્યું છે. નારણપુરા ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને AMCએ નોટિસ આપી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોના કહેવા મુજબ, ઈલેકશન પહેલા નેતાઓએ રોડ રસ્તાનું કટિંગ નહીં આવે તેવા વચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે નારણપુરા વિસ્ચતાર વર્ષોથી ભાજપનો મજબુત ગઢ રહ્યો છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..