Ahmedabad : સામાન્ય માણસની જેમ Social Media પર પોલીસ પણ એક્ટિવ! જોખમી સ્ટંટ કરનાર રિક્ષા ચાલકને શિખવાડ્યો સબક....


  • Published By :
  • Published Date : 2024-02-20 16:12:05

સોશિયલ મીડિયા પર અનેક લોકો સ્ટંટના વીડિયો અપલોડ કરતા હોય છે. રીલના ચક્કરમાં કોઈ વખત છુટ્ટા હાથથી વાહન ચલાવે છે તો કોઈ વખત ગાડીમાં બેસી ફાયરિંગ કરે છે. એવા અનેક વીડિયો આપણી સામે આવ્યા હશે જેને જોઈ આપણને લાગે કે આવા સ્ટંટ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. આવા સ્ટંટ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ રિંગ રોડ પર જોખમી સ્ટંટ કરતા રિક્ષા ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિક્ષા ચાલક પાસે લાયસન્સ કે કાગળો પણ સાથે ન હતા.

રિક્ષા ચાલકો અનેક વખત બેફામ બની ચલાવતા હોય છે રિક્ષા!

જેમ આપણે સોશિયલ મીડિયા પર અપડેટ રહેતા હોઈએ છીએ. રીલ્સ અપલોડ કરતા હોઈએ છીએ પરંતુ આપણી સાથે સાથે પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે.  સામાન્ય રીતે રસ્તા પર સ્ટંટ કરતા અનેક લોકો આપણને રસ્તા પર જોવા મળતા હોય છે. રિક્ષા ચાલકો પણ બેફામ બનીને રસ્તા પર રિક્ષા ચલાવતા હોય છે. એવી રીતે રિક્ષા હંકારતા હોય છે જે જોઈને આપણને ડર લાગે કે આ ચાલક અકસ્માત ના સર્જે તો સારૂ. આવા સ્ટંટ કરતા અનેક લોકોને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે. 


પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે કાયદાકીય પગલા!

સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ પોસ્ટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક એવા વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે જેમાં આવા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પગલા લેવાયા હોય છે. Before અને Afterના વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે. એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં એક યુવા રિક્ષા ચાલક જોખમી સ્ટંટ કરી રહ્યા હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર સ્ટંટ કરતા એક રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. તે રિક્ષા ચાલક પાસે લાયસન્સ ન હતું ઉપરાંત કાગળો પણ ના હતા. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તે સ્ટંટ કરી રહ્યો હતો.



વાહન ચલાવતી વખતે કરીએ કાયદાનું પાલન!   

મહત્વનું છે કે અકસ્માતના એટલા બધા કિસ્સાઓ આપણી સામે છે કે આપણા પરિવારના સભ્યોને ટેન્શન થઈ જાય જ્યારે આપણે ઘરની બહાર જઈએ ત્યારે. અનેક વખત વાંક આપણો હોય નહીં પરંતુ કોઈ બીજાની ભૂલને કારણે અન્ય કોઈને સજા મળતી હોય છે. સ્ટંટ કોઈ કરે અને સ્ટંટની સજા કોઈ બીજા ભોગવે છે. ન માત્ર તે વ્યક્તિ પરંતુ તેના પરિવારના સભ્યો પણ તેની સજા ભોગવવા મજબૂર બને છે. ત્યારે આવા સ્ટંટ કરતા લોકોથી સાવધાન રહીએ! જ્યારે આપણે વાહન ચલાવીએ ત્યારે કાયદાનું પાલન કરીએ.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.