અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં થશે FIR, પોલીસકર્મીને મળશે રૂ. 200 ઈનામ


  • Published By :
  • Published Date : 2023-12-22 20:50:59

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામપણે દારૂનું વેચાણ અને પીવાય પણ થાય છે. હવે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂની તસ્કરી વધી છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે.  તેમાં પણ દારૂ ઢીંચીને લોકો ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ  કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે.


અમદાવાદ પોલીસ કમિશનરે શું આદેશ કર્યો?


31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂ ઢીંચીને બેફામ વાહન હંકારતા લોકોને પકડવા કમર કરી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જે હાલ શહેરમાં ચર્ચાનું વિષય બન્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી તેમની વિરૂધ્ધ કેસ કરશે અને તે પકડનારા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. આમ હવે જો અમદાવાદ શહેરમાં જો કોઈ  દારૂ પીધેલો ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતો દેખાશે તો તેની ખેર નથી. હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળવાનું હોવાથી તે વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.