અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં થશે FIR, પોલીસકર્મીને મળશે રૂ. 200 ઈનામ


  • Published By :
  • Published Date : 2023-12-22 20:50:59

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામપણે દારૂનું વેચાણ અને પીવાય પણ થાય છે. હવે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂની તસ્કરી વધી છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે.  તેમાં પણ દારૂ ઢીંચીને લોકો ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ  કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે.


અમદાવાદ પોલીસ કમિશનરે શું આદેશ કર્યો?


31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂ ઢીંચીને બેફામ વાહન હંકારતા લોકોને પકડવા કમર કરી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જે હાલ શહેરમાં ચર્ચાનું વિષય બન્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી તેમની વિરૂધ્ધ કેસ કરશે અને તે પકડનારા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. આમ હવે જો અમદાવાદ શહેરમાં જો કોઈ  દારૂ પીધેલો ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતો દેખાશે તો તેની ખેર નથી. હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળવાનું હોવાથી તે વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી