અમદાવાદ પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર કરી સર્પ્રાઈઝ વીઝિટ! અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો કરવા કરાયું આયોજન!


  • Published By :
  • Published Date : 2023-05-16 14:55:36

રસ્તા પર અનેક લોકો એટલી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માતનો ભય લોકોને સતાવતો હોય છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઈવે પર બાઈક ચાલકો બેફામ ચલાવતા અનેક વખત નજરે પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એસજી હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઈવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 50 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તે ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા.

સિંધુભવન તેમજ એસજી હાઈવે પર હાથ ધર્યું ચેકિંગ!

રાજ્યમાં દારૂબંદી છે. પરંતુ અનેક વખત દારૂ પીધેલી હાલતમાં લોકો મળી આવતા હોય છે અને અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. તે સિવાય નબીરાઓ ખાલી રસ્તો જોઈ ફૂલ સ્પિડમાં વાહનો ચલાવતા દેખાય છે. બેફામ રીતે વાહનો ચલાવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે અચાનક સિંધુભવન તેમજ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર યુવાનોની હાજરી જોવા મળતી હોય છે પરંતુ પોલીસની કાર્યવાહી જોઈ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન 50 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા ઉપરાંત અનેક ડ્રિંક કરી ડ્રાઈવ કરી રહેલા લોકોને પણ ઝડપી પાડ્યા હતા. 


લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને કરાયા જપ્ત! 

પોલીસના ચેકિંગ અંગે વાત કરતા ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. અસામાજીક તત્વોમાં પોલીસનો ડર ઉભો થયો છે. સરપ્રાઈઝ વીઝિટ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની સાથે સાથે લાઈસન્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાડીમાં કાળા કાચ લગાવેલા હોય તેવી ગાડીઓને પણ ડિટેઈન કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી બેફામ રીતે વાહન ચલાવતા લોકોમાં ડર બેસે તે જરૂરી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.