અમદાવાદ પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર કરી સર્પ્રાઈઝ વીઝિટ! અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો કરવા કરાયું આયોજન!


  • Published By :
  • Published Date : 2023-05-16 14:55:36

રસ્તા પર અનેક લોકો એટલી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માતનો ભય લોકોને સતાવતો હોય છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઈવે પર બાઈક ચાલકો બેફામ ચલાવતા અનેક વખત નજરે પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એસજી હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઈવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 50 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તે ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા.

સિંધુભવન તેમજ એસજી હાઈવે પર હાથ ધર્યું ચેકિંગ!

રાજ્યમાં દારૂબંદી છે. પરંતુ અનેક વખત દારૂ પીધેલી હાલતમાં લોકો મળી આવતા હોય છે અને અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. તે સિવાય નબીરાઓ ખાલી રસ્તો જોઈ ફૂલ સ્પિડમાં વાહનો ચલાવતા દેખાય છે. બેફામ રીતે વાહનો ચલાવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે અચાનક સિંધુભવન તેમજ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર યુવાનોની હાજરી જોવા મળતી હોય છે પરંતુ પોલીસની કાર્યવાહી જોઈ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન 50 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા ઉપરાંત અનેક ડ્રિંક કરી ડ્રાઈવ કરી રહેલા લોકોને પણ ઝડપી પાડ્યા હતા. 


લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને કરાયા જપ્ત! 

પોલીસના ચેકિંગ અંગે વાત કરતા ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. અસામાજીક તત્વોમાં પોલીસનો ડર ઉભો થયો છે. સરપ્રાઈઝ વીઝિટ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની સાથે સાથે લાઈસન્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાડીમાં કાળા કાચ લગાવેલા હોય તેવી ગાડીઓને પણ ડિટેઈન કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી બેફામ રીતે વાહન ચલાવતા લોકોમાં ડર બેસે તે જરૂરી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.