અમદાવાદ પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર કરી સર્પ્રાઈઝ વીઝિટ! અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો કરવા કરાયું આયોજન!


  • Published By :
  • Published Date : 2023-05-16 14:55:36

રસ્તા પર અનેક લોકો એટલી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માતનો ભય લોકોને સતાવતો હોય છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઈવે પર બાઈક ચાલકો બેફામ ચલાવતા અનેક વખત નજરે પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એસજી હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઈવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 50 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તે ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા.

સિંધુભવન તેમજ એસજી હાઈવે પર હાથ ધર્યું ચેકિંગ!

રાજ્યમાં દારૂબંદી છે. પરંતુ અનેક વખત દારૂ પીધેલી હાલતમાં લોકો મળી આવતા હોય છે અને અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. તે સિવાય નબીરાઓ ખાલી રસ્તો જોઈ ફૂલ સ્પિડમાં વાહનો ચલાવતા દેખાય છે. બેફામ રીતે વાહનો ચલાવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે અચાનક સિંધુભવન તેમજ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર યુવાનોની હાજરી જોવા મળતી હોય છે પરંતુ પોલીસની કાર્યવાહી જોઈ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન 50 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા ઉપરાંત અનેક ડ્રિંક કરી ડ્રાઈવ કરી રહેલા લોકોને પણ ઝડપી પાડ્યા હતા. 


લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને કરાયા જપ્ત! 

પોલીસના ચેકિંગ અંગે વાત કરતા ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. અસામાજીક તત્વોમાં પોલીસનો ડર ઉભો થયો છે. સરપ્રાઈઝ વીઝિટ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની સાથે સાથે લાઈસન્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાડીમાં કાળા કાચ લગાવેલા હોય તેવી ગાડીઓને પણ ડિટેઈન કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી બેફામ રીતે વાહન ચલાવતા લોકોમાં ડર બેસે તે જરૂરી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.