અમદાવાદ પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર કરી સર્પ્રાઈઝ વીઝિટ! અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો કરવા કરાયું આયોજન!


  • Published By :
  • Published Date : 2023-05-16 14:55:36

રસ્તા પર અનેક લોકો એટલી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માતનો ભય લોકોને સતાવતો હોય છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઈવે પર બાઈક ચાલકો બેફામ ચલાવતા અનેક વખત નજરે પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એસજી હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઈવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 50 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તે ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા.

સિંધુભવન તેમજ એસજી હાઈવે પર હાથ ધર્યું ચેકિંગ!

રાજ્યમાં દારૂબંદી છે. પરંતુ અનેક વખત દારૂ પીધેલી હાલતમાં લોકો મળી આવતા હોય છે અને અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. તે સિવાય નબીરાઓ ખાલી રસ્તો જોઈ ફૂલ સ્પિડમાં વાહનો ચલાવતા દેખાય છે. બેફામ રીતે વાહનો ચલાવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે અચાનક સિંધુભવન તેમજ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર યુવાનોની હાજરી જોવા મળતી હોય છે પરંતુ પોલીસની કાર્યવાહી જોઈ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન 50 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા ઉપરાંત અનેક ડ્રિંક કરી ડ્રાઈવ કરી રહેલા લોકોને પણ ઝડપી પાડ્યા હતા. 


લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને કરાયા જપ્ત! 

પોલીસના ચેકિંગ અંગે વાત કરતા ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. અસામાજીક તત્વોમાં પોલીસનો ડર ઉભો થયો છે. સરપ્રાઈઝ વીઝિટ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની સાથે સાથે લાઈસન્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાડીમાં કાળા કાચ લગાવેલા હોય તેવી ગાડીઓને પણ ડિટેઈન કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી બેફામ રીતે વાહન ચલાવતા લોકોમાં ડર બેસે તે જરૂરી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.