અમદાવાદ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરની બદલી, જુઓ યાદી


  • Published By :
  • Published Date : 2023-08-29 20:43:07

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે.  જી.એસ. મલિક દ્વારા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે.  શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં એક સાથે 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જી.એસ મલિક દ્વારા વહીવટી કારણોસર 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં લિવ રિઝર્વમાં રહેલા 28 જેટલા ઈન્સ્પેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. 



આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ બદલી


અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા જે.બી અગ્રાવતને બદલી કરીને ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ સોલંકીને સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વી.જે.ચાવડાની બદલી ચાંદખેડા કરવામાં આવી છે, જ્યારે ચાંદખેડામાં ફરજ બજાવતા વી.એસ. વણઝારાને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે એમ.સી ચૌધરીની વાસણા ખાતેથી બદલી કરીને PCBમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી. ચેતરિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી