Ahmedabad રિંગ રોડ પર ACBએ 100 રુપિયાની લાંચ લેતા પોલીસકર્મીને ઝડપી પાડ્યા, નાના કર્મીઓને પકડાય છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-23 10:29:09

અમદાવાદનો રિંગ રોડ પોલીસ માટે તોડ કરવાનો રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તોડકાંડની શાહી હજી સુકાઈ નથી અને ફરી એકવાર એક નાની માછલી ઝડપાઇ છે. પણ મગરમચ્છ કેમ નથી ઝડપાતા તે સવાલ છે? અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે કે 100 રુપિયા કે 1000 રુપિયાની લાંચ લેતા કર્મીઓ પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. 

100 રુપિયાની લાંચ લેતા પકડાયા કોન્સ્ટેબલ

અમદાવાદ રિંગરોડ પર ફરી એકવાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયા છે. અમદાવાદમા મેચના દિવસે થયેલા તોડકાંડ બાદ ACB એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રિંગ રોડના ઓગણજ સર્કલ પર ACBએ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામના કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ACBની ટીમ છોટા હાથી ગાડીમાં બેસી ગઈ હતી અને ઓગણજ સર્કલ પર ઉભેલા એક કોન્સ્ટેબલે 100 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાની સાથે જ તેને એસીબીએ પકડી લીધો હતો. અમદાવાના રિંગરોડ પર પર સામાન્ય રીતે અમદાવાદ બહારના લોકો પસાર થતા હોય છે. જેમને પોલીસ રોકી તેમની પૂછપરછ કરે છે ને પછી જો સેટલ થાય તો સેટલ પણ કરે છે. અને કદાચ એમના અધિકારીઓને પણ આ બાબતની ખબર હશે. 


નાના પોલીસ કર્મચારીને પકડી લેવાય છે પરંતુ... 

હવે જે મગરમચ્છની વાત કરવામાં આવી રહી છે તે કથિત રીતે કહેવાતા વહીવટદાર છે. સૂત્રો દ્વારા અમને એવું જાણવા પણ મળ્યું છે આવા વહીવટદારો નાના પોલીસ કમર્ચારીઓ પાસેથી રૂપિયા લે છે અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. સૂત્રોનું કહેવું એ પણ છે કે આ કથિત વહીવટદારો પોતાના આકાઓને ખુશ કરવા કર્મચારીઓનું શોષણ સુધી કરતા હોય છે. એટલે જ માછલીઓનો ભોગ લેવાઈ જાય છે અને મગરમચ્છ બિન્દાસ્ત ફરતા હોય છે.



ન માત્ર પોલીસ પરંતુ લોકો પણ હોય છે જવાબદાર!

આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ અને તેમના વહીવટદારો જાહેર જનતાના ખિસ્સા ખાલી કરી તેમના આકાઓને ખુશ રાખતા હોય છે. એટલે જ આપણે આવા લોકોથી બચીને રહેવું પડશે કારણ કે વાંક આપણો પણ છે આપણા માય એવા કેટલાય લોકો છે જે સેટલ કરવામાં માહેર છે. અને પછી કહેતા હોય કે જો પતાવી દીધું ને ! પોલીસ ક્યારેય સામાન્ય માણસને હેરાન કરી જ ના શકે જો તો તમે બધા જ કાગળો અને દારૂ પીધા વગર કે લીધા વગર નીકળશો તો તમારે આ સેટલ નહિ કરવું પડે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.