Ahmedabad રિંગ રોડ પર ACBએ 100 રુપિયાની લાંચ લેતા પોલીસકર્મીને ઝડપી પાડ્યા, નાના કર્મીઓને પકડાય છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-23 10:29:09

અમદાવાદનો રિંગ રોડ પોલીસ માટે તોડ કરવાનો રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તોડકાંડની શાહી હજી સુકાઈ નથી અને ફરી એકવાર એક નાની માછલી ઝડપાઇ છે. પણ મગરમચ્છ કેમ નથી ઝડપાતા તે સવાલ છે? અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે કે 100 રુપિયા કે 1000 રુપિયાની લાંચ લેતા કર્મીઓ પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. 

100 રુપિયાની લાંચ લેતા પકડાયા કોન્સ્ટેબલ

અમદાવાદ રિંગરોડ પર ફરી એકવાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયા છે. અમદાવાદમા મેચના દિવસે થયેલા તોડકાંડ બાદ ACB એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રિંગ રોડના ઓગણજ સર્કલ પર ACBએ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામના કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ACBની ટીમ છોટા હાથી ગાડીમાં બેસી ગઈ હતી અને ઓગણજ સર્કલ પર ઉભેલા એક કોન્સ્ટેબલે 100 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાની સાથે જ તેને એસીબીએ પકડી લીધો હતો. અમદાવાના રિંગરોડ પર પર સામાન્ય રીતે અમદાવાદ બહારના લોકો પસાર થતા હોય છે. જેમને પોલીસ રોકી તેમની પૂછપરછ કરે છે ને પછી જો સેટલ થાય તો સેટલ પણ કરે છે. અને કદાચ એમના અધિકારીઓને પણ આ બાબતની ખબર હશે. 


નાના પોલીસ કર્મચારીને પકડી લેવાય છે પરંતુ... 

હવે જે મગરમચ્છની વાત કરવામાં આવી રહી છે તે કથિત રીતે કહેવાતા વહીવટદાર છે. સૂત્રો દ્વારા અમને એવું જાણવા પણ મળ્યું છે આવા વહીવટદારો નાના પોલીસ કમર્ચારીઓ પાસેથી રૂપિયા લે છે અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. સૂત્રોનું કહેવું એ પણ છે કે આ કથિત વહીવટદારો પોતાના આકાઓને ખુશ કરવા કર્મચારીઓનું શોષણ સુધી કરતા હોય છે. એટલે જ માછલીઓનો ભોગ લેવાઈ જાય છે અને મગરમચ્છ બિન્દાસ્ત ફરતા હોય છે.



ન માત્ર પોલીસ પરંતુ લોકો પણ હોય છે જવાબદાર!

આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ અને તેમના વહીવટદારો જાહેર જનતાના ખિસ્સા ખાલી કરી તેમના આકાઓને ખુશ રાખતા હોય છે. એટલે જ આપણે આવા લોકોથી બચીને રહેવું પડશે કારણ કે વાંક આપણો પણ છે આપણા માય એવા કેટલાય લોકો છે જે સેટલ કરવામાં માહેર છે. અને પછી કહેતા હોય કે જો પતાવી દીધું ને ! પોલીસ ક્યારેય સામાન્ય માણસને હેરાન કરી જ ના શકે જો તો તમે બધા જ કાગળો અને દારૂ પીધા વગર કે લીધા વગર નીકળશો તો તમારે આ સેટલ નહિ કરવું પડે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.