Ahmedabad રિંગ રોડ પર ACBએ 100 રુપિયાની લાંચ લેતા પોલીસકર્મીને ઝડપી પાડ્યા, નાના કર્મીઓને પકડાય છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-23 10:29:09

અમદાવાદનો રિંગ રોડ પોલીસ માટે તોડ કરવાનો રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તોડકાંડની શાહી હજી સુકાઈ નથી અને ફરી એકવાર એક નાની માછલી ઝડપાઇ છે. પણ મગરમચ્છ કેમ નથી ઝડપાતા તે સવાલ છે? અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે કે 100 રુપિયા કે 1000 રુપિયાની લાંચ લેતા કર્મીઓ પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. 

100 રુપિયાની લાંચ લેતા પકડાયા કોન્સ્ટેબલ

અમદાવાદ રિંગરોડ પર ફરી એકવાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયા છે. અમદાવાદમા મેચના દિવસે થયેલા તોડકાંડ બાદ ACB એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રિંગ રોડના ઓગણજ સર્કલ પર ACBએ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામના કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ACBની ટીમ છોટા હાથી ગાડીમાં બેસી ગઈ હતી અને ઓગણજ સર્કલ પર ઉભેલા એક કોન્સ્ટેબલે 100 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાની સાથે જ તેને એસીબીએ પકડી લીધો હતો. અમદાવાના રિંગરોડ પર પર સામાન્ય રીતે અમદાવાદ બહારના લોકો પસાર થતા હોય છે. જેમને પોલીસ રોકી તેમની પૂછપરછ કરે છે ને પછી જો સેટલ થાય તો સેટલ પણ કરે છે. અને કદાચ એમના અધિકારીઓને પણ આ બાબતની ખબર હશે. 


નાના પોલીસ કર્મચારીને પકડી લેવાય છે પરંતુ... 

હવે જે મગરમચ્છની વાત કરવામાં આવી રહી છે તે કથિત રીતે કહેવાતા વહીવટદાર છે. સૂત્રો દ્વારા અમને એવું જાણવા પણ મળ્યું છે આવા વહીવટદારો નાના પોલીસ કમર્ચારીઓ પાસેથી રૂપિયા લે છે અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. સૂત્રોનું કહેવું એ પણ છે કે આ કથિત વહીવટદારો પોતાના આકાઓને ખુશ કરવા કર્મચારીઓનું શોષણ સુધી કરતા હોય છે. એટલે જ માછલીઓનો ભોગ લેવાઈ જાય છે અને મગરમચ્છ બિન્દાસ્ત ફરતા હોય છે.



ન માત્ર પોલીસ પરંતુ લોકો પણ હોય છે જવાબદાર!

આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ અને તેમના વહીવટદારો જાહેર જનતાના ખિસ્સા ખાલી કરી તેમના આકાઓને ખુશ રાખતા હોય છે. એટલે જ આપણે આવા લોકોથી બચીને રહેવું પડશે કારણ કે વાંક આપણો પણ છે આપણા માય એવા કેટલાય લોકો છે જે સેટલ કરવામાં માહેર છે. અને પછી કહેતા હોય કે જો પતાવી દીધું ને ! પોલીસ ક્યારેય સામાન્ય માણસને હેરાન કરી જ ના શકે જો તો તમે બધા જ કાગળો અને દારૂ પીધા વગર કે લીધા વગર નીકળશો તો તમારે આ સેટલ નહિ કરવું પડે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.