અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 30 દિવસમાં 3324 કેસ નોંધાયા, 48 લાખથી વધુનો દંડ વસૂલાયો


  • Published By :
  • Published Date : 2023-09-01 21:27:59

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગમખ્વાર અકસ્માત સર્જીને 10 લોકોનો ભોગ લીધો હતો. જો આ ભયાનક દુર્ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશિયલ ડાઈવ શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ નિયમોના ભંગ કરનારા શહેરના વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરવાસીઓ પાસેથી 48 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ આરટીઓએ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 215 કેસ નોધાયા છે. તેમજ ડેન્જર ડ્રાઈવિંગ મામલે પણ 148 કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને ડેન્જર ડ્રાઈવિંગમાં લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. અને ડેન્જર ડ્રાઈવિંગ કેસમાં 2 લાખ 58 હજારનો દંડ વસુલ કર્યો છે. છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરમાં 3324 કેસ નોંધાયા છે. 


આ નિયમોના ભંગ બદલ થઈ કાર્યવાહી


અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ આ અંગે જણાવ્યુ છે કે, છેલ્લા 30 દિવસમા ટ્રાફિક અને આરટીઓના નિયમ ભંગ બદલ પીયુસી ન હોવાના 788 કેસમાં 3 લાખ 96 હજારનો દંડ વસુલ કર્યો છે. લાયસન્સ ન હોવાના 680 કેસમાં 14 લાખ 36 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો. ઈન્સ્યોરન્સ ન હોવા બદલ 494 કેસ 9 લાખ 94 હજારનો દંડ લેવામાં આવ્યો છે. હેલમેટ 156 કેસ, ડેન્જર ડ્રાઈવિંગના 148 કેસ અને ઓવર સ્પીડના 215 સહિન કુલ 3324 કેસમા નોંધાયા છે. 48 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઓવર સ્પીડ માટે પણ નિયમ છે, જો કે દરેક રોડ પર અલગ અલગ સ્પીડ નક્કી કરવામાં આવેલ છે. અને જો એ સ્પીડ પ્રમાણે વાહન ચલાવતા નથી તો ઓવર સ્પીડ વાહનને લઈ કાર્યવાહી થય શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.