અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 30 દિવસમાં 3324 કેસ નોંધાયા, 48 લાખથી વધુનો દંડ વસૂલાયો


  • Published By :
  • Published Date : 2023-09-01 21:27:59

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગમખ્વાર અકસ્માત સર્જીને 10 લોકોનો ભોગ લીધો હતો. જો આ ભયાનક દુર્ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશિયલ ડાઈવ શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ નિયમોના ભંગ કરનારા શહેરના વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરવાસીઓ પાસેથી 48 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ આરટીઓએ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 215 કેસ નોધાયા છે. તેમજ ડેન્જર ડ્રાઈવિંગ મામલે પણ 148 કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને ડેન્જર ડ્રાઈવિંગમાં લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. અને ડેન્જર ડ્રાઈવિંગ કેસમાં 2 લાખ 58 હજારનો દંડ વસુલ કર્યો છે. છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરમાં 3324 કેસ નોંધાયા છે. 


આ નિયમોના ભંગ બદલ થઈ કાર્યવાહી


અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ આ અંગે જણાવ્યુ છે કે, છેલ્લા 30 દિવસમા ટ્રાફિક અને આરટીઓના નિયમ ભંગ બદલ પીયુસી ન હોવાના 788 કેસમાં 3 લાખ 96 હજારનો દંડ વસુલ કર્યો છે. લાયસન્સ ન હોવાના 680 કેસમાં 14 લાખ 36 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો. ઈન્સ્યોરન્સ ન હોવા બદલ 494 કેસ 9 લાખ 94 હજારનો દંડ લેવામાં આવ્યો છે. હેલમેટ 156 કેસ, ડેન્જર ડ્રાઈવિંગના 148 કેસ અને ઓવર સ્પીડના 215 સહિન કુલ 3324 કેસમા નોંધાયા છે. 48 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઓવર સ્પીડ માટે પણ નિયમ છે, જો કે દરેક રોડ પર અલગ અલગ સ્પીડ નક્કી કરવામાં આવેલ છે. અને જો એ સ્પીડ પ્રમાણે વાહન ચલાવતા નથી તો ઓવર સ્પીડ વાહનને લઈ કાર્યવાહી થય શકે છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.