અમદાવાદની સાબરમતી પોલીસે શકુનીઓ ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 10:11:59

અમદાવાદ પોલીસના સાબરમતી પોલીસ મથકે સાબરમતીના રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં રેડ પાડીને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં 3 લોકો વોન્ટેડ છે. 


જુગારધામમાં 10 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ પોલીસે જુગારધામમાં રેડ પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. સાબરમતી વિસ્તારના ગુરુદ્વારા પાછળના રેલવે કોલોનીમાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં મોટો જુગારધામ ચાલી રહ્યો છે. જુગારધામમાંથી પોલીસને 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી જે પોલીસે જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે 70 લાખની કિંમતના 14 મોબાઈલ, 7 લાખનું એક ફોરવ્હીલ અને 80 હજારની કિંમતના 3 ટુવ્હીલ ઝડપી પાડ્યા હતા. 


3 જુગારીઓ વોન્ટેડ બોલે છે

સાબરમતી પોલીસે જુગારધામમાંથી 12 લોકોને પકડી પાડ્યા હતા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી, તેનો પાર્ટનર અને જુગારધામ માટે સરકારી ક્વાર્ટર ભાડે આપનાર 1 રેલવે કર્મચારી હાલ વોન્ટેડ છે. 

મામલાની ગંભીરતા જોઈ DGPએ લીધો ત્વરિત નિર્ણય    

જુગારધામ પકડાતા આ અંગે ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના DGPએ પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  ઉપરાંત આ કેસમાં IPSની પૂછપરછ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ PSI દર્શન એજન્સીના વહીવટદાર હોય તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPSનો વહીવટદાર હતો. આ કેસમાં જુગારધારા તથા IPCની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો છે. આવો કેસ ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. ઉપરાંત રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી કર્વાટર્સ બાબુ દાઢીને આપ્યું હતું તેવું સામે આવ્યું છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે