અમદાવાદની સાબરમતી પોલીસે શકુનીઓ ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 10:11:59

અમદાવાદ પોલીસના સાબરમતી પોલીસ મથકે સાબરમતીના રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં રેડ પાડીને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં 3 લોકો વોન્ટેડ છે. 


જુગારધામમાં 10 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ પોલીસે જુગારધામમાં રેડ પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. સાબરમતી વિસ્તારના ગુરુદ્વારા પાછળના રેલવે કોલોનીમાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં મોટો જુગારધામ ચાલી રહ્યો છે. જુગારધામમાંથી પોલીસને 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી જે પોલીસે જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે 70 લાખની કિંમતના 14 મોબાઈલ, 7 લાખનું એક ફોરવ્હીલ અને 80 હજારની કિંમતના 3 ટુવ્હીલ ઝડપી પાડ્યા હતા. 


3 જુગારીઓ વોન્ટેડ બોલે છે

સાબરમતી પોલીસે જુગારધામમાંથી 12 લોકોને પકડી પાડ્યા હતા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી, તેનો પાર્ટનર અને જુગારધામ માટે સરકારી ક્વાર્ટર ભાડે આપનાર 1 રેલવે કર્મચારી હાલ વોન્ટેડ છે. 

મામલાની ગંભીરતા જોઈ DGPએ લીધો ત્વરિત નિર્ણય    

જુગારધામ પકડાતા આ અંગે ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના DGPએ પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  ઉપરાંત આ કેસમાં IPSની પૂછપરછ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ PSI દર્શન એજન્સીના વહીવટદાર હોય તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPSનો વહીવટદાર હતો. આ કેસમાં જુગારધારા તથા IPCની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો છે. આવો કેસ ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. ઉપરાંત રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી કર્વાટર્સ બાબુ દાઢીને આપ્યું હતું તેવું સામે આવ્યું છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.