અમદાવાદની સાબરમતી પોલીસે શકુનીઓ ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 10:11:59

અમદાવાદ પોલીસના સાબરમતી પોલીસ મથકે સાબરમતીના રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં રેડ પાડીને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં 3 લોકો વોન્ટેડ છે. 


જુગારધામમાં 10 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ પોલીસે જુગારધામમાં રેડ પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. સાબરમતી વિસ્તારના ગુરુદ્વારા પાછળના રેલવે કોલોનીમાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં મોટો જુગારધામ ચાલી રહ્યો છે. જુગારધામમાંથી પોલીસને 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી જે પોલીસે જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે 70 લાખની કિંમતના 14 મોબાઈલ, 7 લાખનું એક ફોરવ્હીલ અને 80 હજારની કિંમતના 3 ટુવ્હીલ ઝડપી પાડ્યા હતા. 


3 જુગારીઓ વોન્ટેડ બોલે છે

સાબરમતી પોલીસે જુગારધામમાંથી 12 લોકોને પકડી પાડ્યા હતા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી, તેનો પાર્ટનર અને જુગારધામ માટે સરકારી ક્વાર્ટર ભાડે આપનાર 1 રેલવે કર્મચારી હાલ વોન્ટેડ છે. 

મામલાની ગંભીરતા જોઈ DGPએ લીધો ત્વરિત નિર્ણય    

જુગારધામ પકડાતા આ અંગે ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના DGPએ પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  ઉપરાંત આ કેસમાં IPSની પૂછપરછ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ PSI દર્શન એજન્સીના વહીવટદાર હોય તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPSનો વહીવટદાર હતો. આ કેસમાં જુગારધારા તથા IPCની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો છે. આવો કેસ ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. ઉપરાંત રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી કર્વાટર્સ બાબુ દાઢીને આપ્યું હતું તેવું સામે આવ્યું છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.