અમદાવાદની સોલા પોલીસે બે બુટલેગરો સામે નોંધી ફરિયાદ, દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-12-27 22:37:28

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસ જી હાઈવે પર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસે તવાઈ બોલાવી છે. દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસે દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.  


બે આરોપી વિરૂધ્ધ ફરિયાદ


અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂનું વેચાણ કરતા મિનેશ કનુભાઈ પટેલ ઉ.વ 33 રહેઠાણ, મંદિરવાળો વાસ સોલા ગામ તથા અન્ય એક આરોપી સુનિલભાઈ સોમાભાઈ રાવળ ઉ.વ 34 રહેઠાણ, ચાલી નંબર-2 લક્ષ્મણગઢનો ટેકરો પાવાપુરી,ઘાટલોડિયા અમદાવાદ સામે કાર્યવાહી કરી છે. આ આરોપીઓ સામે પોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


પોલીસના પ્રયાસો છતાં દારૂનું વેચાણ


સોલા અને એસ જી હાઈવેની આસપાસ ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી બુટલેગરોને પકડે પણ છે. તેમ છતાં પણ રીઢા બુટલેગરો જામીન પર જેલમાંથી છુટીને તેમનો દારૂના વેચાણનો ધંધો કરાવામાં ફરી પ્રવૃત થઈ જાય છે. સોલા પોલીસે આ વિસ્તારમાં અનેક વખત રેડ પાડીને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે પણ  બુટલેગરો અન્ય સ્થળોએથી દારૂનો ધંધો ફરી શરૂ કરી દેતા હોય છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.