અમદાવાદની સોલા પોલીસે બે બુટલેગરો સામે નોંધી ફરિયાદ, દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-12-27 22:37:28

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસ જી હાઈવે પર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસે તવાઈ બોલાવી છે. દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસે દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.  


બે આરોપી વિરૂધ્ધ ફરિયાદ


અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂનું વેચાણ કરતા મિનેશ કનુભાઈ પટેલ ઉ.વ 33 રહેઠાણ, મંદિરવાળો વાસ સોલા ગામ તથા અન્ય એક આરોપી સુનિલભાઈ સોમાભાઈ રાવળ ઉ.વ 34 રહેઠાણ, ચાલી નંબર-2 લક્ષ્મણગઢનો ટેકરો પાવાપુરી,ઘાટલોડિયા અમદાવાદ સામે કાર્યવાહી કરી છે. આ આરોપીઓ સામે પોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


પોલીસના પ્રયાસો છતાં દારૂનું વેચાણ


સોલા અને એસ જી હાઈવેની આસપાસ ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી બુટલેગરોને પકડે પણ છે. તેમ છતાં પણ રીઢા બુટલેગરો જામીન પર જેલમાંથી છુટીને તેમનો દારૂના વેચાણનો ધંધો કરાવામાં ફરી પ્રવૃત થઈ જાય છે. સોલા પોલીસે આ વિસ્તારમાં અનેક વખત રેડ પાડીને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે પણ  બુટલેગરો અન્ય સ્થળોએથી દારૂનો ધંધો ફરી શરૂ કરી દેતા હોય છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.