અમદાવાદની સોલા પોલીસે બે બુટલેગરો સામે નોંધી ફરિયાદ, દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-12-27 22:37:28

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસ જી હાઈવે પર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસે તવાઈ બોલાવી છે. દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસે દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.  


બે આરોપી વિરૂધ્ધ ફરિયાદ


અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂનું વેચાણ કરતા મિનેશ કનુભાઈ પટેલ ઉ.વ 33 રહેઠાણ, મંદિરવાળો વાસ સોલા ગામ તથા અન્ય એક આરોપી સુનિલભાઈ સોમાભાઈ રાવળ ઉ.વ 34 રહેઠાણ, ચાલી નંબર-2 લક્ષ્મણગઢનો ટેકરો પાવાપુરી,ઘાટલોડિયા અમદાવાદ સામે કાર્યવાહી કરી છે. આ આરોપીઓ સામે પોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


પોલીસના પ્રયાસો છતાં દારૂનું વેચાણ


સોલા અને એસ જી હાઈવેની આસપાસ ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી બુટલેગરોને પકડે પણ છે. તેમ છતાં પણ રીઢા બુટલેગરો જામીન પર જેલમાંથી છુટીને તેમનો દારૂના વેચાણનો ધંધો કરાવામાં ફરી પ્રવૃત થઈ જાય છે. સોલા પોલીસે આ વિસ્તારમાં અનેક વખત રેડ પાડીને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે પણ  બુટલેગરો અન્ય સ્થળોએથી દારૂનો ધંધો ફરી શરૂ કરી દેતા હોય છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.