Ahmedabad : Sindhu bhavan રોડ નબીરોઓનું હોટસ્પોટ બન્યું! રેસ લગાવવના ચક્કરમાં કારે સર્જ્યો અકસ્માત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 10:14:33

ઓવર-સ્પીડિંગને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તેવા સમાચારો અનેક વખત કહેવામાં આવે છે. થોડા સમય પહેલા નબીરા તથ્ય પટેલે સિંધુભવન પર એક અકસ્માત સર્જ્યો હતો જેમાં 9થી 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદના સિંધુભવનમાં ફરી અકસ્માત સર્જાયો છે. સિંધુભવનમાં મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસ કરી હતી અને આ દરમિયાન મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે.

 અમદાવાદ: શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ પણ નબીરાઓ સુઘરતા નથી. તથ્યની દિવાલી જેલમાં છતાં નબીરાઓ ગેલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા.

 નબીરાઓની કરતૂતને લીધે દિવાળીના દિવસે જ અનેક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો.

સિંધુભવન રોડ પર ફરી સર્જાયો અકસ્માત 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એવી આશા હતી કે કદાચ નબીરાઓ સુધરી જશે. તેમને ભલે પોતાના જીવની કદર નહીં હોય પરંતુ તેમને બીજાના જીવનની કદર હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી. નબીરાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્ય પટેલ કેસમાંથી પણ  નબીરાઓ સુધરતા નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધુભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. દિવાળીના દિવસો દરમિયાન નબીરાઓ બેફામ બન્યા છે. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. 

 અમદાવાદમાં દિવાળીનાં દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર મોડી રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અનેક ગાડીઓ આવી અડફેટે 

દિવાળીના સમય દરમિાયન અનેક રોડ ખાલી હોય છે. જેને કારણે અનેક વાહનચાલકો બેફામ બની વાહન ચલાવતા હોય છે. રોડ તેમના બાપનો હોય તેવી રીતે નબીરાઓ ગાડી ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ગાડીની સ્પીડ એટલી હતી કે ટક્કર થયા બાદ પણ 500 મીટર જેટલી ગાડી ઢસડાઈ હતી. 

 મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.

પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ તહેવારના દિવસે મોટી દુર્ઘટના ટળી છે. જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતો હોત તો તે આ અકસ્માતમાં ભોગ બન્યો હોત! સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્યાં સુધી નબીરાઓના કારણે નિર્દોષ લોકોના જીવન સંકટમાં મૂકાતા રહેશે?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે