Ahmedabad : Sindhu bhavan રોડ નબીરોઓનું હોટસ્પોટ બન્યું! રેસ લગાવવના ચક્કરમાં કારે સર્જ્યો અકસ્માત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 10:14:33

ઓવર-સ્પીડિંગને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તેવા સમાચારો અનેક વખત કહેવામાં આવે છે. થોડા સમય પહેલા નબીરા તથ્ય પટેલે સિંધુભવન પર એક અકસ્માત સર્જ્યો હતો જેમાં 9થી 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદના સિંધુભવનમાં ફરી અકસ્માત સર્જાયો છે. સિંધુભવનમાં મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસ કરી હતી અને આ દરમિયાન મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે.

 અમદાવાદ: શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ પણ નબીરાઓ સુઘરતા નથી. તથ્યની દિવાલી જેલમાં છતાં નબીરાઓ ગેલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા.

 નબીરાઓની કરતૂતને લીધે દિવાળીના દિવસે જ અનેક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો.

સિંધુભવન રોડ પર ફરી સર્જાયો અકસ્માત 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એવી આશા હતી કે કદાચ નબીરાઓ સુધરી જશે. તેમને ભલે પોતાના જીવની કદર નહીં હોય પરંતુ તેમને બીજાના જીવનની કદર હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી. નબીરાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્ય પટેલ કેસમાંથી પણ  નબીરાઓ સુધરતા નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધુભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. દિવાળીના દિવસો દરમિયાન નબીરાઓ બેફામ બન્યા છે. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. 

 અમદાવાદમાં દિવાળીનાં દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર મોડી રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અનેક ગાડીઓ આવી અડફેટે 

દિવાળીના સમય દરમિાયન અનેક રોડ ખાલી હોય છે. જેને કારણે અનેક વાહનચાલકો બેફામ બની વાહન ચલાવતા હોય છે. રોડ તેમના બાપનો હોય તેવી રીતે નબીરાઓ ગાડી ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ગાડીની સ્પીડ એટલી હતી કે ટક્કર થયા બાદ પણ 500 મીટર જેટલી ગાડી ઢસડાઈ હતી. 

 મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.

પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ તહેવારના દિવસે મોટી દુર્ઘટના ટળી છે. જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતો હોત તો તે આ અકસ્માતમાં ભોગ બન્યો હોત! સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્યાં સુધી નબીરાઓના કારણે નિર્દોષ લોકોના જીવન સંકટમાં મૂકાતા રહેશે?    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.