Ahmedabad : સપ્ટેમ્બર મહિનો યુવાનો માટે રહ્યો ભારે! 108ની ટીમને કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા આટલા કોલ


  • Published By :
  • Published Date : 2023-10-06 11:56:44

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણી સમક્ષ એવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા જનક છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 108ની ટીમને હાર્ટ એટેકને લગતા અનેક ફોન કોલ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીના 190થી વધુ કોલ્સ 108ની ટીમને આવ્યા છે. 



યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતા વધારી 

અવાર-નવાર લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે ભવિષ્યની ચિંતા ઓછી કરી વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ. જીવનનો કોઈ ભરસો નથી. આજ ક્ષણમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને આવતી ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. તે આપણે જાણતા નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં સાજો દેખાતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી શકે છે કારણે અનેક શહેરોથી એવા આંકડા સામે આવ્યા છે.  



1900થી વધારે આવ્યા 108ને કાર્ડિયાક ઈમરજન્સીના કોલ!

અમદાવાદની વાત કરીએ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કાર્ટિક એટેકના 1900થી વધારે કોલ 108 ઈમરજન્સી ટીમને આવ્યા છે. એનો મતલબ કે 60 જેટલા કોર્લસ પ્રતિદિન ઈમરજન્સી ટીમને માત્ર સપ્ટેમ્બર મહિનામાં આવ્યા છે. 1910 જેટલા કોલ જ તો માત્ર  કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. તે સિવાય રાજકોટથી પણ આંકડો સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક મહિનામાં 450થી વધારે કેસ હાર્ટ એટેકના નોંધાયા છે. 108 ઈમરજન્સી ટીમને 450થી વધારે કોલ આવ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 


ગઈકાલે પણ એક યુવાને ગુમાવ્યો જીવ 

છેલ્લા થોડા દિવસોમાં જ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે સુરતમાં એક વ્યક્તિનું મોત ગરબા રમતા રમતા થઈ ગયું હતું જ્યારે એની પહેલા પણ આવો કિસ્સો જામનગરથી સામે આવ્યો હતો. ત્યાં 49 વર્ષીય છોકરો ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં સાજો દેખાતો માણસ ક્યારે પણ ઉકલી જાય છે.


રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર હાજર રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસો નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. ગરબા માટે તો ખેલૈયાઓ ઉત્સાહિત હોય છે ત્યારે ગરબા રમતી વખતે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો લોકોને સારવાર મળી રહે તે માટે રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ હાજર રહેશે તે ઉપરાંત 108ની ટીમ પણ વહેલી તકે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાએ ચિંતા વધારી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.