Ahmedabad : સપ્ટેમ્બર મહિનો યુવાનો માટે રહ્યો ભારે! 108ની ટીમને કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા આટલા કોલ


  • Published By :
  • Published Date : 2023-10-06 11:56:44

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણી સમક્ષ એવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા જનક છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 108ની ટીમને હાર્ટ એટેકને લગતા અનેક ફોન કોલ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીના 190થી વધુ કોલ્સ 108ની ટીમને આવ્યા છે. 



યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતા વધારી 

અવાર-નવાર લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે ભવિષ્યની ચિંતા ઓછી કરી વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ. જીવનનો કોઈ ભરસો નથી. આજ ક્ષણમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને આવતી ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. તે આપણે જાણતા નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં સાજો દેખાતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી શકે છે કારણે અનેક શહેરોથી એવા આંકડા સામે આવ્યા છે.  



1900થી વધારે આવ્યા 108ને કાર્ડિયાક ઈમરજન્સીના કોલ!

અમદાવાદની વાત કરીએ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કાર્ટિક એટેકના 1900થી વધારે કોલ 108 ઈમરજન્સી ટીમને આવ્યા છે. એનો મતલબ કે 60 જેટલા કોર્લસ પ્રતિદિન ઈમરજન્સી ટીમને માત્ર સપ્ટેમ્બર મહિનામાં આવ્યા છે. 1910 જેટલા કોલ જ તો માત્ર  કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. તે સિવાય રાજકોટથી પણ આંકડો સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક મહિનામાં 450થી વધારે કેસ હાર્ટ એટેકના નોંધાયા છે. 108 ઈમરજન્સી ટીમને 450થી વધારે કોલ આવ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 


ગઈકાલે પણ એક યુવાને ગુમાવ્યો જીવ 

છેલ્લા થોડા દિવસોમાં જ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે સુરતમાં એક વ્યક્તિનું મોત ગરબા રમતા રમતા થઈ ગયું હતું જ્યારે એની પહેલા પણ આવો કિસ્સો જામનગરથી સામે આવ્યો હતો. ત્યાં 49 વર્ષીય છોકરો ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં સાજો દેખાતો માણસ ક્યારે પણ ઉકલી જાય છે.


રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર હાજર રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસો નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. ગરબા માટે તો ખેલૈયાઓ ઉત્સાહિત હોય છે ત્યારે ગરબા રમતી વખતે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો લોકોને સારવાર મળી રહે તે માટે રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ હાજર રહેશે તે ઉપરાંત 108ની ટીમ પણ વહેલી તકે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાએ ચિંતા વધારી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.