Ahmedabad : સપ્ટેમ્બર મહિનો યુવાનો માટે રહ્યો ભારે! 108ની ટીમને કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા આટલા કોલ


  • Published By :
  • Published Date : 2023-10-06 11:56:44

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણી સમક્ષ એવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા જનક છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 108ની ટીમને હાર્ટ એટેકને લગતા અનેક ફોન કોલ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીના 190થી વધુ કોલ્સ 108ની ટીમને આવ્યા છે. 



યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતા વધારી 

અવાર-નવાર લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે ભવિષ્યની ચિંતા ઓછી કરી વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ. જીવનનો કોઈ ભરસો નથી. આજ ક્ષણમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને આવતી ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. તે આપણે જાણતા નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં સાજો દેખાતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી શકે છે કારણે અનેક શહેરોથી એવા આંકડા સામે આવ્યા છે.  



1900થી વધારે આવ્યા 108ને કાર્ડિયાક ઈમરજન્સીના કોલ!

અમદાવાદની વાત કરીએ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કાર્ટિક એટેકના 1900થી વધારે કોલ 108 ઈમરજન્સી ટીમને આવ્યા છે. એનો મતલબ કે 60 જેટલા કોર્લસ પ્રતિદિન ઈમરજન્સી ટીમને માત્ર સપ્ટેમ્બર મહિનામાં આવ્યા છે. 1910 જેટલા કોલ જ તો માત્ર  કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. તે સિવાય રાજકોટથી પણ આંકડો સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક મહિનામાં 450થી વધારે કેસ હાર્ટ એટેકના નોંધાયા છે. 108 ઈમરજન્સી ટીમને 450થી વધારે કોલ આવ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 


ગઈકાલે પણ એક યુવાને ગુમાવ્યો જીવ 

છેલ્લા થોડા દિવસોમાં જ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે સુરતમાં એક વ્યક્તિનું મોત ગરબા રમતા રમતા થઈ ગયું હતું જ્યારે એની પહેલા પણ આવો કિસ્સો જામનગરથી સામે આવ્યો હતો. ત્યાં 49 વર્ષીય છોકરો ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં સાજો દેખાતો માણસ ક્યારે પણ ઉકલી જાય છે.


રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર હાજર રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસો નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. ગરબા માટે તો ખેલૈયાઓ ઉત્સાહિત હોય છે ત્યારે ગરબા રમતી વખતે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો લોકોને સારવાર મળી રહે તે માટે રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ હાજર રહેશે તે ઉપરાંત 108ની ટીમ પણ વહેલી તકે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાએ ચિંતા વધારી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.