Ahmedabad : સપ્ટેમ્બર મહિનો યુવાનો માટે રહ્યો ભારે! 108ની ટીમને કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા આટલા કોલ


  • Published By :
  • Published Date : 2023-10-06 11:56:44

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણી સમક્ષ એવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા જનક છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 108ની ટીમને હાર્ટ એટેકને લગતા અનેક ફોન કોલ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીના 190થી વધુ કોલ્સ 108ની ટીમને આવ્યા છે. 



યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતા વધારી 

અવાર-નવાર લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે ભવિષ્યની ચિંતા ઓછી કરી વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ. જીવનનો કોઈ ભરસો નથી. આજ ક્ષણમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને આવતી ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. તે આપણે જાણતા નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં સાજો દેખાતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી શકે છે કારણે અનેક શહેરોથી એવા આંકડા સામે આવ્યા છે.  



1900થી વધારે આવ્યા 108ને કાર્ડિયાક ઈમરજન્સીના કોલ!

અમદાવાદની વાત કરીએ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કાર્ટિક એટેકના 1900થી વધારે કોલ 108 ઈમરજન્સી ટીમને આવ્યા છે. એનો મતલબ કે 60 જેટલા કોર્લસ પ્રતિદિન ઈમરજન્સી ટીમને માત્ર સપ્ટેમ્બર મહિનામાં આવ્યા છે. 1910 જેટલા કોલ જ તો માત્ર  કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. તે સિવાય રાજકોટથી પણ આંકડો સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક મહિનામાં 450થી વધારે કેસ હાર્ટ એટેકના નોંધાયા છે. 108 ઈમરજન્સી ટીમને 450થી વધારે કોલ આવ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 


ગઈકાલે પણ એક યુવાને ગુમાવ્યો જીવ 

છેલ્લા થોડા દિવસોમાં જ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે સુરતમાં એક વ્યક્તિનું મોત ગરબા રમતા રમતા થઈ ગયું હતું જ્યારે એની પહેલા પણ આવો કિસ્સો જામનગરથી સામે આવ્યો હતો. ત્યાં 49 વર્ષીય છોકરો ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં સાજો દેખાતો માણસ ક્યારે પણ ઉકલી જાય છે.


રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર હાજર રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસો નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. ગરબા માટે તો ખેલૈયાઓ ઉત્સાહિત હોય છે ત્યારે ગરબા રમતી વખતે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો લોકોને સારવાર મળી રહે તે માટે રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ હાજર રહેશે તે ઉપરાંત 108ની ટીમ પણ વહેલી તકે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાએ ચિંતા વધારી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.