અમદાવાદ:ફ્લાઈટના ટોયલેટમાં યુવકે એવું કામ કર્યુ કે એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે સીધોદોર કરી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:16:27

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે નિયમોની કરી ઐસી કી તૈસી
ફ્લાઈટના ટોયલેટમાં જઈને મુસાફરે સિગારેટ પીધી, ક્રૂએ ઝડપી પાડ્યો
ફ્લાઈટ લેન્ડ થતા જ મુસાફરને એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો


કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે નિયમોની ઐસી તૈસી કરતા હોય છે. ત્યારે દુબઈથી અમદાવાદ આવી રહી ફ્લાઈટના એક મુસાફરે પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. આ મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. વાતની જાણ થતા જ ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતા જ તેને પોલીસના હવાલે કરી દીધો હતો.


કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે ન કરવાનું કામ કરી બેસતા હોય છે. જે બાદ તેઓને તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એવું કામ કર્યુ કે આખરે તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ શખસ દુબઈથી અમદાવાદની ફ્લાઈટમાં આવી રહ્યો હતો. ત્યારે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એક એવું કામ કર્યુ કે ફ્લાઈટના ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકાય એવું કામ કરતા તેને શબક શીખવાડવા માટે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad airport to be partially closed during January-May | Mint

અન્ય પેસેન્જર્સના જીવ જોખમમાં મૂક્યા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે કેટલાંક નિયમો ખાસ પાળવાના હોય છે. ત્યારે કેટલાંક મુસાફરો ફ્લાઈટમાં કેટલાંક નિયમોનું પાલન કરતા હોતા નથી. જેના કારણે અન્ય મુસાફરોના જીવને પણ જોખમ ઉભુ થતુ હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી અમદાવાદની એક ફ્લાઈટ આવી રહી હતી. આ ફ્લાઈટમાં એક મુસાફરે અન્ય પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવી હરકત કરી હતી. જે બાદ તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો.


ટોયલેટમાં જઈને સિગારેટ પીધી

લાભસિંહ નામના મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. જો કે, આ વાતની જાણ ફ્લાઈટના ક્રૂને થઈ જતા તેને પકડ્યો હતો. ફ્લાઈટમાં સિગારેટ પીને તેણે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. બાદમાં ક્રૂએ આ વાતની જાણ ફ્લાઈટના સિક્યુરિટી ઓફિસરને કરી હતી. જ્યારે ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારે એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી લાભસિંહ મૂળ પંજાબના કોઈ ગામનો વતની છે.


પોલીસે મુસાફરને સીધો કરી દીધો

મહત્વની વાત તો એ છે કે, આ મુસાફર ફ્લાઈટમાં સિગારેટ લઈને કેવી રીતે ઘૂસ્યો એ પણ એક મોટો સવાલ છે. કારણ કે જ્યારે કોઈ પણ મુસાફર ફ્લાઈટમાં પ્રવેશ કરે એ પહેલાં તેનું અને સાથે રહેલા સામાનનું ચેકિંગ થતુ હોય છે. જો કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ વસ્તુ મળે તો તે કબજે કરી લેવામાં આવે છે. એટલે તે ફ્લાઈટમાં સિગારેટ લઈને ઘૂસ્યો એ વાત સાબિત કરે છે ચેકિંગમાં કોઈ બેદરકારી થઈ હશે. આ સિવાય ક્રૂ દ્વારા બીજા એક યુવકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાભસિંહની સાથે કમલજીત નામનો મુસાફર હતો. એ પણ દારુના નશામાં હતો અને માથાકૂટ કરી હતી. ત્યારે આ શખસને પણ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે બંને મામલે અલગ અલગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.