વિદેશની ધરતી પર થઈ અમદાવાદી યુવાનની હત્યા, અપહરણ કરી ખંડણીની કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 13:47:14

ભારતના અનેક પરિવારો એવા હશે જેમના પરિવારજન વિદેશ વસતા હશે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં ભારતીય લોકોની હત્યા કરવામાં આવી હોય. અનેક ભારતીયોની હત્યા વિદેશની ધરતી પર થઈ છે. ત્યારે વધુ એક ગુજરાતીની મોત અમેરિકામાં થઈ છે. મેમનગરમાં રહેતા હિરેન ગજેરાની ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી હોય તેવા સમાચાર આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. એવી માહિતી સામે આવી રહી છે કે હિરેનનું પહેલા ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને બાદમાં પૈસાની ખંડણી કરવામાં આવી. તેમની માગ સ્વીકારવામાં પણ આવી પરંતુ ત્રાસવાદીઓએ હિરેન ગજેરાની હત્યા કરી દીધી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. 



વધુ એક ભારતીયની થઈ હત્યા

વિદેશમાં વસવાની ઘેલછા અનેક ભારતીયોના દિલમાં જાગી રહી છે. વિદેશ જઈ સારી કમાણી કરશે અને ફ્યુચર સેટ કરશે તેવી ઈચ્છા સાથે અનેક ભારતીયો વિદેશ જતા હોય છે. પરિવાર પણ હરખભેર તેમને વિદેશ મોકલે છે. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી હોય. વિદેશ જવાની લાલસામાં અનેક ભારતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ભારતીયની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. 


ગજેરા પરિવારે ગુમાવ્યો સભ્ય 

મહત્વનું છે ગુજરાતમાં પણ એવા અનેક પરિવારો છે જેમના પરિવારજન વિદેશમાં વસતા હશે. લોકો માને છે કે જો તેમના પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં હશે તો તેની પ્રતિષ્ઠતા વધશે. ગુજરાતના અમદાવાદના મેમનગરમાં રહેતા ગજેરા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે. 2006માં અમેરિકામાં સ્થાયી થવા માટે ગયા હતા. 2006થી 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં રહ્યા હતા.2014થી 2022 સુધી તેઓ અમદાવાદમાં રહ્યા હતા. માર્ચ 2022માં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા.          


ત્રાસવાદીઓએ હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો  

જે પ્રમાણે આ ઘટના અંગે માહિતી મળી રહી છે તે મુજબ ત્રાસવાદીઓએ પહેલા હિરેન ગજેરાનું અપહરણ કર્યું. બંધક બનાવ્યા બાદ પૈસાની માગણી કરી. 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સ તેમને આપવામાં આવશે ત્યારે તે હિરેનને છોડશે. આ મામલે નેગોશિયેશન કરવામાં આવ્યું છે 20 હજાર ડોલર લેવા માટે ત્રાસવાદીઓ તૈયાર થઈ ગયા પરંતુ શરત મૂકી કે પૈસા આપવા હિરેનની પત્ની આવશે. તે શરત પણ હિરેનના પરિવારે માની લીધી તેમ છતાંય ત્રાસવાદિઓએ હિરેનને છોડ્યો નહી. હિરેનની હત્યા કરી તેની લાશને નદીમાં ફેંકી દીધી. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.