વિદેશની ધરતી પર થઈ અમદાવાદી યુવાનની હત્યા, અપહરણ કરી ખંડણીની કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 13:47:14

ભારતના અનેક પરિવારો એવા હશે જેમના પરિવારજન વિદેશ વસતા હશે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં ભારતીય લોકોની હત્યા કરવામાં આવી હોય. અનેક ભારતીયોની હત્યા વિદેશની ધરતી પર થઈ છે. ત્યારે વધુ એક ગુજરાતીની મોત અમેરિકામાં થઈ છે. મેમનગરમાં રહેતા હિરેન ગજેરાની ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી હોય તેવા સમાચાર આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. એવી માહિતી સામે આવી રહી છે કે હિરેનનું પહેલા ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને બાદમાં પૈસાની ખંડણી કરવામાં આવી. તેમની માગ સ્વીકારવામાં પણ આવી પરંતુ ત્રાસવાદીઓએ હિરેન ગજેરાની હત્યા કરી દીધી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. 



વધુ એક ભારતીયની થઈ હત્યા

વિદેશમાં વસવાની ઘેલછા અનેક ભારતીયોના દિલમાં જાગી રહી છે. વિદેશ જઈ સારી કમાણી કરશે અને ફ્યુચર સેટ કરશે તેવી ઈચ્છા સાથે અનેક ભારતીયો વિદેશ જતા હોય છે. પરિવાર પણ હરખભેર તેમને વિદેશ મોકલે છે. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી હોય. વિદેશ જવાની લાલસામાં અનેક ભારતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ભારતીયની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. 


ગજેરા પરિવારે ગુમાવ્યો સભ્ય 

મહત્વનું છે ગુજરાતમાં પણ એવા અનેક પરિવારો છે જેમના પરિવારજન વિદેશમાં વસતા હશે. લોકો માને છે કે જો તેમના પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં હશે તો તેની પ્રતિષ્ઠતા વધશે. ગુજરાતના અમદાવાદના મેમનગરમાં રહેતા ગજેરા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે. 2006માં અમેરિકામાં સ્થાયી થવા માટે ગયા હતા. 2006થી 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં રહ્યા હતા.2014થી 2022 સુધી તેઓ અમદાવાદમાં રહ્યા હતા. માર્ચ 2022માં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા.          


ત્રાસવાદીઓએ હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો  

જે પ્રમાણે આ ઘટના અંગે માહિતી મળી રહી છે તે મુજબ ત્રાસવાદીઓએ પહેલા હિરેન ગજેરાનું અપહરણ કર્યું. બંધક બનાવ્યા બાદ પૈસાની માગણી કરી. 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સ તેમને આપવામાં આવશે ત્યારે તે હિરેનને છોડશે. આ મામલે નેગોશિયેશન કરવામાં આવ્યું છે 20 હજાર ડોલર લેવા માટે ત્રાસવાદીઓ તૈયાર થઈ ગયા પરંતુ શરત મૂકી કે પૈસા આપવા હિરેનની પત્ની આવશે. તે શરત પણ હિરેનના પરિવારે માની લીધી તેમ છતાંય ત્રાસવાદિઓએ હિરેનને છોડ્યો નહી. હિરેનની હત્યા કરી તેની લાશને નદીમાં ફેંકી દીધી. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .