AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીની સુરતની સભામાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા


  • Published By :
  • Published Date : 2022-11-14 14:57:51

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે બે નવા પક્ષો AAP અને AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ તેમની પાર્ટી AIMIMના ઉમેદવાર માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે સુરતમાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જો તે તે વખતે તેમના વિરોધમાં કાળા વાવટા અને ‘મોદી-મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા. 


યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા


હૈદરાબાદથી AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્ટેજ પર આવ્યા તે વખતે જ સભામાં હાજર રહેલા કેટલાકકેટલાક યુવાનોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીની મુલાકાતના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવાનોમાં કેટલાક મુસ્લિમો પણ હતા. આ યુવાનોમાંથી કેટલાકે કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.