AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીની સુરતની સભામાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા


  • Published By :
  • Published Date : 2022-11-14 14:57:51

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે બે નવા પક્ષો AAP અને AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ તેમની પાર્ટી AIMIMના ઉમેદવાર માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે સુરતમાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જો તે તે વખતે તેમના વિરોધમાં કાળા વાવટા અને ‘મોદી-મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા. 


યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા


હૈદરાબાદથી AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્ટેજ પર આવ્યા તે વખતે જ સભામાં હાજર રહેલા કેટલાકકેટલાક યુવાનોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીની મુલાકાતના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવાનોમાં કેટલાક મુસ્લિમો પણ હતા. આ યુવાનોમાંથી કેટલાકે કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.