Gujarat Loksabhaની આ બેઠકો પર AIMIM ઉતારશે ઉમેદવાર મેદાનમાં, Bharuch Loksabhaના ઉમેદવાર કોના વોટ કાપશે?


  • Published By :
  • Published Date : 2024-03-26 18:21:26

લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં દરેક રાજકીય પક્ષ લાગી ગયો છે. ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકસભાની અનેક બેઠકો પર AIMIM પોતાના ઉમેદવાર ઉતારશે... ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવશે.. 


AIMIM ગુજરાતની બે બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે!

દર પાંચ વર્ષે એક વખત લોકશાહીનો તહેવાર આવતો હોય છે. આ તહેવારમાં લોકો મતદાન અધિકારનો ઉપયોગ કરી સરકારને ચૂંટે છે. આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે અથવા તો થઈ ગઈ છે. આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ ચુકી છે . અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતની ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉમેદવારો થોડા સમય પછી જાહેર કરશે. મહત્વનું છે કે એક બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.  


AIMIMએ જણાવ્યું શા માટે ઉમેદવારને ઉતારવામાં આવે છે? 

વાત એમ છે , ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે. જ્યારે ભરુચ પરથી BJPના ઉમેદવાર  મનસુખ વસાવા છે તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે . AIMIM પાર્ટીએ આ ઉમેદવારો ઉતારવા પર એવો તર્ક આપ્યો છે કે , આ બંને બેઠક પર મુસ્લિમ સમાજની સંખ્યા વધારે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં AIMIMના પ્રદેશ પ્રમુખ જમાલપુરના પૂર્વ ધારાસભ્ય બિર કાંબલીવાળા છે. AIMIM પાર્ટીએ વધુમાં જણાવ્યું છે કે , આ લોકસભાના પરિણામ જે પણ હોય અમે આ ચૂંટણીઓથી AIMIMની કેડર મજબૂત કરવા માંગીએ છીએ. આ બાદ અમે ગાંધીનગર કોર્પોરેશનના એલેકશન્સ ૨૦૨૬ , અને ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ ૨૦૨૭ માં ઝંપલાવીશું. 


મુસ્લિમ રાજનીતિ અંગે વાત કરીએ તો.. 

ગુજરાત તેમજ દેશમાં અનેક સમુદાયો વસેલા છે અને તે સમુદાયોની અસર રાજનીતિ પર પડતી હોય છે. આપણે ગુજરાતની મુસ્લિમ રાજનીતિનો પણ થોડો અભ્યાસ કરીએ... ગુજરાતની કુલ વસ્તીના ૧૦ ટકા મુસ્લિમ છે , તેઓ ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૮ બેઠકો પર અસર પાડી શકે છે. તેઓ આઝાદી બાદથી રાજ્યમાં કોંગ્રેસ તરફી રહ્યા છે. 1980ના વિધાનસભા ચૂંટણીઓમાં તો ૧૭ મુસ્લિમ ઉમેદવારો લડ્યા હતા અને 12 ઉમેદવારો MLA તરીકે ચૂંટાયા હતા. પછી ધીરે ધીરે તેમનું પ્રભુત્વ ઓછું થતું ગયું, હવે તો 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર એક જ મુસ્લિમ MLA છે ઇમરાન ખેડાવાળા કે જેઓ અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટાયા છે . 


બીજેપીએ અત્યાર સુધીમાં માત્ર એક ઉમેદવારને આપી છે ટિકીટ!    

મુસ્લીમ મંત્રીની વાત કરીએ તો છેલ્લે દિલીપ પરીખની સરકાર વખતે ઉસ્માનગની દેવડીવાળા ૧૯૯૭માં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. આ તરફ BJPએ અત્યારસુધી માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ૧૯૯૮ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા પરથી ટિકિટ આપી હતી તેમનું નામ હતું કુરેશી અબ્દુલગની અબ્દુલ્લાભાઈ. તેઓ કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલ સામે હારી ગયા હતા. ત્યારે જોઈએ આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ કયા પક્ષને સાથ આપે છે?.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે