Gujarat Loksabhaની આ બેઠકો પર AIMIM ઉતારશે ઉમેદવાર મેદાનમાં, Bharuch Loksabhaના ઉમેદવાર કોના વોટ કાપશે?


  • Published By :
  • Published Date : 2024-03-26 18:21:26

લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં દરેક રાજકીય પક્ષ લાગી ગયો છે. ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકસભાની અનેક બેઠકો પર AIMIM પોતાના ઉમેદવાર ઉતારશે... ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવશે.. 


AIMIM ગુજરાતની બે બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે!

દર પાંચ વર્ષે એક વખત લોકશાહીનો તહેવાર આવતો હોય છે. આ તહેવારમાં લોકો મતદાન અધિકારનો ઉપયોગ કરી સરકારને ચૂંટે છે. આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે અથવા તો થઈ ગઈ છે. આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ ચુકી છે . અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતની ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉમેદવારો થોડા સમય પછી જાહેર કરશે. મહત્વનું છે કે એક બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.  


AIMIMએ જણાવ્યું શા માટે ઉમેદવારને ઉતારવામાં આવે છે? 

વાત એમ છે , ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે. જ્યારે ભરુચ પરથી BJPના ઉમેદવાર  મનસુખ વસાવા છે તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે . AIMIM પાર્ટીએ આ ઉમેદવારો ઉતારવા પર એવો તર્ક આપ્યો છે કે , આ બંને બેઠક પર મુસ્લિમ સમાજની સંખ્યા વધારે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં AIMIMના પ્રદેશ પ્રમુખ જમાલપુરના પૂર્વ ધારાસભ્ય બિર કાંબલીવાળા છે. AIMIM પાર્ટીએ વધુમાં જણાવ્યું છે કે , આ લોકસભાના પરિણામ જે પણ હોય અમે આ ચૂંટણીઓથી AIMIMની કેડર મજબૂત કરવા માંગીએ છીએ. આ બાદ અમે ગાંધીનગર કોર્પોરેશનના એલેકશન્સ ૨૦૨૬ , અને ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ ૨૦૨૭ માં ઝંપલાવીશું. 


મુસ્લિમ રાજનીતિ અંગે વાત કરીએ તો.. 

ગુજરાત તેમજ દેશમાં અનેક સમુદાયો વસેલા છે અને તે સમુદાયોની અસર રાજનીતિ પર પડતી હોય છે. આપણે ગુજરાતની મુસ્લિમ રાજનીતિનો પણ થોડો અભ્યાસ કરીએ... ગુજરાતની કુલ વસ્તીના ૧૦ ટકા મુસ્લિમ છે , તેઓ ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૮ બેઠકો પર અસર પાડી શકે છે. તેઓ આઝાદી બાદથી રાજ્યમાં કોંગ્રેસ તરફી રહ્યા છે. 1980ના વિધાનસભા ચૂંટણીઓમાં તો ૧૭ મુસ્લિમ ઉમેદવારો લડ્યા હતા અને 12 ઉમેદવારો MLA તરીકે ચૂંટાયા હતા. પછી ધીરે ધીરે તેમનું પ્રભુત્વ ઓછું થતું ગયું, હવે તો 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર એક જ મુસ્લિમ MLA છે ઇમરાન ખેડાવાળા કે જેઓ અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટાયા છે . 


બીજેપીએ અત્યાર સુધીમાં માત્ર એક ઉમેદવારને આપી છે ટિકીટ!    

મુસ્લીમ મંત્રીની વાત કરીએ તો છેલ્લે દિલીપ પરીખની સરકાર વખતે ઉસ્માનગની દેવડીવાળા ૧૯૯૭માં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. આ તરફ BJPએ અત્યારસુધી માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ૧૯૯૮ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા પરથી ટિકિટ આપી હતી તેમનું નામ હતું કુરેશી અબ્દુલગની અબ્દુલ્લાભાઈ. તેઓ કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલ સામે હારી ગયા હતા. ત્યારે જોઈએ આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ કયા પક્ષને સાથ આપે છે?.. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"