અમદાવાદમાં પણ વાયુ પ્રદુષણ વધ્યું, આ ચાર વિસ્તારોમાં AQI 300 પૉઇન્ટને પાર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:48:08

ગુજરાતમાં પણ વાયુ પ્રદુષણ વધી રહ્યું છે, રાજ્યના અમદાવાદ શહેરની હાલત પણ દિલ્હી જેવી થઈ રહી છે. અમદાવાદમાં પણ દિવાળી ટાણે વાયુ પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદ શહેરના ચાર વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થયો છે અને હવા સ્થાનિકો માટે હાનિકારક બની રહી છે.


શહેરના આ 4 વિસ્તારોમાં ભારે પ્રદુષણ

 

દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, તો વળી અન્યે બીજા બે વિસ્તારોનો ઇન્ડેક્સ 200 ને પાર પહોંચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં શહેરના રખિયાલ વિસ્તારમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 305એ પહોંચ્યો છે, લેખવાડામા એર ક્વૉલિટી ઇન્ડેક્સ 307એ પહોંચ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 203 એ પહોંચ્યા છે, અને નવરંગપુરામાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 244 પૉઇન્ટ પહોંચ્યા છે. આમ શહેરના આ ચાર વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી