અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:38:51

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે અજય દેવગને પોતાની નવી ફિલ્મ ભોલાનું ટીઝર લોન્ચ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ અજય દેવગણે મોશન પોસ્ટર શેર કર્યો હતો. મોશન પોસ્ટર જ્યારથી શેર થયો હતો ત્યારથી દર્શકો ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ભોલા ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે.

  

આકર્ષક છે ફિલ્મ ભોલાનું ટીઝર  

ટીઝરમાં અજય દેવગનનો ચહેરો નથી બતાવવામાં આવતો. ટીઝર એક અનાથાશ્રમથી શરૂ થયું છે. જેમાં એક નાની બાળકી દેખાઈ રહી અને તેને કહેવામાં આવે છે કે તેને મળવા કોઈ આવી રહ્યું છે. નેરેશન દરમિયાન અજય દેવગનને ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવે છે. અજય દેવગન આ ફિલ્મમાં એકદમ એક્શન મોડમાં દેખાવાના છે. જે પ્રમાણે ટીઝર બતાવવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી છે.  


भोला टीजर जारी


તમિલ ફિલ્મની રિમેક છે આ ફિલ્મ

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ, સંજય મિશ્રા સહિતના કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાના છે. આ ફિલ્મના ડાયરેક્ટર અજય દેવગન પોતે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ફિલ્મ કૈથીનું રિમેક છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી