અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:38:51

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે અજય દેવગને પોતાની નવી ફિલ્મ ભોલાનું ટીઝર લોન્ચ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ અજય દેવગણે મોશન પોસ્ટર શેર કર્યો હતો. મોશન પોસ્ટર જ્યારથી શેર થયો હતો ત્યારથી દર્શકો ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ભોલા ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે.

  

આકર્ષક છે ફિલ્મ ભોલાનું ટીઝર  

ટીઝરમાં અજય દેવગનનો ચહેરો નથી બતાવવામાં આવતો. ટીઝર એક અનાથાશ્રમથી શરૂ થયું છે. જેમાં એક નાની બાળકી દેખાઈ રહી અને તેને કહેવામાં આવે છે કે તેને મળવા કોઈ આવી રહ્યું છે. નેરેશન દરમિયાન અજય દેવગનને ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવે છે. અજય દેવગન આ ફિલ્મમાં એકદમ એક્શન મોડમાં દેખાવાના છે. જે પ્રમાણે ટીઝર બતાવવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી છે.  


भोला टीजर जारी


તમિલ ફિલ્મની રિમેક છે આ ફિલ્મ

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ, સંજય મિશ્રા સહિતના કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાના છે. આ ફિલ્મના ડાયરેક્ટર અજય દેવગન પોતે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ફિલ્મ કૈથીનું રિમેક છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.