અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:38:51

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે અજય દેવગને પોતાની નવી ફિલ્મ ભોલાનું ટીઝર લોન્ચ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ અજય દેવગણે મોશન પોસ્ટર શેર કર્યો હતો. મોશન પોસ્ટર જ્યારથી શેર થયો હતો ત્યારથી દર્શકો ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ભોલા ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે.

  

આકર્ષક છે ફિલ્મ ભોલાનું ટીઝર  

ટીઝરમાં અજય દેવગનનો ચહેરો નથી બતાવવામાં આવતો. ટીઝર એક અનાથાશ્રમથી શરૂ થયું છે. જેમાં એક નાની બાળકી દેખાઈ રહી અને તેને કહેવામાં આવે છે કે તેને મળવા કોઈ આવી રહ્યું છે. નેરેશન દરમિયાન અજય દેવગનને ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવે છે. અજય દેવગન આ ફિલ્મમાં એકદમ એક્શન મોડમાં દેખાવાના છે. જે પ્રમાણે ટીઝર બતાવવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી છે.  


भोला टीजर जारी


તમિલ ફિલ્મની રિમેક છે આ ફિલ્મ

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ, સંજય મિશ્રા સહિતના કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાના છે. આ ફિલ્મના ડાયરેક્ટર અજય દેવગન પોતે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ફિલ્મ કૈથીનું રિમેક છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .