અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:38:51

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે અજય દેવગને પોતાની નવી ફિલ્મ ભોલાનું ટીઝર લોન્ચ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ અજય દેવગણે મોશન પોસ્ટર શેર કર્યો હતો. મોશન પોસ્ટર જ્યારથી શેર થયો હતો ત્યારથી દર્શકો ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ભોલા ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે.

  

આકર્ષક છે ફિલ્મ ભોલાનું ટીઝર  

ટીઝરમાં અજય દેવગનનો ચહેરો નથી બતાવવામાં આવતો. ટીઝર એક અનાથાશ્રમથી શરૂ થયું છે. જેમાં એક નાની બાળકી દેખાઈ રહી અને તેને કહેવામાં આવે છે કે તેને મળવા કોઈ આવી રહ્યું છે. નેરેશન દરમિયાન અજય દેવગનને ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવે છે. અજય દેવગન આ ફિલ્મમાં એકદમ એક્શન મોડમાં દેખાવાના છે. જે પ્રમાણે ટીઝર બતાવવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી છે.  


भोला टीजर जारी


તમિલ ફિલ્મની રિમેક છે આ ફિલ્મ

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ, સંજય મિશ્રા સહિતના કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાના છે. આ ફિલ્મના ડાયરેક્ટર અજય દેવગન પોતે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ફિલ્મ કૈથીનું રિમેક છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.