અખિલ ભારત હિંદુ મહાસભાએ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 11:23:04

અખિલ ભારત હિંદુ મહાસભાએ શાહિ મસ્જિદ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ તેમજ બાળ ગોપાલનો અભિષેક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તેમજ એક્સટ્રા ફોર્સ પણ લગાવી દીધી છે. અને મહાસભાના અધિકારીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજીત પોલીસે પાંચ પદાધિકારીઓને નજરકેદ કરી દીધા છે.

 

જન્મસ્થળ તેમજ ઈદગાહની આસપાસ વધારાઈ સુરક્ષા 

અખિલ ભારત હિન્દુ મહાસભાએ કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈજગાહ વિસ્તારમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત થયા બાદ મામલો ગંભીર ન બને તે ઈજગાહ પાસે હિન્દુ મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા એકદમ વધારી દેવામાં આવી છે. સમગ્ર ક્ષેત્રને ચાર જોન, આઠ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવીથી ચાંપતી નજર પણ રાખવામાં  આવી રહી છે. 

કૃષ્ણજન્મ સ્થળે આવેલી મસ્જિદમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસા વાંચવાનું એલાન, પોલીસ છાવણીમાં ફેરવાયુ મથુરા

મહાસભા જન્મસ્થળ પર પહોંચવાનો કરી રહી છે દાવો 

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત થયા બાદ અનેક સાધુ-સંતો તેમજ સનાતન ધર્મને માનવા વાળા મથુરા આવી રહ્યા છે. પોલીસે મહાસભાના અનેક અધિકારીઓને નજર કેદ કરી દીધા છે પરંતુ તેમનું માનવું છે કે મહાસભાના સેંકડો કાર્યકરો કૃષ્ણ જન્મભૂમિ તેમજ ઈદગાહ પર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. જન્મસ્થળ સુધી જતા તમામ રસ્તાઓ મંગળવારથી લઈ બુધવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા માત્ર થોડાક જ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.