આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ! આ તારીખે રિલીઝ થશે OMG2! સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-09 13:21:07

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મને લઈ જાહેરાત કરી છે. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. ફિલ્મને સારો રિસ્પોન્સ તેમજ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ આવી રહી છે. પહેલા ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી શકે છે તેવું તેમના પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ તેમજ પંકજ ત્રિપાઠી જોવા મળશે. 

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થશે રિલીઝ!

OMG ફિલ્મ વર્ષ 2012માં આવી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો ત્યારે 11 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ આવી રહી છે. શુક્રવારે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે તેમાં જણાવામાં આવ્યું છે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. 


ભગવાન શંકરના અવતારે જોવા મળશે અક્ષય કુમાર!

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે લખ્યું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો 11 ઓગસ્ટે. સાથે જ  એક્ટરે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકરના અવતારમાં જોવા મળશે. અક્ષય કુમાર સિવાય ફિલ્મ અંગેની માહિતી યામી ગૌતમે પણ શેર કરી છે. યામી ગૌતમે લખ્યું કે તારીખ લોક છે. OMG2 11 ઓગસ્ટ 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીએ! આ પોસ્ટને જોતા દર્શકોમાં ઉત્સુક્તા વધી છે. ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.