અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખતા લોકો વિફર્યા, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


  • Published By :
  • Published Date : 2023-02-06 20:12:27

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે, પરંતુ અક્ષય કુમારને એક વીડિયો શેર કરવો મોંઘો પડ્યો છે. વીડિયો જોઈને અક્ષય કુમારના ફેન્સ તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે. 


વિવાદ શું છે?


આજકાલ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નકશા પર ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. હવે લોકો તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે.


અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મનોરંજન 100 ટકા હશે. શુદ્ધ દેશી મનોરંજન ઉત્તર અમેરિકામાં. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવીશું. 


અક્ષય કુમાર પર લોકો વિફર્યા 


વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને માફી માંગવા અને દેશનું સન્માન કરવા પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ કૃત્ય માટે તમારે કરોડો દેશવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું છે કે ભારતનું થોડું તો સન્માન કરો. લોકો તેને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.


અક્ષય કુમારને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ભારતનો નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. જોકે અભિનેતા પોતાને દિલથી ભારતીય કહે છે, પરંતુ યુઝર્સ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડવા માંગતા નથી.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.