અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખતા લોકો વિફર્યા, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


  • Published By :
  • Published Date : 2023-02-06 20:12:27

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે, પરંતુ અક્ષય કુમારને એક વીડિયો શેર કરવો મોંઘો પડ્યો છે. વીડિયો જોઈને અક્ષય કુમારના ફેન્સ તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે. 


વિવાદ શું છે?


આજકાલ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નકશા પર ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. હવે લોકો તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે.


અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મનોરંજન 100 ટકા હશે. શુદ્ધ દેશી મનોરંજન ઉત્તર અમેરિકામાં. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવીશું. 


અક્ષય કુમાર પર લોકો વિફર્યા 


વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને માફી માંગવા અને દેશનું સન્માન કરવા પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ કૃત્ય માટે તમારે કરોડો દેશવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું છે કે ભારતનું થોડું તો સન્માન કરો. લોકો તેને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.


અક્ષય કુમારને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ભારતનો નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. જોકે અભિનેતા પોતાને દિલથી ભારતીય કહે છે, પરંતુ યુઝર્સ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડવા માંગતા નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.