અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખતા લોકો વિફર્યા, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


  • Published By :
  • Published Date : 2023-02-06 20:12:27

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે, પરંતુ અક્ષય કુમારને એક વીડિયો શેર કરવો મોંઘો પડ્યો છે. વીડિયો જોઈને અક્ષય કુમારના ફેન્સ તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે. 


વિવાદ શું છે?


આજકાલ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નકશા પર ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. હવે લોકો તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે.


અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મનોરંજન 100 ટકા હશે. શુદ્ધ દેશી મનોરંજન ઉત્તર અમેરિકામાં. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવીશું. 


અક્ષય કુમાર પર લોકો વિફર્યા 


વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને માફી માંગવા અને દેશનું સન્માન કરવા પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ કૃત્ય માટે તમારે કરોડો દેશવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું છે કે ભારતનું થોડું તો સન્માન કરો. લોકો તેને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.


અક્ષય કુમારને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ભારતનો નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. જોકે અભિનેતા પોતાને દિલથી ભારતીય કહે છે, પરંતુ યુઝર્સ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડવા માંગતા નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી